ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમ ટેક્સ એક્ટનું સેક્શન 80TTA શું છે?

આઈટી એક્ટનું સેક્શન 80TTA પર્સનલ સેવિંગના વ્યાજની થતી આવક પર ટેક્સ ડિડક્શન પ્રદાન કરે છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80TTAની જોગવાઈ હેઠળ ડિડક્શનનો ક્લેમ કરવામાં તમારી મદદ કરવા માટે, અમે તેની પાત્રતા, લિમિટ, સમાવેશ અને બાકાતની વિગતવાર ચર્ચા કરીશું.

સેક્શન 80TTA કેટલું ડિડક્શન છે?

સેક્શન 80TTA 1961માં અમલમાં મુકવામાં આવ્યું હતુ અને તે રૂ. 10,000 સુધીનું ડિડક્શન પુરૂં પાડે છે. આ એક્ટ બેંકોમાં વ્યક્તિગત બચત અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) હેઠળ વ્યક્તિગત બચતના ગ્રુપોને લાગુ પડે છે. જોકે, તે ફિક્સ્ડ ડિપોઝીટ અથવા ટાઈમ ડિપોઝીટની વ્યાજથી થતી આવક પર બિનઅસરકારક છે.

સેક્શન 80TTA હેઠળ ડિડક્શન માટે વ્યાજની આવક યોગ્ય પાત્ર છે

નીચેની સંસ્થાઓ સેવિંગ્સમાંથી થતી આવક ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTA હેઠળ ટેક્સ ડિડક્શન માટે લાગુ પડે છે -

  • બેંક
  • બેંકિંગ બિઝનેસ ચલાવતી સહકારી મંડળી
  • પોસ્ટ ઓફિસ

સેક્શન 80TTA હેઠળ સ્વીકાર્ય મહત્તમ ડિડક્શન શું છે?

પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 10,000નું 80TTA ડિડક્શન લાગુ પડે છે એટલે કે બચતમાંથી કમાણી તરીકે આવતી કોઈપણ વધારાની રકમ ટેક્સને આધીન રહેશે. અહીં ગણતરી વિવિધ બેંકોના એક અથવા ઘણા બચત ખાતાઓમાંથી આવતા સંચિત વ્યાજની રકમ પર કરવામાં આવે છે.

વ્યાજની આવક અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે ગણવામાં આવે છે. ટેક્સ પેયર તેમની કુલ આવકમાંથી મહત્તમ રૂ. 10,000 સુધીના ડિડક્શનનો ક્લેમ કરી શકે છે અને કરપાત્ર આવક પર પહોંચી શકે છે. ટેક્સ પેયરની ટેક્સેબલ આવક પર આ ટેક્સ ટકાવારીને આધારે ગણવામાં આવશે.

[સ્ત્રોત]

સેક્શન 80TTA હેઠળ ડિડક્શન માટે કયા પ્રકારના વ્યાજની મંજૂરી નથી?

આ સેક્શન હેઠળ નીચેના સ્ત્રોતોમાંથી વ્યાજને મંજૂરી નથી -

  • ફિક્સ્ડ ડિપોઝીટ.
  • રિકરિંગ એકાઉન્ટ.
  • ટાઈમ ડિપોઝીટ.
  • નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે બચત.

કંપનીઓ, LLP, ભાગીદારી પેઢીઓને સેક્શન 80TTA હેઠળ વ્યાજ પર ફાયદા મેળવવાની મંજૂરી નથી.

સેક્શન 80TTA હેઠળ ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટે કોણ યોગ્ય પાત્ર છે?

સેક્શન 80TTA પાત્રતા માટેના સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે -

  • ભારતના રેસીડન્ટ ટેક્સ પેયર
  • HUF હેઠળ વ્યક્તિઓના ગ્રુપ
  • એનઆરઓ સેવિંગ એકાઉન્ટ સાથેના એનઆરઆઈ
  • 60 વર્ષથી ઓછી ઉંમર (વરિષ્ઠ નાગરિકો માટે સેક્શન 80TTA લાગુ પડતું નથી, તેઓ સેક્શન 80TTB માટે અરજી કરી શકે છે)

[સ્ત્રોત]

તેનાથી કેટલો ટેક્સ બચશે?

