હેલ્થ ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઇન્સ્યોરન્સ પર જાઓ.

કોરોના વાયરસ હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે?

એક કોરોનાવાયરસ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક એવો કસ્ટમાઇઝ્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ છે જે કોવિડ-19 ને કારણે થતાં હોસ્પિટલાઇઝેશન અને સારવારના ખર્ચાને કવર કરવા માટે સમર્પિત છે. ભારતમાં પસંદ કરવા માટે વિવિધ પ્રકારના કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે; જેમ કે કોરોના રક્ષક કવર, કોરોના કવચ પૉલિસી અથવા તેનાથી પણ વધુ સારૂં તમે એક કોમ્પ્રિહેન્સીવ હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવી શકો છો જે માત્ર કોરોનાવાયરસ જ નહીં પરંતુ બીજી બિમારીઓ, રોગોને પણ કવર કરે છે અને હેલ્થકેરના લાભો આપે છે.

ભારતમાં કોરોનાવાયરસ (કોવિડ-19) માટે હેલ્થ ઇન્સ્યોરન્સ

2020 ઇતિહાસમાં નિર્ણાયક સમય તરીકે યાદ કરવામાં આવશે. આપણે બધા અજ્ઞાત પરિસ્થિતિઓથી લઈને અત્યંત ભયભીત થવા સાથે હવે તેની સાથે કેવી રીતે જીવવું તે શીખવા માટે તૈયાર થયા છીએ. આજે આપણે બધા કહીએ છીએ તેમ આ નવી પણ સામાન્ય બાબત છે. આપણે આરોગ્ય અને સમૃદ્ધિ બંનેમાં સૌથી સારી સ્થિતિમાં છીએ તેની ખાતરી કરવા માટે જરૂરી સાવચેતી રાખવી હવે પહેલા કરતાં વધુ નિર્ણાયક છે.

કોરોનાવાયરસ માત્ર એક ચેપી વાયરસને જીવંત બનાવ્યો નથી પરંતુ, નાણાકીય અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક મંદી જેવા અન્ય પરિણામો પણ લાવ્યા છે. દેખીતી રીતે આનો અર્થ એ છે કે તમારે ફક્ત તમારી જાતને વાયરસ અને અન્ય બીમારીઓથી બચાવવાની જરૂર નથી પરંતુ, તમે આર્થિક રીતે સુરક્ષિત છો તેની પણ ખાતરી કરો.

તેથી જ, આજે પહેલા કરતાં વધુ; COVID-19 માટે health insurance મેળવવો એ તમારા માટે તમારા હાથ ધોવા જેટલું જ જરૂરી છે! કોરોનાવાયરસ હેલ્થ ઇન્સ્યોરન્સ તમને તમારા આરોગ્યનીસંભાળ લેવાના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે આવા સમયે તમને કોઈપણ નાણાકીય કટોકટીનો સામનો કરવો ન પડે.

આજે, કોવિડ-19ને આવરી લેતી ઘણી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ છે. જ્યારે કેટલીક હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ કોરોનાવાયરસ સહિતની તમામ બીમારીઓને આવરી લેવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે, તેમાંની કેટલીક જેમ કે Corona Kavach માત્ર કોરોનાવાયરસ સંબંધિત સારવારને આવરી લેવા માટે જ છે.

તમારી આરોગ્યસંભાળ અને નાણાકીય જરૂરિયાતોને આધારે, તમે નીચે તેમાંથી દરેક વિશે વધુ જાણી શકો છો, તમારી પસંદગીઓનું મૂલ્યાંકન કરી શકો છો અને તે મુજબ યોગ્ય નિર્ણય લઈ શકો છો.

ડિજીટ હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા સઇનીયર સિટીઝનને કયા વિશિષ્ટ લાભો પ્રાપ્ત થાય છે?

સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી લઈને દાવા કરવા સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત છે! દાવાઓ માટે પણ કોઈ હાર્ડ કોપી જરૂરી નથી!

કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ નથી - અમારો હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ સાથે આવે છે. આનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય ઇન્સ્યોરન્સના દાવા દરમિયાન, તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

કોઈ રૂમ ભાડા પર પ્રતિબંધ નથી - અમે સમજીએ છીએ કે દરેકની અલગ-અલગ પસંદગીઓ હોય છે. એટલા માટે અમારી પાસે રૂમ ભાડા પર પ્રતિબંધ નથી. તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરો.

SI વૉલેટ બેનિફિટ  - જો તમે પૉલિસી સમયગાળા દરમિયાન તમારી ઇન્સ્યોરન્સની રકમ સમાપ્ત કરો છો, તો અમે તેને તમારા માટે રિફિલ કરીએ છીએ.

કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવો - રોકડ રહિત સારવાર માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો.

વેલનેસ બેનિફિટ - ટોપ-રેટેડ હેલ્થ અને વેલનેસ પાર્ટનર્સ સાથે મળીને ડિજિટ ઍપ પર એક્સક્લુઝિવ વેલનેસ બેનિફિટ મેળવો.

અમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે?

કવરેજ

ડબલ વૉલેટ પ્લાન

અમર્યાદિત વૉલેટ પ્લાન

વિશ્વવ્યાપી સારવાર યોજના

મહત્વપૂર્ણ સુવિધાઓ

અકસ્માત, માંદગી, ગંભીર બીમારી અથવા કોવિડને કારણે તમામ હોસ્પિટલમાં દાખલ થવા માટે

આમાં બીમારી, અકસ્માત, ગંભીર બીમારી અથવા તો કોવિડ 19 જેવા રોગચાળા સહિતના તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. જ્યાં સુધી કુલ ખર્ચ તમારી ઇન્સ્યોરન્સ રકમ સુધી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ બહુવિધ હોસ્પિટલમાં દાખલ થવા માટે કરી શકાય છે.

પ્રારંભિક વેઈટિંગ પિરિયડ

કોઈપણ બિન-આકસ્મિક બીમારી સંબંધિત સારવાર માટે તમારે તમારી પોલિસીના પ્રથમ દિવસથી નિર્ધારિત સમયગાળાની રાહ જોવી પડશે. આ પ્રારંભિક વેઈટિંગ પિરિયડ છે.

વેલનેસ પ્રોગ્રામ

ઘરે હેલ્થકેર, ફોન પર કન્સલ્ટેશન, યોગા અને માનસિક શાંતિ જેવા વિશિષ્ટ વેલનેસ બેનિફિટ અને બીજા ઘણા બધા અમારી ઍપ પર ઉપલબ્ધ છે.

ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ

અમે બેક-અપ માટેની ઇન્સ્યોરન્સની રકમ પૂરી પાડીએ છીએ જે તમારી ઇન્સ્યોરન્સની રકમના 100% છે. ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ કેવી રીતે કાર્ય કરે છે? ધારો કે તમારી પોલિસીની ઇન્સ્યોરન્સની રકમ રૂ. 5 લાખ છે. તમે રૂ. 50,000 નો દાવો કરો. ડિજીટ આપોઆપ વોલેટ લાભને ધ્યાનમાં લે છે. તેથી તમારી પાસે હવે વર્ષ માટે 4.5 લાખ + 5 લાખ ઇન્સ્યોરન્સની રકમ ઉપલબ્ધ છે. જો કે, એક જ દાવો, ઉપરોક્ત કિસ્સામાં, 5 લાખની બેઝ ઇન્સ્યોરન્સ રકમ કરતાં વધુ હોઈ શકતો નથી.

પોલિસીના સમયગાળામાં એક વખત સંબંધિત અને અસંબંધિત બીમારી હોય તેના માટે કોઈ એક્ઝોશન ક્લોઝ નથી સમાન વ્યક્તિને પણ આવરી લે છે.
પોલિસીના સમયગાળામાં સંબંધિત અને અસંબંધિત બીમારી માટે અમર્યાદિત વખત પૂર્વવત કરવા કોઈ એક્ઝોશન કલમ નથી સમાન વ્યક્તિને પણ આવરી લે છે.

સંચિત બોનસ
digit_special Digit Special

પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો નથી? તમને બોનસ મળે છે-સ્વસ્થ રહેવા અને દાવા મુક્ત રહેવા માટે તમારી કુલ ઇન્સ્યોરન્સની રકમમાં વધારાની રકમ મળે છે!

દરેક દાવા મુક્ત વર્ષ માટે મૂળ ઇન્સ્યોરન્સની રકમના 10%, મહત્તમ 100% સુધી.
દરેક દાવા મુક્ત વર્ષ માટે મૂળ ઇન્સ્યોરન્સની રકમના 50%, મહત્તમ 100% સુધી.

રૂમ ભાડાની મર્યાદા

રૂમની વિવિધ શ્રેણીઓનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજીટ પ્લાન તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે, જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્સની રકમથી ઓછું હોય.

ડે કેર પ્રક્રિયાઓ

હેલ્થ પ્લાન ફક્ત 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. ડે કેર પ્રક્રિયાઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારનો સંદર્ભ આપે છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી પ્રક્રિયાઓ જેમ કે મોતિયો, ડાયાલિસિસ વગેરે છે જેના કારણે 24 કલાકથી ઓછા સમયની જરૂર પડે છે.

વિશ્વવ્યાપી કવરેજ
digit_special Digit Special

વિશ્વવ્યાપી કવરેજ સાથે વિશ્વ કક્ષાની સારવાર મેળવો! જો તમારા ડૉક્ટર ભારતમાં તમારા હેલ્થ ચેક અપ દરમિયાન કોઈ બીમારીનું નિદાન કરે છે અને તમે વિદેશમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો અમે તમારા માટે છીએ. તમે કવર છો!

×
×

હેલ્થ ચેકઅપ

અમે તમારી યોજનામાં દર્શાવેલ રકમ સુધી તમારા હેલ્થ ચેકઅપ ખર્ચ માટે ચૂકવણી કરીએ છીએ. ટેસ્ટના પ્રકાર પર કોઈ નિયંત્રણો નથી! પછી તે ECG હોય કે થાઇરોઇડ પ્રોફાઇલ. દાવાની મર્યાદા તપાસવા માટે તમે તમારા પોલિસી શેડ્યૂલને જોઇને ખાતરી કરો.

મૂળ ઇન્સ્યોરન્સ રકમના 0.25%, દર બે વર્ષ પછી મહત્તમ ₹ 1,000 સુધી.
મૂળ ઇન્સ્યોરન્સ રકમના 0.25%, દર વર્ષ પછી મહત્તમ ₹ 1,500 સુધી.

ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ ખર્ચ

કટોકટી ભરેલી જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સ્થિતિઓ હોઈ શકે છે જેને હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહનની જરૂર પડી શકે છે. અમે આને સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને પ્લેન અથવા હેલિકોપ્ટરમાં હોસ્પિટલમાં તમારા પરિવહન માટે થયેલા ખર્ચની ભરપાઈ કરીએ છીએ.

×

ઉંમર/ઝોન આધારિત કો-પેમેન્ટ
digit_special Digit Special

કો-પેમેન્ટનો અર્થ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ખર્ચની વહેંચણીની જરૂરિયાત છે જે પૉલિસીધારક/ઇન્સ્યોરન્સધારક સ્વીકાર્ય દાવાની રકમની ચોક્કસ ટકાવારી સહન કરશે તે અંગેની માહિતી પૂરી પાડે છે. તે ઇન્સ્યોરન્સની રકમમાં ઘટાડો કરતું નથી. આ ટકાવારી વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઉંમર, અથવા ક્યારેક તમારા સારવાર શહેર પર પણ જેને ઝોન આધારિત કોપેમેન્ટ કહેવાય છે. અમારા પ્લાનમાં, વય આધારિત અથવા ઝોન આધારિત કોઈ ચુકવણી સામેલ નથી.

કોઈ કો-પેમેન્ટ નથી
કોઈ કો-પેમેન્ટ નથી

રોડ એમ્બ્યુલન્સ ખર્ચ

જો તમે હોસ્પિટલમાં દાખલ હોવ તો રોડ એમ્બ્યુલન્સના ખર્ચ માટે વળતર મેળવો.

મૂળ ઇન્સ્યોરન્સ રકમના 1%, મહત્તમ ₹ 10,000 સુધી.
મૂળ ઇન્સ્યોરન્સ રકમના 1%, મહત્તમ ₹ 15,000 સુધી.

હોસ્પિટલમાં દાખલ થયા પહેલા/પછી

આ કવર હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના તમામ ખર્ચ માટે છે જેમ કે નિદાન, પરીક્ષણો અને રિકવરી.

