ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ લાભ

આપણને પસંદ હોય કે ના હોય, આપણે બધા ભવિષ્યની ચિંતા કરીએ છીએ અને આવતીકાલને સુરક્ષિત કરવા માટે નાણાંની બચત તેમજ તેના રોકાણ હેતુ જરૂરી પ્લાનિંગ કરીએ છીએ. આજે આપણે જે કરીએ છીએ તેમાંથી પરિણામે, મોટાભાગનું આપણે આપણા ગ્રોથમાં અને દેશની આંતરિક વૃદ્ધિમાં ફાળો આપીએ છીએ. 

જોકે, તમને નથી લાગતું કે 60 વર્ષથી વધુ ઉંમરના કરદાતાઓ કે જેમણે પોતાની નાની ઉંમરમાં ઘણું બધું યોગદાન આપ્યું છે તેમના માટે ઇન્કમ ટેક્સમાં કેટલાક વિશેષ ફાયદા હોવા જોઈએ? તો ચાલો, સિનિયર સિટિઝન માટેના આમાંથી કેટલાક ઇન્કમ ટેક્સ લાભ વિશે વાત કરીએ.

ભારતમાં સિનિયર સિટિઝન કોને ગણવામાં આવે છે?

ઇન્કમ ટેક્સ મુજબ, સિનિયર સિટિઝનનો અર્થ એવો થાય છે કે જેની ઉંમર નાણાકીય વર્ષના કોઈપણ સમયે 60 વર્ષ કે તેથી વધુ હોય પરંતુ 80 વર્ષથી ઓછી હોય.

(સ્ત્રોત)

ભારતમાં અતિ સિનિયર સિટિઝન કોને ગણવામાં આવે છે?

અતિ સિનિયર સિટિઝન વ્યક્તિ એટલે નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય.

શા માટે સિનિયર સિટિઝનને ઇન્કમ ટેક્સમાં વિશેષ લાભ હોવા જોઈએ?

ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અને આ ભવ્ય સંસ્કૃતિ છે જ્યાં વડીલોને આદર અને પ્રેમ આપવામાં આવે છે. ભાવિ પેઢીઓ સુખી રહે તેમજ ખરા સમયે તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળે તે માટે વડીલોની વિશેષ સંભાળ રાખવામાં આવે છે. 

આપણી સરકાર સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને અકબંધ રાખવા તેમજ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સના વિશેષ લાભ પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. જેનો હેતુ જીવનના આ તબક્કામાં તેમને તણાવમાંથી મુક્ત કરવાનો છે. ધારો કે તમે અથવા તો તમારા પરિવારના સિનિયર સિટિઝન એવા તમારા માતાપિતા તેમના ફંડનું આયોજન કરી રહ્યાં છે. તો તે કિસ્સામાં, સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટેના ટેક્સ લાભ વિશેની જાણકારી નિર્ણાયક બની રહે છે અને તેનો લાભ મેળવી શકાય છે.

60 અને તેથી વધુ વયના સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સના વિશેષ લાભો

અહીં કેટલીક છૂટ, કપાત અને લાભ છે જે 60 વર્ષથી વધુ વયના કરદાતાઓ માટે નાણાકીય જવાબદારીઓ હળવી કરી શકે છે.

1. પ્રાથમિક છૂટનો ફાયદો

ભારતમાં દરેક વ્યક્તિ, જે કર ચૂકવવા માટેના દાયરામાં આવે છે, તેને કેટલીક પ્રાથમિક છૂટ મેળવવાની મંજૂરી છે. 

સિનિયર સિટિઝન માટે, સરકારે 1 એપ્રિલ, 2023થી અમલી એવી બંને કર પ્રણાલીઓમાં આ બેઝિક છૂટ મર્યાદા વધારીને રૂ. 3 લાખ કરી છે. 

