ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Premium Starting ₹225 only*

ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી દેશો

આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતી વખતે આપણા મગજમાં પ્રથમ વિચાર એ જ આવે કે પહેલા તો વિઝા માટે અરજી કરવી પડશે. તમે જે દેશની મુલાકાત લેવા માંગો છો તેની વિઝા પ્રણાલી વિશે જાણવા કલાકો ઓનલાઈન સર્ચિંગમાં બગડે છે.

પરંતુ શુ તમે જાણો છો કે ઘણા દેશોમાં ભારતીયોએ મુસાફરી કરવા વિઝાની જરૂર નથી અને કેટલાક અન્ય દેશોમાં તમે વિઝા-ઓન-અરાઈવલનો લાભ લઈ શકો છો ?

હા. આ સાચી વાત છે !

હેનલી અને પાર્ટનર્સના પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, માર્ચ 2023 સુધીમાં ભારતીય પાસપોર્ટ ધારકો અનેક દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે અથવા વિઝા-ઓન-અરાઈવલનો લાભ લઈ શકે છે. ભારતીયો નીચે દર્શાવેલ દેશોની યાદીમાં ઈ-વિઝા/એન્ટ્રી પરમિટ સાથે પણ મુસાફરી કરી શકે છે. હાલમાં ભારતીય પાસપોર્ટ મુસાફરીની સ્વતંત્રતા(Freedom of Travel)ના સંદર્ભમાં વિશ્વમાં 84મા ક્રમે છે.

તો આવો જાણીએ ભારતીય પાસપોર્ટ ધારકો કયા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે?  આ રહી યાદી(આ રહ્યું લિસ્ટ)...!

ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી દેશોની 2023નું લિસ્ટ

આ દેશોમાં ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકે છે :

1. અલ્બાનિયા 15. માઇક્રોનેશિયા
2. બારબાડોસ 16. મોન્ટસેરાત
3. ભૂટાન 17. નેપાળ
4. બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ 18. નિયુ
5. કૂક આઈસલેન્ડ 19. ઓમાન
6. ડોમિનિકા 20. કતાર
7. ઈલ-સાલ્વાડોર 21. સેનેગલ
8. ફિજી 22. સેન્ટ કિટ્સ અને નેવિસ
9. ગ્રેનાડા 23. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ
10. હાઈતિ 24. શ્રીલંકા
11. જમૈકા 25. ત્રિનિડાડ અને તોબાગો
12. કઝાકિસ્તાન 26. તુનિસિયા
13. મકાઉ(સર ચાઈના/ચીન) 27. થાઈલેન્ડ
14. મોરેશિયસ 28. વાનુઆટુ

ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઈવલ/ઈ-વિઝા દેશોની 2023ની યાદી

સામાન્ય રીતે વિઝા-ઓન-અરાઇવલ મેળવવા માટે ઇમિગ્રેશન અધિકારીઓ મુસાફરોના પાસપોર્ટ, તેમના બાયોમેટ્રિક્સ ચકાસે છે, જરૂરી ફી વસૂલાય છે અને ત્યારબાદ વિઝા પરમિટ આપવામાં આવે છે. ઑન-અરાઇવલ વિઝા દેશમાં પ્રવેશના મુખ્ય પોઈન્ટસ પર વિઝા જારી કરવામાં આવે છે તેથી આગોતરી સમજ કેળવી લેવી અને જાણી લેવું કે ત્યાં પહોંચો ત્યારે વિઝા ક્યાં આપવામાં આવશે અને શું પ્રક્રિયા છે.

ભારતીયો માટે 2015માં પાત્ર દેશોની સુધારેલા લિસ્ટ સાથે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) સુવિધા 2014માં કાર્યરત થઈ હતી. નીચે જણાવેલ યાદીમાં તમે 2023માં ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા આપતા દેશોનો ઉલ્લેખ કર્યો છે :

