ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતીયો માટે મોરેશિયસ વિઝા

ભારતીય નાગરિકો માટે મોરેશિયસ વિઝા વિશે અલ્ટિમેટ માર્ગદર્શિકા

શું તમે મોરેશિયસમાં એક સુંદર ફેમિલી વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો? તમે ટ્રીટ માટે તૈયાર છો!

મોરેશિયસ એક નાનો દેશ છે, જે દિલ્હી કરતાં લગભગ દોઢ ગણો જ મોટો છે. તેમ છતાં, તે ભારતીય પ્રવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. 

તમે આ સ્વર્ગ સમાન સ્થાન પર તમારું હનીમૂન પસાર કરવા માંગતા હોવ અથવા ફક્ત મિત્રો સાથે આનંદ માણવા માંગતા હો, તમે મોરેશિયસ કરતાં વધુ સારું સ્થળ પસંદ કરી શકતા નથી. જોકે, બેગ પેક કરતા પહેલા, ભારતીયો માટેના મોરેશિયસ વિઝા પર થોડો વિચાર કરો. આ પેપરવર્ક વ્યવસ્થિત રીતે કરવાથી ટ્રિપ પરની તમારી પરેશાનીમાં નોંધપાત્ર ઘટાડો થવો જોઈએ.

શું ભારતીયોને મોરેશિયસ જવા માટે વિઝાની જરૂર છે?

હા, મોરેશિયસની મુસાફરી કરતા ભારતીય પાસપોર્ટ ધારકોને દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે.

શું ભારતીયો માટે મોરેશિયસમાં વિઝા ઓન અરાઈવલ/ઈ-વિઝા ઉપલબ્ધ છે?

હા, ભારતથી મોરેશિયસ જવા માંગતા ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની જોગવાઈ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાસ્તવમાં, મોરેશિયસ ટૂરિસ્ટ વિઝા શોધી રહેલા ભારતીયો માટે એક જ વિકલ્પ છે- વિઝા ઓન અરાઈવલ. ભારતીયો તેમની ટ્રિપ શરૂ થાય તે પહેલા વિઝા મેળવી શકતા નથી.

તમે મોરેશિયસ એરપોર્ટ પર આવીને ત્યાંના ઈમિગ્રેશન ડેસ્ક પરથી તમારા વિઝા દસ્તાવેજ લઈ શકો છો.

ભારતીય નાગરિકો માટે મોરેશિયસ વિઝા ફી

પ્રવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારતીયો માટે મોરેશિયસ વિઝા સંપૂર્ણપણે મફત છે. આનો અર્થ એ છે કે ભલે તમારે રાષ્ટ્રમાં સત્તાવાર રીતે પ્રવેશતા પહેલા તમારા વિઝા દસ્તાવેજો લેવાની જરૂર હોય પરંતુ તમારે વિઝા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

 

ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી દેશો વિશે વધુ જાણો.

ભારતીય નાગરિકો માટે મોરેશિયસ વિઝા માટે જરૂરી દસ્તાવેજો

જોકે, ફક્ત જરૂરિયાતોને સમજવું પૂરતું નથી. તમારે અમુક દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જે મોરેશિયસમાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે મુશ્કેલીરહિત વિઝા ઓન અરાઈવલ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. નીચેની સૂચિ પર એક નજર નાખો: 

  • તમામ જરૂરી માહિતી અને વિગતો સાથે ભરેલું વિઝા ફોર્મ
  • બે તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ
  • મોરેશિયસની મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા 6 વધુ મહિના માટે માન્ય હોય તેવો પાસપોર્ટ.
  • જો તમે મોરેશિયસથી અન્ય સ્થળની મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારે તે રાષ્ટ્ર માટે માન્ય વિઝા દર્શાવવો આવશ્યક છે. અથવા તમારે કન્ફર્મ રિટર્ન ફ્લાઈટ ટિકિટો દર્શાવવાની જરૂર પડશે.
  • આવાસની તમામ વિગતો, જેમાં રૂમ બુકિંગની રસીદો અને અન્ય વિગતો સામેલ હોવી જોઈએ
  • જો કોઈ મોરિશિયન નાગરિક દેશમાં તમારા રોકાણને સ્પોન્સર કરી રહ્યો હોય, તો તમારે પ્રાયોજક તરફથી તે અંગેનો પત્ર બતાવવાની જરૂર પડશે. વધુમાં, આ સ્પોન્સરશિપ પત્રમાં નાગરિકનું સરનામું અને સંબંધનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે.
  • દેશમાં રહીને વિવિધ ખર્ચાઓને આવરી લેવા માટે પૂરતા ભંડોળનો પુરાવો 
  • બેંક સ્ટેટમેન્ટ પણ જરૂરી હોઈ શકે છે

મોરેશિયસમાં વિઝા ઓન અરાઈવલ માટે કેવી રીતે અરજી કરવી?

પ્રવાસ માટે મોરેશિયસની મુલાકાત લેતી વખતે ભારતીયોએ લાંબી, જટિલ અને કડક વિઝા અરજી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. હકીકતમાં, અનુસરવા માટે કોઈ પ્રી-રજીસ્ટ્રેેશન પ્રક્રિયા નથી. તમારે ટ્રિપ પર તમામ જરૂરી દસ્તાવેજો સાથે લેવા જોઈએ અને એરપોર્ટ ઈમિગ્રેશન વિભાગમાંથી આગમન પર વિઝા મેળવવા જોઈએ.

