ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટમાં ECNR શું છે?

1983 ના ઈમિગ્રેશન એક્ટ મુજબ, અમુક ભારતીય પાસપોર્ટ ધારકોએ અમુક દેશોમાં મુસાફરી કરતા પહેલા 'પ્રોટેક્ટર ઑફ ઈમિગ્રન્ટ્સ' ઑફિસમાંથી ઈમિગ્રેશન ક્લિયરન્સ મેળવવું જરૂરી છે.

પાસપોર્ટમાં ECNR શું છે?

પાસપોર્ટમાં ECNR સૂચવે છે કે તમારા પાસપોર્ટ માટે ઇમિગ્રેશન તપાસની જરૂર નથી. જાન્યુઆરી 2007માં કે પછી જારી કરાયેલ નોટેશન વિનાના તમામ પાસપોર્ટ ECNR પાસપોર્ટ છે.

હવે જ્યારે તમે જાણો છો કે ECNR પાસપોર્ટનો અર્થ શું છે, ચાલો તેના પાત્રતા માપદંડ પર આગળ વધીએ.

 

પાસપોર્ટમાં ECNR માટેની પાત્રતા શું છે?

અહીં ECNR માટે પાત્ર અરજદારોની યાાાદી છે -

  • રાજદ્વારી/સત્તાવાર પાસપોર્ટ ધારકો

  • સરકારી કર્મચારીઓ, પત્નીઓ અને આશ્રિત બાળકો

  • આવકવેરા દાતાઓ, તેમના જીવનસાથીઓ અને આશ્રિત બાળકો

  • વ્યવસાયિક ડિગ્રી ધારકો

  • મેટ્રિક અને તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો

  • સતત ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (CDC), અથવા સમુદ્રી લશ્કરી અને અર્ધ સૈનિક 

  • કાયમી ઇમિગ્રેશન વિઝા ધરાવતા લોકો, જેમ કે યુકે, યુએસએ અને ઓસ્ટ્રેલિયા વિઝા

  • નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (SCVT) દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થામાંથી બે કે ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતી વ્યક્તિઓ.

  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ એક્ટ, 1947 હેઠળ માન્યતા પ્રાપ્ત કરેલ નર્સો

  • 50 વર્ષથી વધુ ઉંમરના લોકો

  • જે વ્યક્તિઓ ત્રણ વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહી હોય (કાં તો એક સ્ટ્રેચ અથવા તૂટેલી હોઈ શકે છે) અને તેમના જીવનસાથી

  • 18 વર્ષ સુધીના બાળકો

પાસપોર્ટમાં ECNR માટે ક્યારે અરજી કરવી?

નીચે જણાવેલ કોઈપણ દેશોમાં મુસાફરી કરતા પહેલા તમારે ECNR માટે અરજી કરવાની જરૂર છે -

  • સંયુક્ત આરબ અમીરાત

  • જોર્ડન

  • સાઉદી અરેબિયાનું રાજ્ય

  • કતાર

  • ઈરાક

  • ઈન્ડોનેશિયા

  • બહેરીન

  • મલેશિયા

  • લેબનોન

  • સુદાન

  • યમન

  • બ્રુનેઈ

  • અફઘાનિસ્તાન

  • કુવૈત

  • સીરિયા

  • લિબિયા

  • થાઈલેન્ડ

  • ઓમાન

પાસપોર્ટમાં ECNR માટે કેવી રીતે અરજી કરવી?

તમે આ સરળ પગલાઓમાં ECNR માટે અરજી કરી શકો છો -

  1. અરજી ફોર્મ (EAP-2) ડાઉનલોડ કરો અને વિગતવાર ભરો.

  2. ત્યારબાદ, અરજી જાતે અથવા પ્રતિનિધિ દ્વારા (તમારો હસ્તાક્ષર કરેલ ઓથોરિટી લેટર સાથે) અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા સબમિટ કરો.

ECNR પાસપોર્ટ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

 

ECNR માટે અરજી કરવા માટે વિવિધ પ્રકારના અરજદારો માટે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી હોય છે. 

અહીં તમારા સંદર્ભ માટે ECNR પાસપોર્ટ દસ્તાવેજોની બધી યાદી છે.

 

પાસપોર્ટ ધારકનો પ્રકાર દસ્તાવેજો
સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધારકો માત્ર રાજદ્વારી પાસપોર્ટ જરૂરી છે
જેઓ મેટ્રિક અથવા કોઈપણ ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અભ્યાસના પ્રમાણપત્રો
જેની ઉંમર 50 વર્ષથી વધુ છે જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પરિશિષ્ટ A માં આપેલા નમૂના અનુસાર જન્મ તારીખ અને સ્થળ
18 વર્ષ સુધીના તમામ બાળકો, એકવાર તેઓ 18 વર્ષના થઈ જાય પછી પાસપોર્ટ ફરીથી ઈશ્યૂ કરવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
સીડીસી અથવા કાયમી નિવૃતિ સર્ટિફિકેટ સાથે નાવિક અને સમુદ્રી સૈનિક વિદ્યાર્થી કાયમી નિવૃતિ સર્ટિફિકેટ
જેમની પાસે કાયમી ઈમિગ્રેશન વિઝા છે કાયમી રેસિડેન્ટ કાર્ડ અથવા ઇમિગ્રેશન વિઝાની ફોટોકોપી

અહીં વિશિષ્ટ કેટેગરીના પાસપોર્ટ ધારકો અને તેમના પરિવારના સભ્યો માટે દસ્તાવેજોની બીજી યાદી છે -

સરકારી કર્મચારીઓ

પોતે જીવનસાથી આશ્રિત બાળકો
પરિશિષ્ટ A માં દર્શાવેલ ઓળખ પ્રમાણપત્ર, પરિશિષ્ટ M મુજબ NOC, પરિશિષ્ટ N મુજબ PI લેટર. પરિશિષ્ટ B માં દર્શાવેલ ઓળખ, પરિશિષ્ટ D મુજબ સંયુક્ત એફિડેવિટ, લગ્ન પ્રમાણપત્રની ફોટોકોપી પ્રમાણિત પરિશિષ્ટ B મુજબ ઓળખ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર શાળા છોડવાનું પ્રમાણપત્ર, સરકારી કર્મચારીના પાસપોર્ટની નકલ

આવકવેરા ભરનારાઓ

પોતે જીવનસાથી આશ્રિત બાળકો
આગળના વર્ષમાં સાચે જ આવકવેરા ચુકવણી અને આવકવેરા માટે આકારણીનો પુરાવો, આઇટી રિટર્ન સ્ટેટમેન્ટ (છેલ્લા એક વર્ષના કિસ્સામાં. તેના પર IT સત્તાવાળાઓ દ્વારા સ્ટેમ્પ લગાવેલું જરુરી છે) અને પાન કાર્ડની ફોટોકોપી લગ્ન પ્રમાણપત્રની ફોટોકોપી (પ્રમાણિત) જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર

વ્યવસાયિક ડિગ્રી ધારકો

પોતે જીવનસાથી આશ્રિત બાળકો
વ્યાવસાયિક ડિગ્રીનું પ્રમાણપત્ર લગ્ન પ્રમાણપત્રની ફોટોકોપી (પ્રમાણિત), Annexure D અનુસાર સંયુક્ત સોગંદનામું જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

જેઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે વિદેશમાં હતા

પોતે જીવનસાથી
ECR/ECNR સાથેના પેજ સહિત પાસપોર્ટની ફોટોકોપી લગ્ન પ્રમાણપત્રની ફોટોકોપી (પ્રમાણિત), સંયુક્ત સોગંદનામું Annexure D માં દર્શાવેલ છે

ECNR એપ્લિકેશનની પ્રક્રિયા કરવા માટેનો સમય

સામાન્ય રીતે, ECNR સ્ટેમ્પિંગ પ્રક્રિયા અરજીની તારીખથી લગભગ ત્રણથી ચાર દિવસ લે છે.