29. બોલાવિયા 45. મોરિટાનિયા
30. બોટસ્વાના 46. મોઝામ્બિ
31. બુરૂંદી 47. મ્યાનમાર
32. કમ્બોડિયા 48. પાલાઉ આઈસલેન્ડ
33. કેપ વર્ડે આઈસલેન્ડ 49. રવાન્ડા
34. કોમોરો આઈસલેન્ડ 50. સામોઆ
35. ઈથોપિયા 51. સેશેલ્સ
36. ગેબોન 52. સિયેરા લિઓની
37. ગિની-બિસાઉ 53. સોમાલિયા
38. ઈન્ડોનેશિયા 54. સેન્ટ લુસિયા
39. ઈરાન 55. તંઝાનિયા
40. જોર્ડન 56. ટીમોર-લેસ્ટે
41. લાઓસ 57. ટોગો
42. મેડાગાસ્કર 58. ટુવાલુ
43. માલદીવ 59. ઉગાન્ડા
44. માર્શન આઈસલેન્ડ 60. ઝિમ્બાવે

ભારતીય પાસપોર્ટ ધારકોને ઈ-વિઝાની સુવિધા આપતા દેશોની યાદી

61. અંગોલા

74. મલેશિયા

62. એન્ટીગુઆ અને બર્મુડા

75. મોલડોવા

63. ઓસ્ટ્રેલિયા

76. મોરક્કો

64. અઝરબૈજાન

77. રશિયા

65. બહેરીન

78. સાઓ ટોમ અને પ્રિન્સિપે

66. બેનિન

79. સિંગાપોર

67. કોલ્મબિયા

80. સુરિનેમ

68. ડિજીબુટી

81. તાઈવાન

69. જ્યોર્જિયા

82. તાજિકિસ્તાન

70. કેન્યા

83. તુર્કિયે

71. કુવૈત

84. ઉઝબેકિસ્તાન

72. કિર્ગિસ્તાન

85. વિયેતનામ

73. લેસોથો

86. ઝામ્બિયા

તમે કયા પ્રકારના વિઝા મેળવી શકો છો?

 

વિઝા કેમ જરૂરી/અનિવાર્ય છે ?

વિદેશીઓને સરકાર દ્વારા સંબંધિત દેશની મુલાકાત લેવા માટે પરવાનગી આપતા જારી કરવામાં આવતા આ દસ્તાવેજો છે. પાસપોર્ટ તમારા દેશની ઓળખનો પુરાવો છે જ્યારે તેનાથી વિપરીત વિઝા થકી તમને કેટલાક દિવસ કે અમુક નિશ્ચિત સમય સુધી વિદેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

લગભગ તમામ દેશોએ તેમની વિઝા પ્રોસેસ માટે 4 પ્રકારના નિયમો રજૂ કર્યા છે, જે નીચેના ટેબલમાં સમજાવવામાં/વર્ણવામાં આવ્યા છે :

વિઝાના પ્રકાર વિગવગાર માહિતી
વિઝા-ફ્રી- વિઝા-ફ્રી એટલે નામની જેમ જ તમે વિઝા મેળવ્યા વિના કોઈપણ દેશની મુલાકાત લઈ શકો છો. બે દેશો વચ્ચે સરકારો દ્વારા સમાન કરાર કરવામાં આવેલ હોય અથવા જે દેશની મુલાકાત લઈ રહ્યો હોય તેણે એકપક્ષીય રીતે વિદેશી નાગરિકો માટે પોતાની સરહદો ખુલ્લી મુકી હોય.
વિઝા ઓન-અરાઈવલ દેશના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર ઈશ્યુ કરવામાં આવતા વિઝાને ઓન-અરાઇવલ વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. મુલાકાતીઓને વિઝા આપવાની સમગ્ર પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા પોર્ટ ઓફ એન્ટ્રી પર કરવામાં આવે છે અને ત્યાં જ પૂર્ણ કરવામાં આવે છે.
ઈ-વિઝા ઇ-વિઝા દેશના ઇમિગ્રેશન અધિકારી દ્વારા ઓનલાઇન જારી કરાયેલા ઓફિશિયલ દસ્તાવેજો છે, જે મુલાકાતીઓને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. દેશના એમ્બેસી/દૂતાવાસ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા આ એક સામાન્ય રેયુલર પેપર-આધારિત વિઝા વિકલ્પ છે.
એન્ટ્રી પરમિટ અમુક દેશો વિઝાને બદલે તેમના મુલાકાતીઓને એન્ટ્રી પરમિટ આપે છે. આ એન્ટ્રી પરમિટ એક દસ્તાવેજ છે, જે વિદેશીઓને ચોક્કસ સમયગાળા માટે કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની અને રહેવાની મંજૂરી આપે છે.

શું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે?

હા! મુસાફરો માટે વિશ્વભરના આ 34 દેશોમાં મુસાફરી વીમો(Travel Insurance) ફરજિયાત છે. આ ઇન્સ્યોરન્સની જરૂરિયાત જે-તે દેશના ઉંચા હેલ્થકેર ખર્ચને જોતા જરૂરી છે. આ સિવાય તમારી મુસાફરી દરમિયાન પરદેશમાં અજાણ્યા-અગમ્ય કારણોસર ઉભી થતી નાણાંકીય જવાબદારી સામેનું સુરક્ષા કવચ આપે છે. તો તમારે આ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે નહિ ?

ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીઓના ઘણા ફાયદા છે જેનો તમે લાભ લઈ શકો છો. જેમકે,

  • મેડિકલ ઈમરજન્સી માટે કવરેજ - તમારી ટ્રીપ દરમિયાન આકસ્મિક અથવા બીમારી સંબંધિત અમુક વખત એવી પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે જેમાં તમને ઈમરજન્સી મેડિકલ મદદની જરૂર પડી શકે છે. આ કટોકટીની સ્થિતિમાં તમારા હોસ્પિટલ બિલ અને સારવાર માટેના ખર્ચ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવાશે.
  • ટ્રીપ કેન્સલેશન અથવા ફ્લાઇટમાં વિલંબ - ફ્લાઇટ મોડી પડવી, મિસ કનેક્શન અથવા સંપૂર્ણ ટ્રિપ કેન્સલેશનને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે.
  • સામાનમાં વિલંબ/નુકશાન - તમે તમારું વેકેશન શરૂ કરવા માટે રાહ જોઈ શકતા નથી પરંતુ તમારા ચેક-ઇન કરેલા સામાનમાં વિલંબ થયો તો..? આ પરિસ્થિતિઓ દરમિયાન તમારી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા સામાનના વિલંબ અથવા નુકશાન અથવા ડેમેજ માટે નાણાંકીય વળતર પ્રદાન કરી શકે છે.
  • વોલેટના નુકસાન સામે રક્ષણ - તમારા વોલેટ/પાકીટની ચોરી કે નુકશાની એ વિદેશ પ્રવાસ દરમિયાન ઉદ્ભવતી સૌથી મહત્વની અને સામાન્ય સમસ્યાઓમાંની એક છે. તમારી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી આવી પરિસ્થિતિઓમાં અટવાયેલા ન રહો અને મોજ માણી શકો તે માટે ફાઈનાન્શિયલ ઈમરજન્સી કેશ/રોકડ પ્રદાન કરે છે.
  • લંબાવેલ અથવા રદ્દ કરેલ મુસાફરી માટે કવર - હડતાલ, રમખાણો, કુદરતી આફતો અને અન્ય ભયજનક ઘટનાઓના કિસ્સામાં તમારી મુસાફરીનો સમયગાળો અવરોધાઈ શકે છે. આવી ઈમરજન્સી પરિસ્થિતિમાં તમે મુસાફરી અધવચ્ચે છોડીને પરત ફરશો અથવા તો તેને ના છૂટકે લંબાવવાની ફરજ પડી શકે છે. આ સ્થિતિમાં તમારે ખર્ચની ચિંતા કરવાની રહેતી નથી કારણકે તમારો તમારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કેન્સલ કરેલ અથવા લંબાવેલી ટ્રિપના ખર્ચને પણ આવરી લે છે.
  • બાઉન્સ્ડ બુકિંગ - શું તમને ક્યારેય તમામ અકોમોડેશન અને ઈવેન્ટ બુકિંગ માટે તમારા મુસાફરીના સ્થળે પહોંચ્યા બાદ જાણ થઈ છે તમે નક્કી કરેલ હોટલ કે અન્ય રહેઠાણના સ્થળો ઓવરબુક થઈ ગયા છે અને તમારૂં બુકિંગ બાઉન્સ થઈ ગયું છે ? આ પ્રકારની નિરાશ કરનારી પરિસ્થિતિઓમાં બાઉન્સ બુકિંગ કવર સાથેનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમારો દિવસ કે ટ્રીપ બચાવી શકે છે!

