ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો
24X7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Trip Type
- Country
- Geography
Popular Countries
Select Number of Travellers
I agree to the Terms & Conditions
Travel Insurance
Trip Type
- Country
- Geography
24X7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટ
તમે કેવી રીતે જાણશો કે તમારો પાસપોર્ટ ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ સુવિધા અથવા વિઝા-મુક્ત મુસાફરીની સગવડ આપે છે?
તેના માટે, તમારે વિવિધ પ્રકારના ભારતીય પાસપોર્ટ અને તેને લાગતા મહત્વ વિશે થોડું જ્ઞાન મેળવવું પડશે.
એક સરેરાશ વ્યક્તિ એ પણ જાણતી નથી કે પાસપોર્ટ કેટલાય પ્રકારના હોય છે. જો કે, વિવિધ વિઝાની જેમ, લોકોને પણ તેમના વ્યવસાયના આધારે આ દસ્તાવેજના વિવિધ પ્રકારોની જરૂર પડે છે.
ચાલો ભારતમાં આ વિવિધ પાસપોર્ટ વિશે બધું જાણીએ!
ભારતીય પાસપોર્ટના વિવિધ પ્રકારો શું છે?
વાદળી પાસપોર્ટ
જે ટાઇપ P પાસપોર્ટ તરીકે પણ ઓળખાય છે, આ પાસપોર્ટ ભારતની સામાન્ય વસ્તી માટે ઈશ્યુ કરવામાં આવે છે, જેઓ વિદેશમાં વેકેશન માટે અથવા વ્યાપારી પ્રવાસ માટે જવાનું આયોજન કરે છે. વાદળી રંગ તેને સત્તાવાર સ્થિતિ ધરાવનારા અન્ય પાસપોર્ટથી અલગ તારવવામાં મદદ કરે છે.
ઉપયોગો: સામાન્ય લોકો આ પાસપોર્ટનો ઉપયોગ નવરાશની પળોમાં અથવા બિઝનેસ માટે મુસાફરી કરવા માટે કરે છે.
ફાયદાઓ: આ પ્રકારનો પાસપોર્ટ વિદેશી અધિકારીઓને સામાન્ય લોકો અને સરકારી અધિકારીઓ વચ્ચે તફાવત દર્શાવવામાં મદદ કરે છે.
સફેદ પાસપોર્ટ
જે ટાઇપ P પાસપોર્ટ તરીકે પણ ઓળખાય છે, આ પાસપોર્ટ ભારતની સામાન્ય વસ્તી માટે ઈશ્યુ કરવામાં આવે છે, જેઓ વિદેશમાં વેકેશન માટે અથવા વ્યાપારી પ્રવાસ માટે જવાનું આયોજન કરે છે. વાદળી રંગ તેને સત્તાવાર સ્થિતિ ધરાવનારા અન્ય પાસપોર્ટથી અલગ તારવવામાં મદદ કરે છે.
ઉપયોગો: સામાન્ય લોકો આ પાસપોર્ટનો ઉપયોગ નવરાશની પળોમાં અથવા બિઝનેસ માટે મુસાફરી કરવા માટે કરે છે.
ફાયદાઓ: આ પ્રકારનો પાસપોર્ટ વિદેશી અધિકારીઓને સામાન્ય લોકો અને સરકારી અધિકારીઓ વચ્ચે તફાવત દર્શાવવામાં મદદ કરે છે.
ડિપ્લોમેટિક પાસપોર્ટ
આ સરકારી અધિકારીઓ અને ડિપ્લોમેટ્સ માટે છે જેઓ કામ માટે વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે. જેઓ સફેદ પાસપોર્ટ ધરાવતા હોય સિવાયના કોઈપણ સરકારી પ્રતિનિધિ માટે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે જે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય.
ઉપયોગો: ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ પાસપોર્ટનો ઉપયોગ વિદેશ પ્રવાસ દરમિયાન કરે છે જ્યાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
લાભો: મરૂન પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ લાભોની વિશાળ શ્રેણીમાં, વિઝા-મુક્ત મુસાફરી સુવિધા (વિદેશમાં મુસાફરી માટે) સૌથી વધુ ઉપયોગી છે. તેઓ ભલે ગમે તેટલા સમય સુધી વિદેશમાં રહેવાનું નક્કી કરે, તેમને વિદેશ પ્રવાસ માટે વિઝાની જરૂર પડશે નહીં. વધુમાં, તેઓ આ પાસપોર્ટ સાથે ઝડપી ઇમિગ્રેશન પ્રક્રિયાનો આનંદ માણી શકે છે.
તેના ઉપરાંત, સામાન્ય પાસપોર્ટ ધારકો કરતાં આ પ્રકારના ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો માટે ઇમિગ્રેશન સરળ છે.
નારંગી પાસપોર્ટ
સરકારે 2018માં નારંગી રંગના પાસપોર્ટ લોન્ચ કર્યો હતો, જેમાં સરનામાનું પેજ હોતુ નથી. આ પ્રકારના પાસપોર્ટ મુખ્યત્વે એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જેઓ 10મા ધોરણથી આગળ ભણ્યા નથી. આ લોકો ઈસીઆર વર્ગમાં આવે છે.
ઉપયોગો: જે વ્યક્તિઓએ ધોરણ 10 થી આગળ અભ્યાસ કર્યો નથી તેઓ વિદેશમાં ઉડાન માટે આ પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે.