30/60 દિવસો
60/180 દિવસો

બીજી સુવિધાઓ

પહેલેથી અસ્તિત્વમાં રહેલા રોગ (PED) વેઈટિંગ પિરિયડ

જે રોગ અથવા સ્થિતિ તમે પહેલાથી જ પીડિત છો અને પોલિસી લેતા પહેલા અમને જાહેર કર્યું છે અને અમારા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે તે તમારી પોલિસી શેડ્યૂલમાં પસંદ કરેલ અને ઉલ્લેખિત પ્લાન મુજબ વેઈટિંગ પિરિયડ છે.

3 વર્ષ
3 વર્ષ
3 વર્ષ

ચોક્કસ માંદગી માટે વેઈટિંગ પિરિયડ

જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ બીમારી માટે દાવો ન કરી શકો ત્યાં સુધી તમારે રાહ જોવા માટેની આ રકમ છે. ડિજિટ પર તે 2 વર્ષ છે અને પોલિસી એક્ટિવેશનના દિવસથી શરૂ થાય છે. બાકાતની સંપૂર્ણ સૂચિ માટે, તમારી પોલિસીના શબ્દોના સ્ટાન્ડર્ડ એક્સક્લુઝન્સ (બાકાત02)ને વાંચો.

2 વર્ષ
2 વર્ષ
2 વર્ષ

ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર

જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન આકસ્મિક શારીરિક ઈજા થાય છે જે અકસ્માતની તારીખથી બાર (12) મહિનાની અંદર તમારા મૃત્યુનું એકમાત્ર અને સીધુ કારણ છે, તો અમે આ કવર અને પસંદ કરેલ યોજના મુજબ પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ ઇન્સ્યોરન્સની 100% રકમ ચૂકવીશું.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000

અંગ દાતા ખર્ચ
digit_special Digit Special

તમારા અંગ દાતાને તમારી પોલિસીમાં આવરી લેવામાં આવે છે. અમે દાતાના હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચની પણ કાળજી રાખીએ છીએ. અંગ દાન એ અત્યાર સુધીના સૌથી ભલાઈના કાર્યોમાંનું એક છે અને આપણે વિચારીએ છીએ કે,આપણે શા માટે તેનો ભાગ ન બનીએ!

ઘરે જ હોસ્પિટલાઇઝેશન

હોસ્પિટલોમાં બેડની અછત થઈ શકે છે, અથવા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની સ્થિતિ ખરાબ હોઈ શકે છે. ગભરાશો નહીં! જો તમે ઘરે સારવાર કરાવો તો પણ અમે તમને તબીબી ખર્ચ માટે કવર કરીએ છીએ.

બેરિયાટ્રિક સર્જરી

સ્થૂળતા ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ હોઈ શકે છે. અમે આને સંપૂર્ણપણે સમજીએ છીએ, અને જ્યારે તે તબીબી રીતે જરૂરી હોય અને તમારા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે ત્યારે બેરિયાટ્રિક સર્જરી માટે પણ આવરી લઈએ છીએ. જો કે, જો આ સારવાર માટે કોસ્મેટિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવાનું હોય તો અમે તેને આવરી લેતા નથી.

માનસિક બીમારી

જો કોઈ આઘાતને કારણે, સભ્યને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને રૂ. 1,00,000 સુધીના આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, OPD કન્સલટેશન આમાં આવરી લેવામાં આવતું નથી. માનસિક બીમારી કવર માટે વેઈટિંગ પિરિયડ ચોક્કસ બીમારીના વેઈટિંગ પિરિયડ જેવો જ છે.

ઉપભોક્તા કવર

હોસ્પિટલમાં દાખલ થયા પહેલા, દરમિયાન અને પછી, ત્યાં અન્ય ઘણી તબીબી સહાય અને ખર્ચ છે જેમ કે ચાલવા માટેની સહાય, ક્રેપ બેન્ડેજ, બેલ્ટ વગેરે, જેના પર તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર છે. આ કવર આ ખર્ચાઓનું ધ્યાન રાખે છે જે અન્યથા પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

શું આવરી લેવામાં આવતું નથી?

પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ ખર્ચ

પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ મેડિકલ ખર્ચ, સિવાય કે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય.

પહેલાના જૂના રોગો

પહેલાના જૂના રોગના કિસ્સામાં, જ્યાં સુધી રાહ જોવાનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી, તે રોગ અથવા બીમારી માટે ક્લેઈમ કરી શકાતો નથી.

ડૉક્ટરની ભલામણ વિના હોસ્પિટલમાં દાખલ થવું

કોઈપણ સ્થિતિ માટે તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે મેળ ખાતી નથી.

ડિજીટ દ્વારા આરોગ્ય ઇન્સ્યોરન્સના મુખ્ય લાભો

કો-પેમેન્ટ ના
રૂમ ભાડાની મર્યાદા ના
કેશલેસ હોસ્પિટલ્સ સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર હા
વેલનેસ બેનિફિટ 10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ
શહેર આધારિત વળતર 10% સુધી વળતર
વિશ્વવ્યાપી કવરેજ હા*
સારું હેલ્થ વળતર 5% સુધી વળતર
ઉપભોક્તા કવર એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

*ફક્ત વિશ્વવ્યાપી સારવાર યોજના પર ઉપલબ્ધ

ક્લેઈમ કેવી રીતે ફાઈલ કરવો?

રિઈમ્બર્સમેન્ટના ક્લેઈમ - હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને 1800-258-4242 પર બે દિવસની અંદર જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇ-મેઇલ કરો અને રિઈમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવા માટે અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશો.

કેશલેસ ક્લેઈમ્સ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીંથી મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ વિનંતી ફોર્મ માટે પૂછો. જો બધું બરાબર છે, તો તમારા ક્લેઈમની પ્રક્રિયા ત્યાંને ત્યાં જ કરવામાં આવશે.

જો તમે કોરોનાવાયરસ માટે ક્લેઈમ કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે ના અધિકૃત કેન્દ્ર તરફથી પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ છે.

ક્લેઇમ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો - કોવિડ-19 ને કારણે હોસ્પિટલાઇઝેશન

જો તમને કોરોનાવાયરસ કોવિડ-19 નું નિદાન થયું હોય તો કેવી રીતે એક ક્લેઇમ કરશો?

જો તમને ICMR – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેના કોઈપણ અધિકૃત કેન્દ્રોમાંથી કોરોનાવાયરસ રોગ (COVID-19) માટે પોઝિટીવ હોવાનું પરીક્ષણ કરવામાં આવે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો 1800-258-4242 પર કૉલ કરીને અથવા healthclaims@godigit.com પર લખીને તરત જ ડિજીટને ઇન્ટિમેટ કરો. જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો અમને અહીં ઇમેઇલ કરો: seniors@godigit.com

જો તમને ICMR – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેના કોઈપણ અધિકૃત કેન્દ્રોમાંથી કોરોનાવાયરસ રોગ (COVID-19) માટે પોઝિટીવ હોવાનું પરીક્ષણ કરવામાં આવે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો 1800-258-4242 પર કૉલ કરીને અથવા healthclaims@godigit.com પર લખીને તરત જ ડિજીટને ઇન્ટિમેટ કરો. જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો અમને અહીં ઇમેઇલ કરો: seniors@godigit.com

કોરોનાવાયરસ સાથે ખાસ સંબંધ ધરાવતા ક્લેઇમ માટે મારે કોનો સંપર્ક કરવો જોઈએ?

અમારી પાસે કોરોનાવાયરસ સંબંધિત ક્લેઇમ માટે સમર્પિત ઇમેઇલ ID છે: covidclaims@godigit.com. વધુમાં, તમે અમારા SPOC: ડૉ. પ્રકાશનો સંપર્ક કરી શકો છો. તમે તેને મેલ કરી શકો છો: A.Prakash@godigit.com અથવા તેને 9986770084 પર કૉલ કરો.

અમારી પાસે કોરોનાવાયરસ સંબંધિત ક્લેઇમ માટે સમર્પિત ઇમેઇલ ID છે: covidclaims@godigit.com.

વધુમાં, તમે અમારા SPOC: ડૉ. પ્રકાશનો સંપર્ક કરી શકો છો. તમે તેને મેલ કરી શકો છો: A.Prakash@godigit.com અથવા તેને 9986770084 પર કૉલ કરો.

હું કોરોનાવાયરસના રોગ COVID-19 માટે કેશલેસ ક્લેઇમની સુવિધા કેવી રીતે મેળવી શકું?

કેશલેસની જાણ કરવા માટે ડિજીટના ટોલ-ફ્રી નંબર (1800-258-4242) પર કૉલ કરો. ત્યારપછી અમે પાત્રતાની ચકાસણી કરીશું (જો ટેસ્ટ પોઝિટિવ આવે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો) અને કેશલેસ પ્રક્રિયાને સરળ બનાવીશું.

કેશલેસની જાણ કરવા માટે ડિજીટના ટોલ-ફ્રી નંબર (1800-258-4242) પર કૉલ કરો.

ત્યારપછી અમે પાત્રતાની ચકાસણી કરીશું (જો ટેસ્ટ પોઝિટિવ આવે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો) અને કેશલેસ પ્રક્રિયાને સરળ બનાવીશું.

ડિજિટ પર ક્લેઇમ કરવા માટે જરૂરી કેટલીક વિગતો શું છે?

ઇન્સ્યોર્ડનું નામ પૉલિસી અનુક્રમ દર્દીનું નામ પ્રોપોઝર સાથે સંબંધ હોસ્પિટલનું નામ/સરનામું દાખલ થવાની અને ડિસ્ચાર્જની તારીખો નિદાન અને સારવારની વિગતો અંદાજિત/વાસ્તવિક ખર્ચ કર્મચારી ID નંબર (જો લાગુ હોય તો)

  • ઇન્સ્યોર્ડનું નામ
  • પૉલિસી અનુક્રમ
  • દર્દીનું નામ
  • પ્રોપોઝર સાથે સંબંધ
  • હોસ્પિટલનું નામ/સરનામું
  • દાખલ થવાની અને ડિસ્ચાર્જની તારીખો
  • નિદાન અને સારવારની વિગતો
  • અંદાજિત/વાસ્તવિક ખર્ચ
  • કર્મચારી ID નંબર (જો લાગુ હોય તો)

જો કોઈ એક વ્યક્તિનું કોરોનાવાયરસના રોગ કોવિડ-19 હોવાનું નિદાન થયું હોય તો એક રિઇમ્બર્સમેન્ટ મેળવવા માટે ક્યા દસ્તાવેજો જરૂરી છે?

ડિસ્ચાર્જ સમરી કન્સલ્ટેશન પેપર્સ COVID-19 પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ (ICMR અધિકૃત લેબમાંથી માન્ય કરેલ) અન્ય તમામ ટેસ્ટ રિપોર્ટ બેંકની વિગતો: રદ કરેલ ચેક/NEFT ની વિગતો માન્ય ID પ્રૂફ (PAN, મતદાર ID, DL, પાસપોર્ટ. આધાર કાર્ડ સ્વીકાર્ય નથી) તમામ ઓરિજિનલ બિલ (અંતિમ બિલ, બ્રેકઅપ, ફાર્મસી અને ટેસ્ટના બિલ વગેરે)

  • ડિસ્ચાર્જ સમરી
  • કન્સલ્ટેશન પેપર્સ
  • COVID-19 પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ (ICMR અધિકૃત લેબમાંથી માન્ય કરેલ)
  • અન્ય તમામ ટેસ્ટ રિપોર્ટ
  • બેંકની વિગતો: રદ કરેલ ચેક/NEFT ની વિગતો
  • માન્ય ID પ્રૂફ (PAN, મતદાર ID, DL, પાસપોર્ટ. આધાર કાર્ડ સ્વીકાર્ય નથી)
  • તમામ ઓરિજિનલ બિલ (અંતિમ બિલ, બ્રેકઅપ, ફાર્મસી અને ટેસ્ટના બિલ વગેરે)

જો તમારી પાસે પહેલેથી જ સક્રિય હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હોય તો શું કોરોનાવાયરસની સારવારને કવર કરી લેવામાં આવે છે?

હા, જો તમારી પાસે ડિજીટ દ્વારા આપવામાં આવેલી પહેલેથી જ સક્રિય હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે, તો કોરોનાવાયરસની સારવાર, એટલે કે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવશે.

હા, જો તમારી પાસે ડિજીટ દ્વારા આપવામાં આવેલી પહેલેથી જ સક્રિય હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે, તો કોરોનાવાયરસની સારવાર, એટલે કે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવશે.

શું મારી સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કોરોનાવાયરસને આવરી લેવા માટે કોઈ રાહ જોવાનો સમય છે?

ના, પ્રારંભિક 30-દિવસની રાહ જોવાની અવધિ સિવાય (જે આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવા સિવાય દરેક વસ્તુ માટે લાગુ થાય છે) કોરોનાવાયરસ માટે દાવો કરવા માટે કોઈ વધારાની રાહ જોવાની જરૂર નથી.

ના, પ્રારંભિક 30-દિવસની રાહ જોવાની અવધિ સિવાય (જે આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવા સિવાય દરેક વસ્તુ માટે લાગુ થાય છે) કોરોનાવાયરસ માટે દાવો કરવા માટે કોઈ વધારાની રાહ જોવાની જરૂર નથી.

શું કોરોનાવાયરસના કવરેજ હેઠળ જાનહાનિને આવરી લેવામાં આવશે?

ના, કોરોનાવાયરસને આવરી લેતો આ હેલ્થ ઇન્સ્યોરન્સ ફક્ત COVID-19 સારવારને કારણે થયેલા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે.

ના, કોરોનાવાયરસને આવરી લેતો આ હેલ્થ ઇન્સ્યોરન્સ ફક્ત COVID-19 સારવારને કારણે થયેલા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે.

હાલમાં તમારે એક કોરોનાવાયરસનો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો એ પહેલાં ક્યારેય પણ હોય તેના કરતાં શા માટે વધુ મહત્વપૂર્ણ છે?

COVID-19 ની આસપાસ અનિશ્ચિતતા

તમે જાણો જ છો કે, અમે અહીં છીએ તેનું કારણ એ છે કે અમે તમારી અનિશ્ચિત ક્ષણોમાં તમારા માટે હાજર રહી શકીએ! આજુબાજુ ઘણી બધી અનિશ્ચિતતા સાથે, તમે એક વસ્તુની ખાતરી કરી શકો છો કે જ્યારે તમને જરૂર હોય ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ તમારૂં પીઠબળ બનીને રહેશે!

નાણાકીય અસ્થિરતા અને આર્થિક મંદી

વર્તમાન આર્થિક મંદી સાથે, તમારે તમારા નાણાકીય નિર્ણયો વિશે પહેલાં કરતાં વધુ સમજદાર બનવાની જરૂર છે. જે કોરોનાવાયરસ અને અન્ય તમામ આરોગ્યની સંભાળ રાખવાની જરૂરિયાતોને આવરી લે છે તેવો હેલ્થ ઇન્સ્યોરન્સ એવું શ્રેષ્ઠ કાર્ય છે જે તમે તમારી વર્તમાન અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા માટે કરી શકો છો!

કરવેરાની બચત

સ્માર્ટ નાણાકીય નિર્ણયો લેવાનો એક ભાગ ટેક્સ પર બચત મેળવવાનો છે! સદભાગ્યે, કોઈપણ એવી વ્યક્તિ જે પોતાના અને તેના માતા-પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદે છે તે વાર્ષિક ચૂકવેલ પ્રીમિયમ પર કરવેરાની બચત માટેનો ક્લેઇમ કરી શકે છે. જો તમે ગણતરી કરવાના હોવ તો તે બધાં માટે જીત-જીતની પરિસ્થિતિ છે!

ગંભીર બીમારીઓથી તમારું રક્ષણ કરે છે

કોરોનાવાયરસ માટે કવર કરવા ઉપરાંત, હેલ્થ ઇન્સ્યોરન્સ તમને અન્ય રોગો અને ગંભીર બિમારીઓ સહિતની બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે જે ઘણીવાર કોઈપણ વ્યક્તિને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે.

મનની શાંતિ

જ્યારે તમે જાણો છો કે કમનસીબ પરિસ્થિતિઓ દરમિયાન કોઈ વ્યક્તિ હંમેશા તમારૂં પીઠબળ બનીને રહેશે ત્યારે તમને કેવું લાગે છે? આનંદ થયો, ખરું ને? તમારા આરોગ્યના સંદર્ભમાં પણ- જરૂરિયાતના સમયે તમારૂં પીઠબળ મેળવવા માટે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પર વિશ્વાસ કરી શકો છો.

સ્માર્ટ રોકાણ કરો

એવું શક્ય છે કે તમે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ વિશે આશાવાદી વ્યક્તિ છો. જો કે, શું તમે જાણો છો કે જો તમે કોઈ પણ વસ્તુ માટે ક્લેઇમ ન કરો તો પણ તમને સંચિત બોનસ જેવા લાભો દ્વારા પુરસ્કાર મળે છે? દર વર્ષે તમે ક્લેઇમ કરતા નથી, તમારી ઇન્સ્યોરન્સની કુલ રકમ કોઈપણ વધારાના ખર્ચ વિના વધી જાય છે!

કોરોનાવાયરસ (કોવિડ-19) માટે હેલ્થ ઇન્સ્યોરન્સના વિકલ્પો

કોવિડ-19ને કવર કરી લેતો હેલ્થ ઇન્સ્યોરન્સ

આજે, મોટાભાગની સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ કોરોનાવાયરસ એક રોગચાળો હોવા છતાં, તેના માટે કવર કરે છે. જો તમારી પાસે પહેલેથી જ હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો પુષ્ટિ કરો અને તમારી ઇન્સ્યોરન્સ કંપની સાથે તપાસ કરો કે COVID-19 ને આવરી લેવામાં આવ્યો છે કે નહીં.

જો તમને હજી સુધી કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ મળ્યો નથી, તો કદાચ તમારા વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનો આ યોગ્ય સમય છે અને માત્ર COVID-19 માટે જ નહીં, પરંતુ લાંબા ગાળાની તમારી અન્ય તમામ આરોગ્યની સંભાળ રાખવાની જરૂરિયાતોને પણ કવર કરી લેવાનું નક્કી કરો.

કોરોના કવચ આરોગ્ય વીમો

માત્ર કોરોનાવાયરસ સારવારને આવરી લેવા માટે સસ્તું અને વિશિષ્ટ, કોરોના કવચ પૉલિસી એ તાજેતરમાં લોંચ કરાયેલ પોકેટ-સાઇઝનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે જે કોરોનાવાયરસની સારવાર સંબંધિત ખર્ચને કવર કરી લેવા માટે રચાયેલ છે.

તેના માટે માત્ર એક વખતનું પ્રીમિયમ છે. તમારા મેડિકલ પ્રેક્ટિશનર તમારા માટે શું સૂચવે છે તેના આધારે આમાં હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ, હોમકેર સારવાર અને આયુષ સારવારનો સમાવેશ થાય છે.

કોરોના રક્ષક હેલ્થ ઇન્સ્યોરન્સ

કોરોના કવચ એ માત્ર કોરોનાવાયરસ માટે કવર કરવા માટે સમાન, પોકેટ-સાઇઝનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે. અહીં પણ, તમારે ફક્ત ખરીદીના સમયે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

જો કે, કેશલેસ સારવાર પસંદ કરવાને બદલે અથવા ખર્ચની ભરપાઈ કરવાને બદલે, કોરોના રક્ષક એક લમ્પસમ કવર આપે છે જેમાં, જો તમે વાયરસથી સંક્રમિત થાઓ છો, તો તમને સંપૂર્ણ વીમાની રકમ એક લમ્પસમ રકમ તરીકે મળશે.

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ - કોરોનાવાયરસ કવર

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, એવી ભલામણ કરવામાં આવે છે કે ભલે નાની હોય કે મોટી દરેક સંસ્થાએ તેના કર્મચારીઓ માટે ગૃપ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. 

જો કે, અમે સમજી શકીએ છીએ કે કેટલાંક નાના ધંધાઓને કદાચ કોમ્પ્રિહેન્સીવ હેલ્થ પ્લાન પોષાય તેવું ન બની શકે, તો તેઓ તેના બદલે તેમના કર્મચારીઓનું કોરોનાવાયરસ સામે રક્ષણ પૂરૂં પાડવા માટે એક ગૃપ કોરોનાવાયરસ કવર લઈ શકે છે.

કોવિડ-19 માટેના ડિજિટના હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

જો તમારી પાસે પહેલેથી જ સક્રિય હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હોય તો શું કોરોનાવાયરસની સારવારને કવર કરી લેવામાં આવે છે?

હા, જો તમારી પાસે ડિજીટ દ્વારા આપવામાં આવેલી પહેલેથી જ સક્રિય હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે, તો કોરોનાવાયરસની સારવાર, એટલે કે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવશે.

શું મારી સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કોરોનાવાયરસને આવરી લેવા માટે કોઈ રાહ જોવાનો સમય છે?

ના, પ્રારંભિક 30-દિવસની રાહ જોવાની અવધિ સિવાય (જે આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવા સિવાય દરેક વસ્તુ માટે લાગુ થાય છે) કોરોનાવાયરસ માટે ક્લેઇમ કરવા માટે કોઈ વધારાની રાહ જોવાની જરૂર નથી.

શું કોરોનાવાયરસના કવરેજ હેઠળ જાનહાનિને કવર કરી લેવામાં આવશે?

ના, કોરોનાવાયરસને આવરી લેતો આ હેલ્થ ઇન્સ્યોરન્સ ફક્ત COVID-19 સારવારને કારણે થયેલા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે.

શું કોરોનાવાયરસ સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂમના ભાડાં પર કોઈ મર્યાદા છે?

આ મુખ્યત્વે તમે જે પૉલિસી પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. ડિજીટના કમ્ફર્ટ વિકલ્પ સાથે કોઈ રૂમના ભાડાં પર કોઈ મર્યાદા નથી, જેનો અર્થ એ થાય છે કે તમે તમને ગમે તેવો રૂમ પસંદ કરી શકો છો.

શું કોરોનાવાયરસને આવરી લેતી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં આવકની ખોટને આવરી લેવામાં આવી છે?

ના, આ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી આવકના નુકસાનને આવરી લેતી નથી. જો કે, તે દૈનિક હોસ્પિટલ કેશનો લાભ પ્રદાન કરે છે જેનો ઉપયોગ રોજબરોજના ખર્ચ માટે થઈ શકે છે જે તમને અથવા પરિવારના સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે થાય છે.

કોવિડ ઇન્સ્યોરન્સ પૉલિસી અને એક કોરોનાવાયરસ હેલ્થ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત?

કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સ (માત્ર-કોવિડ માટેની પૉલિસીઓ જેમ કે કોરોના કવચ, કોરોના રક્ષક) કોરોનાવાયરસને આવરી લેતો હેલ્થ ઈન્સ્યોરન્સ (કોમ્પ્રીહેન્સિવ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીઓ)
કોરોનાવાયરસ કવર અથવા કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે માત્ર કોવિડ-19ને લગતી સારવાર માટેના ખર્ચને આવરી લેવા માટે પોકેટ સાઈઝ ઇન્સ્યોરન્સ પૉલિસી તરીકે ઓફર કરવામાં આવે છે. તમારા ઇન્સ્યોરર પર આધાર રાખીને, તે કાં તો ક્લેઇમ દરમિયાન ચૂકવવામાં આવેલી લમ્પસમ રકમ હોઈ શકે છે અથવા તમારા હોસ્પિટલના બિલના આધારે રિઇમ્બર્સમેન્ટ તરીકે ઓફર કરવામાં આવી શકે છે. એક એવો હેલ્થ ઇન્સ્યોરન્સ જે કોરોનાવાયરસને આવરી લે છે, તેનો અર્થ એ થાય છે કે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી અન્ય બીમારીઓ અને રોગોની સાથે-સાથે કોરોનાવાયરસ માટે પણ કવર પૂરૂં પાડે છે. તમારે તેના માટે અલગ કવર અથવા પૉલિસીને ખરીદવાની જરૂર નથી. તે બધું તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં સમાવી લેવામાં આવેલ છે.
કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સ એ ટૂંકા ગાળાની પોલિસી છે અને એક ક્લેઇમ કરી લીધાં બાદ તે પૉલિસી માન્ય રહેશે નહીં. હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક લાંબા ગાળાની પૉલિસી છે (તમે 1 વર્ષથી લઈને બહુ-વર્ષીય યોજનાઓ પસંદ કરી શકો છો) અને જ્યાં સુધી તમારા ક્લેઇમની કુલ રકમ તમારી કુલ સમ ઇન્સ્યોર્ડથી ઉપર ન જાય ત્યાં સુધી તમે વર્ષમાં ઘણી વખત ક્લેઇમ કરી શકો છો.
કોરોનાવાયરસ માટે કવર કરવા સિવાય, કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સના અન્ય કોઈ વધારાના લાભો નથી. કોરોનાવાયરસ માટે કવર કરવા ઉપરાંત, સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી અન્ય લાભો સાથે પણ આવે છે જેમ કે પ્રસૂતિ અને નવજાત શિશુ કવર, OPD, ડેકેર પ્રક્રિયાઓ અને વધુ. OPDને પણ કવર કરે છે.
તમે કરવેરામાં બચત મેળવવા માટે એક સિંગલ કવરનો ઉપયોગ કરી શકતાં નથી. કલમ 80D હેઠળ, હેલ્થ ઇન્સ્યોરન્સ 25,000 સુધીની કરવેરામાં બચત મેળવવા માટે પાત્ર છે.
કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સ માટેનું પ્રીમિયમ ઓછું હોઈ શકે છે કારણ કે તે માત્ર એક રોગ માટેનું વિશિષ્ટ કવર છે. કોરોનાવાયરસને આવરી લેતાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની કિંમત જેટલું જ હશે. એ પ્રીમિયમ મોટાભાગે તમારી ઉંમર, સ્થાન અને પસંદ કરેલ સમ ઇન્સ્યોર્ડ પર નિર્ભર રહેશે.

એક કોરોના કવચ અને કોરોના રક્ષક કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત

કોરોના કવચ કોરોના રક્ષક
પૉલિસીનો પ્રકાર કોરોના કવચ એ એક કોવિડ-ઇન્ડેમ્નિટી પ્લાન છે જે કોવિડ-19 માટે સારવાર લઈ રહ્યાં હોવ ત્યારે તેમના હોસ્પિટલના બિલને કવર કરી લેવામાં મદદ કરે છે. કોરોના રક્ષક એ એક કોવિડ-લાભની પૉલિસી છે. અહીં, હોસ્પિટલના ચોક્કસ બિલને આવરી લેવાને બદલે એક લમ્પસમ રકમનો લાભ આપવામાં આવે છે, એટલે કે જો ઇન્સ્યોર્ડ વ્યક્તિને કોરોના વાયરસની સારવાર કરાવવાની હોય તો તેને ઇન્સ્યોરન્સની સંપૂર્ણ રકમ મળે છે.
સમ ઇન્સ્યોર્ડ ઓછામાં ઓછા રૂ. 50,000 અને વધુમાં વધુ રૂ.5 લાખની વચ્ચે પસંદ કરી શકો છો. ઓછામાં ઓછા રૂ. 50,000 અને વધુમાં વધુ રૂ.5 લાખની વચ્ચે પસંદ કરી શકો છો.
હોસ્પિટલાઇઝેશન અંગેના નિયમો જો કોઈ વ્યક્તિને 24-કલાકથી વધુ સમય માટે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો તે કોરોના કવચ હેઠળ ક્લેઇમ કરી શકે છે. જો કોઈ વ્યક્તિને 72-કલાકથી વધુ સમય માટે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો જ તે કોરોના રક્ષક હેઠળ ક્લેઇમ કરીને લમ્પસમ રકમ મેળવી શકે છે.
ઉપલબ્ધ પ્લાનના પ્રકાર કોરોના કવચમાં, એક વ્યક્તિ ફેમિલી ફ્લૉટર અને વ્યક્તિગત પ્લાનમાંથી એક પ્લાન પસંદ કરી શકે છે. એક કોરોના રક્ષક કવરમાં, તમે માત્ર એક વ્યક્તિગત પ્લાનને પસંદ કરી શકો છો, તેમાં ફેમિલી ફ્લૉટરનો કોઈપણ વિકલ્પ ઉપલબ્ધ નથી.
વધારાના લાભો કોરોના કવચ પોલિસીમાં, તમે દૈનિક હોસ્પિટલ રોકડ કવર પણ પસંદ કરી શકો છો જેમાં તમે હોસ્પિટલમાં દાખલ થવાના દરેક દિવસ માટે તમારી સમ ઇન્સ્યોર્ડના 0.5% મેળવી શકો છો. કોરોના રક્ષક પૉલિસીમાં વધારાના કોઈપણ લાભ કે કવર ઉપલબ્ધ નથી.

કોરોના કવચ અને કોરોના રક્ષક પૉલિસી વિશે વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો

મારા માટે કયો કોરોનાવાયરસ હેલ્થ ઇન્સ્યોરન્સ શ્રેષ્ઠ રહેશે?

તમારી પાસે પહેલેથી જ હાલની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે કે નહીં તેના પર આનો આધાર રહે છે.

જો મારી પાસે હાલનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો શું મારે હજુ પણ કોરોના કવચ અથવા કોરોના રક્ષક કવર મેળવવાની જરૂર છે?

જો તમારી પાસે હાલની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે, તો તપાસો કે તે COVID-19ને આવરી લે છે કે નહીં. જો આમ ન થાય, તો તમે તમારી જરૂરિયાતો અને પસંદગીઓના આધારે કોરોના કવચ અથવા કોરોના રક્ષક મેળવવાનું પસંદ કરી શકો છો.

જો કે, જો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ પહેલેથી જ COVID-19ને કવર કરે છે પરંતુ તમે હજુ પણ વધારાનું કવરેજ ઇચ્છતા હો, તો તમે કોરોના રક્ષક જેવી એક સાથે લાભ આપતી પૉલિસી મેળવી શકો છો.

કોરોના કવચ પોલિસી માટે રાહ જોવાનો સમયગાળો કેટલો છે?

કોરોના કવચ પોલિસી માટે પ્રારંભિક 15 દિવસનો રાહ જોવાનો સમયગાળો છે.

કોરોના રક્ષક પોલિસી માટે રાહ જોવાનો સમયગાળો કેટલો છે?

કોરોના રક્ષક પોલિસી માટે રાહ જોવાનો સમયગાળો તમે તમારી પોલિસી ખરીદો તે તારીખથી 15 દિવસનો છે.

બીમારી આધારિત કવર માટે વેઈટિંગ પીરિયડ શું છે ?

નોકરીદાતાઓ માટે તેમના બિમારીના વિશિષ્ટ કવરનો લાભ લેવા માટે માત્ર 15-દિવસનો પ્રારંભિક સમયગાળો હોય છે.

શું કોરોના કવચ અને કોરોના રક્ષક ભારતની બહાર પણ હોસ્પિટલમાં દાખલ થવાને કવર કરી લે છે?

ના, હાલમાં આ પૉલિસીઓ માત્ર ભારતમાં હોસ્પિટલમાં દાખલ થવાના અને સારવારના ખર્ચને આવરી લે છે.

શું ક્વોરેન્ટાઇન ખર્ચને કોરોના કવચ કે કોરોના રક્ષક કવરમાં કવર કરી લેવામાં આવે છે?

ના, કોરોના કવચ અથવા કોરોના રક્ષકમાં ક્વોરેન્ટાઇન ખર્ચને કવર કરી લેવામાં આવતો નથી. માત્ર COVID-19 ની સારવારને કારણે થતા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરી લેવામાં આવે છે.

શું આવકનું નુકસાન કોરોના રક્ષક કે કોરોના કવચમાં આવરી લેવાય છે?