પાસપોર્ટમાં ECNR સ્ટેટસ તપાસવા માટે જરૂરી દસ્તાવેજો

તમારી ECNR સ્થિતિ તપાસવા માટે, તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે.

  • ફોર્મ EAP-2 ભરેલું

  • ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા રોકડમાં ₹ 300 ની ફી

  • ઓરીજનલ પાસપોર્ટ

  • સરનામાનો પુરાવો

  • ઉપર જણાવેલ કોઈપણ પાત્રતા માપદંડોને સાબિત કરતી બે નકલો. તે પ્રમાણિત હોવા જોઈએ.

  • તમારા પાસપોર્ટના પ્રથમ ચાર અને છેલ્લા ચાર પેજની બે નકલો

પાસપોર્ટમાંથી ECR સ્ટેમ્પ દૂર કરવાની પ્રક્રિયા શું છે?

જો તમે રોજગાર માટે વિદેશ જવા ઈચ્છો છો, તો તમારે પહેલા તમારા પાસપોર્ટમાંથી ECR સ્ટેમ્પ કાઢી નાખવો પડશે. તેને દૂર કરવાના પગલાં નીચે સૂચિબદ્ધ છે.

  1. પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરો અને વિવિધ સેવામાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.

  2. પછી, Emigration Check Required કાઢી નાખવા માટે વિનંતી કરો.

  3. આગળ, ધોરણ 12 અને ધોરણ 10, કોલેજના પાસિંગ સર્ટિફિકેટની બે ફોટોકોપી આપવી. આ પ્રમાણપત્રો પ્રમાણિત હોવા જરુરી છે.

  4. પછી, સરનામાનો પુરાવો આપવો. જે તમારું મતદાર ID, વીજળી બિલ, ફોન બિલ, લીઝ એગ્રીમેન્ટ વગેરે હોઈ શકે છે.

  5. તમારું PAN કાર્ડ સાથે રાખો.

  6. ₹300 ફી ચૂકવો.

  7. તમારો હાલનો પાસપોર્ટ, ઉપરાંત પ્રથમ અને છેલ્લા ચાર પેજની બે ફોટોકોપી સબમિટ કરો.

  8. છેલ્લે, નજીકની પાસપોર્ટ ઓફિસ પર જાઓ અને જરૂરી દસ્તાવેજો સાથે તમારું ફોર્મ સબમિટ કરો.

આ નિર્દેશોને ધ્યાનમાં રાખવાથી તમને તમારા પાસપોર્ટમાં ECNR ને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.

ENCR વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો તમે નિવૃતી માટે વિદેશ જાવ તો શું તમારે ECR સ્ટેમ્પ લેવાની જરૂર છે?

ના, રોજગાર સિવાયના અન્ય હેતુ માટે વિદેશમાં મુસાફરી કરતા ભારતીય પાસપોર્ટ ધારકોને ECR સ્ટેમ્પ મેળવવાની જરૂર નથી, જે 1લી ઓક્ટોબર 2007 થી લાગુ છે.

 

શું તમે ઇમરજન્સી ECNR મેળવી શકો છો?

હા, એરપોર્ટ પરના ઈમિગ્રેશન અધિકારીઓ ઈમરજન્સીના કેસમાં છૂટ આપી શકે છે. તમારે ઈમિગ્રેશન ઓફિસરને શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો અથવા તમારા સૌથી તાજેતરના આવકવેરા રિટર્ન જેવા દસ્તાવેજો રજુ કરવાના હોય છે.

 

પાસપોર્ટમાં ECNR નો અર્થ શું છે?

પાસપોર્ટમાં ECNR સૂચવે છે કે તમારે તમારા પાસપોર્ટ માટે ઇમિગ્રેશન ચેકની જરૂર નથી.