લાભો: એક અલગ પ્રકારનો પાસપોર્ટ રજૂ કરવાનો મુખ્ય હેતુ વિદેશમાં મુસાફરી કરતી વખતે અશિક્ષિત નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. આ સિસ્ટમ સાથે, ઈસીઆર વેરિફિકેશન અને ઈમિગ્રેશન પ્રક્રિયા પણ ઝડપી બનશે.
ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટ મેળવવા માટે લાયકાતની આવશ્યકતાઓ શું છે
ઉપર જણાવેલ દરેક પાસપોર્ટ પ્રકારનો અલગ હેતુ હોય છે અને તેને યોગ્ય વ્યક્તિઓને જારી કરવામાં આવે છે. અહીં તમામ યોગ્ય વ્યક્તિઓની યાદી છે,
વાદળી પાસપોર્ટ - સામાન્ય જનતા
સફેદ પાસપોર્ટ - સરકારી અધિકારીઓ
ડિપ્લોમેટિક પાસપોર્ટ - ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ
નારંગી પાસપોર્ટ - જે વ્યક્તિઓએ ધોરણ 10 થી વધુ ભણેલ નથી.
હવે તમે યોગ્યતાની આવશ્યકતાઓથી જાણકાર છો, ચાલો વિવિધ પ્રકારના પાસપોર્ટ માટેની અરજી પ્રક્રિયા વિશે જાણીએ.
ભારતમાં નવા પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?
પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સનો ઉપયોગ કરો -
પગલું 1: પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ ની મુલાકાત લો અને તમારા હાલના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો. પ્રથમ વખત સાઇટની મુલાકાત લેનારાઓએ પહેલા પોતાને નોંધણી કરવાની જરૂર રહેશે.
પગલું 2: હવે, 'નવો પાસપોર્ટ/પાસપોર્ટ ફરી ઈસ્યુ' વિકલ્પ પસંદ કરો અને અરજી ફોર્મ ભરો.
પગલું 3: ત્યાર બાદ, સબમિટ કરવા માટે ‘અપલોડ ઈ-ફોર્મ’ પર ક્લિક કરો.
પગલું 4: હવે, ચુકવણી કરવા અને એપોઇન્ટમેન્ટ ફિક્સ કરવા માટે ‘ચુકવણી કરો અને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો' પર ક્લિક કરો.
તમે 'પ્રિન્ટ એપ્લિકેશન રિસિપ્ટ' પર ક્લિક કરીને તમારી એપોઇન્ટમેન્ટ અથવા સંદર્ભ નંબર ધરાવતી ચુકવણીની રસીદ પણ પ્રિન્ટ કરી શકો છો.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસની મુલાકાત લો જ્યાં તમે એપોઇન્ટમેન્ટ બુક કરી છે. ચકાસણી માટે જરૂરી તમામ દસ્તાવેજો સાથે રાખવાની ખાતરી કરો.
તે પછી, તમારે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. અહીં, તેઓ તમારા ફોર્મમાં આપેલી તમામ માહિતીનું વેરિફિકેશન કરશે અને ત્યાં ઉલ્લેખિત સરનામાંની મુલાકાત લેશે.
જો તમારી પાસે બધા દસ્તાવેજો તૈયાર ન હોય તો નવો પાસપોર્ટ મેળવવો મુશ્કેલ અને વિલંબીત થઈ શકે છે. પાસપોર્ટ અરજી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો વિશે જાણવા આગળ વાંચો.
ભારતમાં નવો પાસપોર્ટની અરજી કરવા માટેના આવશ્યક દસ્તાવેજો કયા કયા છે?
બિનજરૂરી અડચણો ટાળવા માટે, નીચેના દસ્તાવેજો સાથે રાખવા ખૂબ જરુરી છે-
સરનામાનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, ભાડા કરાર, ટેલિફોન/પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ, તમારી બેંક એકાઉન્ટ પાસબુક, જીવનસાથીના પાસપોર્ટની નકલ, વગેરે)
જન્મ તારીખનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, શાળા સ્થાનાંતરણ/છોડી દેવાનું પ્રમાણપત્ર, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, વગેરે)
દસ્તાવેજો ઉપરાંત, વ્યક્તિઓએ પાસપોર્ટની માન્યતા અને સમાપ્તિ વિશે જાણવું જરૂરી છે. આ પણ વાંચો!
પાસપોર્ટની માન્યતા અને સમાપ્તિ શું છે?
તમારો પાસપોર્ટ માત્ર 10 વર્ષ માટે માન્ય રહેશે, તેનો પ્રકાર પછી ભલે ગમે તે હોય. તેથી, તમારે તે સમયગાળાની અંદર તેને નવીકરણ કરવાનું નક્કી કરવું જોઈએ. ઇન્ટરનેટના સરળ ઍક્સેસ સાથે, વિવિધ પ્રકારના ભારતીય પાસપોર્ટની નવીકરણ પ્રક્રિયા ઓનલાઇન કરી શકાય છે.
અરજી સમાપ્ત થાય તે પહેલાં તેને કરવાની ખાતરી કરો. નહિંતર, તમારે 'પાસપોર્ટ ફરીથી જારી કરવા' માટે અરજી કરવી પડશે અને જો સમય મર્યાદા 3 વર્ષથી વધુ હોય તો નવેસરથી પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે.