ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન

(સોર્સ: thedailyguardian)

શું તમે જાણો છો કે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન એ ભારતમાં એક નિર્ણાયક સ્ટેપ છે?

આ સુરક્ષા માપદંડ જ્યારે કોઈ વ્યક્તિ નવા પાસપોર્ટ માટે અરજી કરે છે અથવા ફરીથી જારી કરે છે એ પછી હાથ ધરવામાં આવે છે. જો કે, આ નિયમમાં પણ અમુક અપવાદો છે.

આ બાબત દસ્તાવેજીકરણ અને અરજી પર આધારિત છે. 

વધુ જાણવા માંગો છો?

પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન વિશે વધુ જાણવા માટે સ્ક્રોલ કરતા રહો.

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનમાં શું થાય છે?

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન અરજદારની ઓળખ અને સરનામાનો પૂરાવો તપાસે છે. સામાન્ય રીતે, તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી આ પ્રક્રિયા હાથ ધરે છે.

આ વેરિફિકેશન પ્રક્રિયા રાજ્ય અને ધોરણો અનુસાર અલગ હોઈ શકે છે. તમારી પાસપોર્ટ અરજીમાં દાખલ કરેલી વિગતો કન્ફર્મ કરવા માટે પોલીસ અધિકારી તમારા સરનામા પર મુલાકાત લે છે. તમારે તમારી ઓળખને સમર્થન આપવા માટે દસ્તાવેજો બતાવવા પડશે.

વધુમાં, તમે પાસપોર્ટ સેવા વેબસાઇટ પર નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશન જઈ શકો છો. આ તમને પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરશે.

સફળ તપાસ પછી, પોલીસ અધિકારી મંજૂરીનો લેટર આપશે. જેના પગલે સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી ભલામણનો પોલીસ વેરિફિકેશન અહેવાલ (PVR) પ્રાપ્ત કર્યા પછી પાસપોર્ટ કચેરી 3 દિવસમાં તમારો પાસપોર્ટ મોકલશે.

હવે, ચાલો આપણે ફરજિયાત પોલીસ વેરિફિકેશનના પ્રકારો જાણીએ.

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન ફોર્મ

પોલીસ વેરિફિકેશનના 2 પ્રાઈમરી મોડ છે:

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનનો પ્રકાર હેતુ
પાસપોર્ટ માટે પ્રિ પોલીસ વેરિફિકેશન પોલીસ સ્ટેશન, જે અરજદારના સરનામાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તે આ વેરિફિકેશન કરે છે. અધિકારી વ્યક્તિ દ્વારા સબમિટ કરવામાં આવેલી વિગતોની ચકાસણી કરે છે, જેમાં નામ, ઉંમર, સરનામુંનો સમાવેશ થાય છે.
પાસપોર્ટ માટે પોસ્ટ પોલીસ વેરિફિકેશન આ વેરિફિકેશન અરજદારનો પાસપોર્ટ જારી કર્યા પછી કરવામાં આવે છે.

જો કોઈ અરજદાર તેના વર્તમાન પાસપોર્ટની વેલીડીટી પૂર્ણ થાય તે પહેલાં રિન્યુઅલ માટેની અરજી સબમિટ કરે તો પાસપોર્ટને ફરીથી જારી કરવા માટે પોલીસ વેરિફિકેશન આવશ્યક નથી.

સામાન્ય રીતે, પ્રિ પોલીસ વેરિફિકેશન બધા માટે ફરજિયાત છે. જો કે, સરકારી કર્મચારીઓ માટે અપવાદ છે કે જેઓ પરિશિષ્ટ G મુજબ વાંધો ન હોવાનું પ્રમાણપત્ર અથવા પરિશિષ્ટ A મુજબ ઓળખ પ્રમાણપત્ર પ્રદાન કરે છે.

 

હવે, ચાલો જાણીએ કે સુવ્યવસ્થિત અરજી માટે પાસપોર્ટનું પોલીસ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરવું.