આ સૌથી વધુ પૂછાતો એક વ્યવહારુ પ્રશ્ન છે, ઇન્કમ ટેક્સમાં 80TTA શું છે અને તમે તેના પર કેટલી બચત કરી શકો છો? 80TTA દ્વારા મહત્તમ ટેક્સ બચતની રકમ, ટેક્સ પેયર જે ટેક્સ સ્લેબ હેઠળ આવે છે તેના પર આધાર રાખે છે.

જો તમારી કુલ આવક 20% ટેક્સ સ્લેબ હેઠળ આવે તો, 80TTA હેઠળ રૂ. 10,000ના ડિડક્શન સામે મહત્તમ રૂ. 2,000ની ટેક્સની રકમ બચાવી શકાય છે. તેવી જ રીતે, જો તમે 30% ટેક્સ સ્લેબ હેઠળ લાયક છો, તો તમે મહત્તમ રૂ. 3,000 બચાવી શકો છો.

ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTAનો હેતુ વધુ સારા નાણાકીય વ્યવસ્થાપનની સુવિધા આપવાનો છે. આમ, તે નાની બચત અને મોટા રોકાણકારો દ્વારા મેળવવામાં આવતી આવક પર ટેક્સ ચૂકવણી ટાળવામાં મદદરુપ થઈ લોકોને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં નગણ્ય વ્યાજની રકમનો સમાવેશ કરીને પરેશાન ન કરવાનો છે.

શું એનઆરઆઈ સેક્શન 80TTA હેઠળ ડિડક્શનનો ફાયદો મેળવી શકે છે?

હા, એનઆરઆઈ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTA હેઠળ ડિડક્શન અથવા છૂટ માટે ક્લેમ કરી શકે છે. જોકે, અહિં નોંધવું અગત્યનું છે કે એનઆરઆઈ બે ખાતા ખોલી શકે છે: NRO અને NRE એકાઉન્ટ. કારણ કે NRE એકાઉન્ટમાંથી મળતું વ્યાજ ટેક્સમુક્ત છે. જે વ્યક્તિઓ પાસે NRO સેવિંગ એકાઉન્ટ છે તેઓ જ સેક્શન 80TTA હેઠળ ફાયદા મેળવી શકે છે.

ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTAનો હેતુ વધુ સારા નાણાકીય વ્યવસ્થાપનની સુવિધા આપવાનો છે. આમ, તે નાની બચત અને મોટા રોકાણકારો દ્વારા મેળવવામાં આવતી આવક પર ટેક્સ ચૂકવણી ટાળવામાં મદદરુપ થઈ લોકોને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં નગણ્ય વ્યાજની રકમનો સમાવેશ કરીને પરેશાન ન કરવાનો છે.

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

સેક્શન 80TTA હેઠળ ડિડક્શનનો ક્લેમ કેવી રીતે કરવો?

સેક્શન 80TTA હેઠળ ડિડક્શનનો ક્લેમ કરવા માટે, તમારે તમારી આઇટીઆર ફાઇલમાં સેવિંગ ઇન્ટરેસ્ટની આવક અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે દર્શાવવી પડશે. તમારે અન્ય સ્ત્રોતો અને ડિડક્શન હેડ હેઠળ બંને હેડમાં આનો ઉલ્લેખ કરવો પડશે.

સેક્શન 80TTA 80TTBથી કેવી રીતે અલગ છે?

આ બંને કાયદા ઇન્કમ ટેક્સના સેક્શન 80 હેઠળ છે. સેક્શન 80TTA એ 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ અને HUFsની સેવિંગની આવક પર ટેક્સ ડિડક્શન માટે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોના ટેક્સ ડિડક્શન માટે 80TTB લાગુ પડે છે.

વધુમાં, 80TTA ફિક્સ્ડ ડિપોઝીટમાંથી બચતને બાકાત રાખે છે, જ્યારે 80TTB તમામ સ્ત્રોતોમાંથી બચતને ધ્યાનમાં લે છે.

શું સેક્શન 80TTA હેઠળ ફાયદા મેળવવા માટે સેવિંગ એકાઉન્ટના બેલેન્સમાંથી આવતા વ્યાજનો ઉલ્લેખ કરવો જરૂરી છે?

હા, સેવિંગ ઇન્ટરેસ્ટમાંથી આવતા આવકના તમામ સ્ત્રોતોનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.