અતિ વિરષ્ઠ નાગરિકો તેમની આવક અને ઉંમરને ધ્યાનમાં રાખીને ઉચ્ચ લાભ મેળવે છે. તેમના માટે આ માફી એક નાણાકીય વર્ષમાં જૂની કર વ્યવસ્થા હેઠળ રૂ. 5 લાખ સુધીની છે. જોકે નવી વ્યવસ્થા હેઠળ બેઝિક મુક્તિ મર્યાદા રૂ. 3 લાખ સુધીની છે. 

સિનિયર અથવા અતિ સિનિયર સિટિઝન સિવાય સામાન્ય નાગરિકો માટે આ મુક્તિ જૂની કર વ્યવસ્થા હેઠળ માત્ર રૂ. 2,50,000 સુધીની છે, જે તેમને વધુ કર ચૂકવવા તરફ દોરી જાય છે. 

[સ્ત્રોત]

2. મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ લાભ

કલમ 80D હેઠળ, સિનિયર સિટિઝનને રૂ. 50,000 સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી પર લાભ આપવામાં આવે છે. અતિ સિનિયર સિટિઝન કે જેઓ તબીબી રીતે ઇન્સ્યોર્ડ નથી તેઓ પણ આ લાભનો આનંદ માણી શકે છે.

અતિ સિનિયર સિટિઝન માટે, કલમ 80D હેઠળ મેડિકલ પ્રીમિયમની ચુકવણી તેમજ તેમની સારવાર પર થયેલા વાસ્તવિક ખર્ચના ડિડક્શનની મંજૂરી છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્સ લાભો વિશે વધુ જાણો

[સ્ત્રોત]

3. વ્યાજની આવક પર વિશેષાધિકાર

ભારતના રહેવાસી સિનિયર સિટિઝનઓએ નાણાકીય વર્ષમાં રૂ. 50,000 સુધીના વ્યાજ આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 

ઇન્કમ ટેક્સની કલમ 80TTB હેઠળ લાગુ, આ બચત બેંક ખાતામાં મેળવેલ વ્યાજ, બેંક થાપણો અને/અથવા પોસ્ટ ઓફિસની થાપણોને આવરી લેશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે, સિનિયર સિટિઝનએ ફોર્મ 15H ભરવું આવશ્યક છે. 

ઉપરાંત, કલમ 194A સિનિયર સિટિઝનને બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંક દ્વારા રૂ. 50,000 સુધીના વ્યાજની ચૂકવણી પર વધુ ટીડીએસ ડિડક્શનનો લાભ પ્રદાન કરે છે. બિન-સિનિયર સિટિઝન માટે આ મર્યાદા રૂ. 40,000 છે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

4. આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્તિ

બજેટ 2021માં કલમ 194P રજૂ કરવામાં આવી હતી જે હેઠળ જો તેઓ નીચેના માપદંડોને પૂર્ણ કરે છે તો 75 કે તેથી વધુ વયના સિનિયર સિટિઝનને આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે:

  • માત્ર પેન્શનમાંથી જ આવક છે. 
  • તેઓ એક જ બેંક ખાતામાં વ્યાજ અને પેન્શનની આવક મેળવે છે.
  • તેઓએ આ બેંકને ડિકલેરેશન ફોર્મ 12BBA આપ્યું છે. 

5. કોઈ એડવાન્સ ટેક્સ નહિ

જ્યારે 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓએ જો તેમની ટેક્સ લાયાબિલિટી નાણાકીય વર્ષમાં રૂ. 10,000 અથવા તેથી વધુ હોય તો એડવાન્સ ટેક્સ ચૂકવવો પડે છે ત્યારે સિનિયર સિટિઝન આ બોજમાંથી મુક્ત છે સિવાય કે તેઓ બિઝનેસ અથવા બિઝનેસમાંથી આવક મેળવતા હોય.

6. અમુક ઉલ્લેખિત રોગોની સારવાર માટે ભથ્થું

ભારત સરકાર વ્યક્તિગત ટેક્સ પેયર અને 60 વર્ષથી ઓછી ઉંમરના આશ્રિત સંબંધીઓને જો તબીબી સારવારનો ખર્ચ રુ. 40,000ની આસપાસ હોય તો ટેક્સ ચૂકવામાંથી છૂટની મંજૂરી આપે છે. 