પાસપોર્ટ માટે ઓનલાઇન પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા માટેનાં પગલાં

સામાન્ય રીતે, પાસપોર્ટ ઓથોરિટી તરફથી નોટિફિકેશન મળ્યા બાદ સંબંધિત પોલીસ સ્ટેશન વેરિફિકેશન કરે છે. તમે પાસપોર્ટ સેવા વેબસાઇટ પર પણ પોલીસ વેરિફિકેશન માટે અરજી કરી શકો છો. 

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન માટે અરજી કરવાના પગલાં નીચે દર્શાવેલ છે.

  • પગલું 1: પાસપોર્ટ સેવા વેબસાઇટની મુલાકાત લો અને “હમણાં રજિસ્ટર” પર ક્લિક કરો.

  • પગલું 2: રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારા સંબંધિત ID નો ઉપયોગ કરીને લોગિન કરો.

  • પગલું 3: "પોલીસ મંજૂરીના પ્રમાણપત્ર માટે અરજી" પસંદ કરો અને ફોર્મ પર રીડાયરેક્ટ કરો. સંબંધિત વિગતો સાથે ફોર્મ ભરો.

  • પગલું 4: "પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ" વિકલ્પ પર ક્લિક કરો અને ચુકવણી કરો.

  • પગલું 5: "એપ્લિકેશન પાવતી પ્રિન્ટ" વિકલ્પ પસંદ કરો. આ એપ્લિકેશન રેફરન્સ નંબર (ARN) સાથેની પાવતી જનરેટ કરશે. તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર SMS દ્વારા નોટિફિકેશન પણ મળશે.

એપોઇન્ટમેન્ટની તારીખે તમારે RPO અથવા PSK ની મુલાકાત લેવાની જરૂરિયાત છે. ઉલ્લેખિત દસ્તાવેજોની ઓરિજીનલ અને ફોટોકોપી સાથે રાખવાનું ભૂલશો નહીં.

પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે આવશ્યક દસ્તાવેજો

પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન માટેના દસ્તાવેજોની સૂચિ અહીં છે-

  • મતદાર આઈડી

  • આધાર નંબર

  • એફિડેવિટ

  • પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)

આ દસ્તાવેજો પાસપોર્ટ જારી થયા પછી પોલીસ વેરિફિકેશન માટે તમારી અરજી સાથે સબમિટ કરવાના રહેશે. જો કે, 18 વર્ષથી નાની ઉંમરના સગીરોને પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવાની જરૂર નથી.

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન સ્થિતી કેવી રીતે તપાસવી?

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન કેવી રીતે કરવામાં આવે છે તે સિવાય બાબતો અપડેટ ટ્રૅક કરવાની પ્રક્રિયા તમારે જાણવી જોઈએ.

સામાન્ય રીતે, પોલીસ વેરિફિકેશનના અલગ-અલગ સ્થિતી જારી કરે છે. તમે પાસપોર્ટ સેવા વેબસાઇટ દ્વારા આ અપડેટને ટ્રૅક કરી શકો છો.

વેરિફિકેશન સ્થિતીના પ્રકારો નીચે આપેલ છે -

  • ક્લિયર- આ સ્થિતી સૂચવે છે કે અરજદારના અહેવાલમાં કોઈ સમસ્યા નથી.

  • પ્રતિકૂળ- આ સ્થિતી દર્શાવે છે કે પોલીસને અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે. આ અરજીને રોકવામાં અથવા રદ કરવામાં પરિણમી શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, અરજદારે સાચી માહિતી આપવી જોઈએ અને તેમાં કોઈપણ ફોજદારી ગૂનાની માહિતી હોવી જોઈએ નહીં.

  • અધૂરી- આ સ્થિતી દર્શાવે છે કે અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી છે. જો પોલીસે વેરિફિકેશન અહેવાલ યોગ્ય રીતે ન ભર્યો હોય તો સ્થિતી અધૂરી બતાવી શકે છે. અમુક કિસ્સાઓમાં, જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તેમના વર્તમાન નિવાસસ્થાનમાં રહેતી ન હોય તો પોલીસ વેરિફિકેશનને અધૂરી ગણાવી શકે છે. 

સફળ વેરિફિકેશન પછી, સંબંધિત પોલીસ અધિકારી અહેવાલ તૈયાર કરશે.

અરજદાર 'પ્રતિકૂળ' અથવા 'અપૂર્ણ' ટિપ્પણી સાથે પ્રકાશિત અહેવાલ પર સ્પષ્ટતા મેળવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

જો કે, એવા કિસ્સાઓ પણ છે જ્યારે પોલીસ વેરિફિકેશન આવશ્યક નથી.

પોલીસ વેરિફિકેશન આવશ્યક ન હોય તેવા નવા પાસપોર્ટ માટેની શરતો

અમુક કિસ્સાઓમાં, વ્યક્તિએ નવી પાસપોર્ટ અરજીઓ માટે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવાની જરૂર નથી. જો કે, આ પાસપોર્ટ કચેરીના નિર્ણય પર નિર્ભર છે.

શરતોમાં સામેલ છે -

  • પાસપોર્ટની મુદત પૂરી થાય તે પહેલાં પાસપોર્ટ માટે ફરીથી અરજી કરવા પર પોલીસ વેરિફિકેશન લાગુ પડતું નથી. અરજદારોએ વાંધો ના હોવાનું પ્રમાણપત્ર (NOC) અને પોલીસ વેરિફિકેશનનો પૂરાવો સબમિટ કરવો જોઈએ.

  • વધુમાં, સરકારી, વૈધાનિક સંસ્થા અથવા PSU કર્મચારીઓ કે જેઓ જોડાણ “B” દ્વારા “ઓળખ પ્રમાણપત્ર” તરીકે ઓળખાતા દસ્તાવેજ સબમિટ કરીને પાસપોર્ટ માટે અરજી કરે છે તેમને પોલીસ વેરિફિકેશનની જરૂર નથી.

  • ડિપ્લોમેટિક અથવા અધિકૃત પાસપોર્ટ ધરાવતા અરજદારોને સામાન્ય પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનની જરૂર નથી. જો કે, તેઓએ જોડાણ “B” દ્વારા ઓળખ પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે.

ઉલ્લેખિત સૂચક તમને પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનમાં શું થાય છે તે અંગેની શંકાઓને દૂર કરવામાં મદદ કરશે. અમે અપડેટ કરેલી વિગતો અને નિયમો જાણવા માટે અધિકૃત પાસપોર્ટ સેવા વેબસાઇટ તપાસવાનું સૂચન કરીએ છીએ.

આ તમને પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરશે.

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો

શું 65+ વર્ષની વયના વરિષ્ઠ નાગરિક અરજદારોને તેમના પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનની જરૂરિયાત છે?

સગીરો, સરકારી કર્મચારીઓ અને 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પોલીસ વેરિફિકેશનની જરૂરિયાત નથી.

પોલીસ વેરિફિકેશન પહેલાના કેસોમાં પાસપોર્ટ ઑફિસને પાસપોર્ટ મોકલવામાં કેટલો સમય લાગે છે?

પાસપોર્ટ કચેરી સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી સામાન્ય અરજીઓ માટે ભલામણ આધારિત પોલીસ વેરિફિકેશન અહેવાલ (PVR) પ્રાપ્ત કર્યા પછી ત્રણ દિવસની અંદર તમને પાસપોર્ટ ડિસ્પેચ કરશે. જો કે, ઈમરજન્સી યોજના હેઠળની અરજીઓ માટે આ લાગુ પડતું નથી.

શું સગીરો માટે પોલીસ વેરિફિકેશન આવશ્યક છે?

ના. 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત નથી.