મોરેશિયસમાં ભારતીય દૂતાવાસ

મોરેશિયસ એકંદરે સુરક્ષિત દેશ છે, જે આંતરિક ઝઘડા, આતંકવાદ કે અન્ય કોઈપણ ખતરાથી ફ્રી છે. તેમ છતાં, રાષ્ટ્રમાં ભારતીય દૂતાવાસનું સરનામું અને સંપર્ક વિગતો નોંધવી એ એક શાણપણભર્યું પગલું છે. 

  • સરનામું - ભારતીય હાઈ કમિશન, 6ઠ્ઠો માળ, એલએલસી બિલ્ડિંગ, પ્રેસ. જ્હોન કેનેડી સ્ટ્રીટ, પીઓ બોક્સ 162, પોર્ટ લુઇસ, મોરિશિયસ.
  • કોન્ટેક્ટ નંબર - +(230) 208 3775/76, 208 0031, 211 1400
  • કામના કલાકો - સોમવારથી શુક્રવાર સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી

કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં, ખાતરી કરો કે તમે દૂતાવાસના પ્રતિનિધિ સાથે સંપર્ક કરો છો.

જો તમે તમારી મોરેશિયસ મુસાફરી દરમિયાન ઇમરજન્સીના નાણાકીય જોખમને ઓછું કરવા માંગતા હો, તો ઇન્શ્યુરન્સ પોલિસી પસંદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

શું તમારે મોરેશિયસ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવી જોઈએ?

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એક આવશ્યકતા છે. મોરેશિયસ મુસાફરી માટે ફરજિયાત ન હોવા છતાં, આવા કવર ખરીદવાથી તમારા નાણાકીય જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

જો તમે વિચારો છો કે મોરેશિયસ ટ્રાવેલ ઇન્શ્યુરન્સની કોઈ જરૂર નથી, તો એક વખત ફરી વિચારો!

ઇન્ટરનેશનલ સ્થળોએ મેડિકલ સહાયનો ખર્ચ ભારતમાં થતા ખર્ચ કરતા વધુ મોંઘો છે. તેથી, બીમારીઓ અને ઇજાઓ તમારા ખિસ્સા પર ગંભીર અસર પાડી શકે છે, ખાસ કરીને જ્યારે તમે મોરેશિયસમાં હોવ. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન આવા બિનઆયોજિત ખર્ચને ઘટાડવાનો સૌથી સહેલો પહેલો રસ્તો છે.

આવી પોલિસીઓ માત્ર મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં જ નાણાકીય સહાય પૂરી પાડતી નથી પરંતુ ટ્રાન્ઝિટ અને પાસપોર્ટમાં ગુમ/ચોરાયેલા સામાનને પણ આવરી લે છે. વધુમાં, પ્રતિષ્ઠિત પ્રદાતાઓ, જેમ કે ડિજિટ તેમના ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન હેઠળ ટ્રિપ કેન્સલેશન કવર પણ ઓફર કરે છે. જો તમારે છેલ્લી ક્ષણે આયોજિત વેકેશન મુલતવી રાખવાની જરૂર હોય તો આ પોલિસી કવરથી નાણાકીય બોજ ઓછો થાય છે.

ભારતીય નાગરિકો માટેના મોરેશિયસ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મોરેશિયસમાં મારા રોકાણને 60 દિવસથી વધુ લંબાવી શકું?

વિઝા ઓન અરાઈવલ વિઝા ધરાવતા પ્રવાસીઓ મોરેશિયસમાં મહત્તમ 60 દિવસ રોકાવા માટે પ્રતિબંધિત છે. જોકે જો તમે લાંબા સમય સુધી રહેવા માંગતા હોવ તો તમે એક્સ્ટેંશન માટે અરજી કરી શકો છો. આવા કિસ્સામાં, તમારે અલગ વિઝાની જરૂર પડશે.

મારો પાસપોર્ટ ત્રણ મહિનામાં સમાપ્ત થવાનો છે. શું હું મોરેશિયસના વિઝા ઓન અરાઈવલ માટે પાત્ર છું?

ના. મુલાકાતીઓ પાસે મોરેશિયસ મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોય તેવો પાસપોર્ટ હોવો જરૂરી છે. આ નિયમ પાલનમાં નિષ્ફળતાથી બચવા સંભવિત પ્રવાસીઓએ પ્રથમ તો તેમની ટ્રિપ પહેલાં પાસપોર્ટ રિન્યુઅલ માટે અરજી કરવી જોઈએ.

શું હું મોરિશિયસના વિઝા ઓન અરાઈવલ માટે ઓનલાઈન અરજી કરી શકું?

ના. પ્રવાસીઓએ મોરેશિયસના વિઝા ઓન અરાઈવલ માટે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તેઓએ ફક્ત દેશના એરપોર્ટ પર જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવાના રહેશે અને સંબંધિત સત્તાધિકારી પાસેથી વિઝા લેવાના રહેશે.