આશ્રિત સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80DDB મુજબ આ કપાત મર્યાદા રૂ. 1 લાખ સુધીની છે જો તેઓ નાણાકીય વર્ષમાં કોઈ ચોક્કસ રોગ/ગંભીર બિમારી માટે કોઈ સારવાર કરાવે છે. 

[સ્ત્રોત]

7. ઇન્કમ ટેક્સ રિટર્ન લાભો

અતિ સિનિયર સિટિઝન (80 વર્ષથી ઉપરની વ્યક્તિઓ) સહજ (ITR 1) અથવા સુગમ (ITR 4) દ્વારા તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. તેઓ મેન્યુઅલી અથવા ઇલેક્ટ્રોનિક ફાઈલિંગ પસંદ કરી શકે છે.

8. રિવર્સ મોર્ટગેજ સ્કીમ હેઠળ કોઈ ટેક્સ નથી

સિનિયર સિટિઝન માસિક કમાણી કરવા માટે તેમના કોઈપણ આવાસ પર રિવર્સ મોર્ગેજ કરી શકે છે. મિલકતની માલિકી સિનિયર સિટિઝન પાસે રહે છે અને તેમને તેના માટે માસિક ચૂકવણી કરવામાં આવે છે. માલિકને હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.

9. પેન્શન આવકમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન

સિનિયર સિટિઝનને તેમની પેન્શન આવક માટે રૂ. 50,000ની સ્ટાન્ડર્ડ ડિડક્શનની મંજૂરી આપવામાં આવે છે, જેમાં કુટુંબ પેન્શનરોનો પણ સમાવેશ થાય છે જેઓ રૂ. 15,000 સુધીના ડિડક્શનનો લાભ લઈ શકે છે. 

ઉપરાંત, વ્યક્તિઓ નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2022-23 માટે સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ તપાસી શકે છે.

[સ્ત્રોત]

સિનિયર સિટિઝન માટે ટેક્સ લાભ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

સિનિયર સિટિઝન માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે?

ઇન્કમ ટેક્સ કાયદામાં તાજેતરના ફેરફારો મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં સિનિયર સિટિઝન માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000 છે.

સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ ભરવાની મહત્તમ ઉંમર કેટલી છે?

આ મુદ્દો વય પર આધારિત નથી પરંતુ સંબંધિત સિનિયર સિટિઝનની બેઝિક આવક પર આધારિત છે (આમાં ભાડા ભથ્થા, નિશ્ચિત અને આવકના અન્ય સ્ત્રોતો શામેલ છે). જોકે, જૂની કર પ્રણાલી હેઠળ સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે મુક્તિ મર્યાદા અનુક્રમે રૂ. 3 લાખ અને રૂ. 5 લાખ છે.

સિનિયર સિટિઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્સ લાભ મર્યાદા કેટલી છે?

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80D મુજબ સિનિયર સિટિઝનએ જો માન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કર્યો હોય અને તેના માટે જરૂરી વાર્ષિક પ્રીમિયમ ચૂકવતા હોય તો રૂ. 50,000 સુધીનો ટેક્સ ફાયદો મેળવી શકે છે (આમાં હેલ્થ ચેકઅપનો સમાવેશ થાય છે).

શું 80TTA અને 80TTB બંને સિનિયર સિટિઝનને લાગુ પડે છે?

કલમ 80TTA અને કલમ 80TTB હેઠળ ક્લેમ કરાયેલ ડિડક્શન એકસમાન છે. જોકે 80TTA માત્ર 60 વર્ષથી નીચેના ટેક્સ પેયર અને HUF માટે રૂ. 10,000 સુધીના વ્યાજમાં ડિડક્શન ઓફર કરે છે, જ્યારે 80TTB 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિગત કરદાતાઓ માટે લાગુ પડે છે અને રૂ. 50,000 સુધીના લાભની મંજૂરી આપે છે.