 તેથી, જો તમે તમારી મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હોવ, તો શરૂઆતથી જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો જ શ્રેષ્ઠ વિકલ્પ છે! બજારમાં ઘણા બધા પ્લાન્સ ઉપલબ્ધ છે તેથી પોલિસી ખરીદવા પહેલા, કોઈપણ ચૂકવણી કરતા પહેલા તમારે અફોર્ડેબલ ખર્ચ સાથે શ્રેષ્ઠ લાભો મેળવવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીની તુલના અવશ્ય કરવી જોઈએ.

 

નોંધ: દરેક દેશ માટે વિઝા જરૂરિયાતો બદલાતી રહે છે. તેથી અવશ્ય ખાતરી કરો કે તમે કોઈપણ ટ્રાવેલ બુકિંગ કરતા પહેલા ચોક્કસ જે-તે દેશની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ પાસપોર્ટ અને વિઝા જરૂરિયાતો ચકાસો.

ભારતીયો માટે વિઝા-ફ્રી દેશો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી એક સમાન છે?

ના, ભારતીય નાગરિક પાસે રહેલા પાસપોર્ટના પ્રકારને આધારે વિઝા-ફ્રી પ્રવેશ ધારાધોરણો બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે રાજદ્વારી(Diplomatic) અને ઓફિશિયલ પાસપોર્ટ ધારકો માટે અલગ અલગ એન્ટ્રી જરૂરિયાતો હોઈ શકે છે.

વિઝા-ફ્રી દેશો માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

વિઝા ફ્રી મુસાફરી કરતી વખતે પણ તમારી પ્રસ્થાન તારીખના છ મહિના પછી તમારે માન્ય કરેલ પાસપોર્ટ અને તમે જે દેશમાં જઈ રહ્યા છો તેના દ્વારા ફરજિયાત કરાયેલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ સાથે રાખવો જોઈએ. તમારે આગળની મુસાફરી (આંતરિક મુસાફરી, ફ્લાઇટ ટિકિટ, વગેરે)ના પુરાવા તરીકે, રસીકરણ સર્ટિફિકેટ વગેરે રજૂ કરવાની પણ જરૂર પડી શકે છે. આથી તમારે ખાતરી કરવી કે દેશમાં પ્રવેશવા માટે તમે લઘુત્તમ જરૂરી પાત્રતા માપદંડોમાં બંધ બેસો છો.

શું ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી ગેરન્ટેડ છે?

ભારતીય નાગરિકો વિઝા વિના વિદેશની મુલાકાત લઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે દેશમાં પ્રવેશવાની ગેરન્ટી દરેક ભારતીયને મળી જ જાય. જો તમે લઘુત્તમ પ્રવેશ આવશ્યકતાઓને પૂર્ણ કરતા નથી અથવા ઇમિગ્રેશન અધિકારીને તમારા પર કોઈપણ કારણોસર શંકા થાય તો દેશમાં તમારા પ્રવેશના હક્કને નકારી શકાય છે.

શું વિઝા-ફ્રી દેશોમાં ભારતીયો વિઝા વિના જ અનિશ્ચિત સમય સુધી રહી શકે છે?

ના, વિઝા-ફ્રી દેશોમાં મુસાફરો મર્યાદિત દિવસ સુધી જ રોકાઈ શકે છે. આ નિર્ધારિત સમયગાળો દરેક દેશ માટે બદલાતો હોવાથી મુસાફરી કરતા પહેલા દરેક દેશની પ્રવેશ જરૂરિયાતો ચકાસવી અતિ મહત્વપૂર્ણ છે.

શું ભારતીય નાગરિક વિઝા-ફ્રી દેશોમાં વિઝા વિના જ કામ કે અભ્યાસ કરી શકે છે?

ના, વિઝા-ફ્રી પ્રવેશ સામાન્ય રીતે માત્ર પ્રવાસન અથવા ટૂંકા ગાળાની મુલાકાતો માટે જ હોય છે. જો ભારતીય નાગરિક આ દેશોમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા હોય તો તેઓએ યોગ્ય વિઝા પ્રકાર હેઠળ અરજી કરવાની જરૂર પડશે.