ના, કોરોના રક્ષક અથવા કોરોના કવચ એ બંનેમાં આવકનું નુકસાન આવરી લેવામાં આવતું નથી. જો કે, કોરોના રક્ષક પોલિસી એક લમ્પસમ્પ-બેનિફિટ પોલિસી હોવાથી (જો તમે 72 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના હોવ તો તમને સંપૂર્ણ વીમાની રકમ મળે છે), તે શક્ય છે કે તે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચને પણ આવરી લે.

શું કોરોના રક્ષક કે કોરોના કવચમાં OPD ને આવરી લેવામાં આવે છે?

ના, OPDને આ કવર હેઠળ કવર કરવામાં આવતું નથી. કોરોના રક્ષક અને કોરોના કવચ માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે. જો કે, કોરોનાવાયરસને આવરી લેતા તમારા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સમાં OPD ને આવરી લેવામાં આવશે.

OPD સાથેના હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

શું કોરોના રક્ષક અથવા કોરોના કવચ હેઠળ હોમકેર સારવારને કવર કરવામાં આવે છે?

હોમકેર ટ્રીટમેન્ટને કોરોના કવચમાં કવર કરી લેવામાં આવી છે, પરંતુ જો તમારા મેડિકલ પ્રેક્ટિશનરે હોમકેર ટ્રીટમેન્ટ સૂચવી હોય તેની સાથે સરકાર દ્વારા મંજૂર પ્રેક્ટિસ લાગુ હોય તો જ કવર મળશે. આમાં શું શામેલ છે તે વિશે તમે વધુ વિગતો અહીં મેળવી શકો છો.

શું રોડ એમ્બ્યુલન્સના ચાર્જને કોરોના કવચમાં કવર કરી લેવામાં આવ્યા છે?

હા, રોડ એમ્બ્યુલન્સ ચાર્જને કોરોના કવચ પોલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.

શું કોરોના કવચમાં કોઈ એડ-ઑન કવર ઉપલબ્ધ છે?

હા, કોરોના કવચ પોલિસીમાં એક એડ-ઑન એટલે કે દૈનિક હોસ્પિટલ કેશ ઉપલબ્ધ છે.

શું કોરોના રક્ષકમાં કોઈ એડ-ઑન કવર ઉપલબ્ધ છે?

ના, કોરોના રક્ષક પૉલિસીમાં કોઈ એડ-ઑન શામેલ નથી.

કોરોનાવાયરસ (કોવિડ-19) વિશે જાણવા જેવી મહત્વની વસ્તુઓ

કોરોનાવાયરસ શું છે?

વર્ષ 2020 નો ઝણઝણાટ કરતો શબ્દ...કોરોનાવાયરસ! કોરોનાવાયરસ રોગ (COVID-19) એ નવા શોધાયેલ કોરોનાવાયરસને કારણે થતો ચેપી રોગ છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય છે ત્યારે તે મુખ્યત્વે લાળના ટીપાં અથવા નાકમાંથી થતાં સ્રાવ દ્વારા ફેલાય છે.

કોવિડ-19 દ્વારા સંક્રમિત મોટાભાગના લોકો માત્ર હળવાથી મધ્યમ લક્ષણો અને શ્વસન સંબંધી બીમારીઓનો અનુભવ કરે છે અને કોઈપણ ખાસ સારવાર વિના સ્વસ્થ થઈ જાય છે.

જો કે, વૃદ્ધ લોકો અથવા અન્ય ગર્ભિત આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને ગંભીર બીમારી થવાની શક્યતા વધુ હોય છે.

કોવિડ-19ના લક્ષણો

  • સૌથી સામાન્ય લક્ષણો - તાવ, સૂકી ઉધરસ, થાક/નબળાઈ
  • ઓછા સામાન્ય લક્ષણો - ગળામાં દુખાવો, દુખાવો અને પીડા, ઝાડા, કન્જક્ટિવાઇટિસ, દાહ, સ્વાદ અને ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અથવા આંગળીઓ અથવા અંગૂઠાનું વિકૃતિકરણ
  • ગંભીર લક્ષણો - શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસની ટૂંકી અવધી, છાતીમાં દુખાવો/દબાણ, વાણી કે હલનચલન ગુમાવવી

નોંધ:

  • જો તમને ગંભીર લક્ષણો હોય તો તાત્કાલિક તબીબી સહાય મેળવો. તમારા ડૉક્ટર અથવા આરોગ્ય સુવિધાની મુલાકાત લેતા પહેલા હંમેશા કૉલ કરો.
  • હળવા લક્ષણો ધરાવતા એવા લોકો કે જેઓ અન્યથા સ્વસ્થ હોય તેઓ તેમના લક્ષણોને ઘર પર જ મેનેજ કરી શકે છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ વાયરસથી સંક્રમિત થાય છે ત્યારથી લક્ષણો દેખાવામાં સરેરાશ 5-6 દિવસનો સમય લાગે છે, જો કે તેમાં 14 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.

(સ્ત્રોત: WHO)

ઉપચાર, સારવાર

હાલમાં, આ નવા કોરોનાવાયરસ માટે કોઈ ચોક્કસ સારવાર અથવા ઉપચાર ઉપલબ્નધ થી. જો કે, મોટાભાગના લક્ષણોની સારવાર કરી શકાય છે, અને દર્દીની ક્લિનિકલ સ્થિતિ અનુસાર સારવાર આપવામાં આવે છે.

સારા સમાચાર એ છે કે તેવું હોવા છતાં, મોટાભાગના લોકો કોરોનાવાયરસથી સ્વસ્થ થાય છે અને કેટલીકવાર, યુવાન અને તંદુરસ્ત લોકો ભાગ્યે જ હળવા લક્ષણોનો સામનો કરે છે અને એકવાર વાયરસ તેના માર્ગ પર ચાલે છે અને તેમના શરીરમાંથી દૂર થઈ જાય છે ત્યારે તેઓ પોતે જ સ્વસ્થ થઈ જાય છે.

મૃત્યુદર અને સાજાં થવાનો દર

કોવિડ-19ની આસપાસની તમામ નકારાત્મકતાઓ હોવા છતાં, આશાની ઝાંખી એ છે કે તેનો મૃત્યુદર ખરેખર ઘણો ઓછો છે, જે મોટા ભાગના દેશોમાં અત્યારે લગભગ સાવ ઘટી રહ્યો છે.

વિશ્વમાં સરેરાશ મૃત્યુદર હાલમાં 5.96% છે જ્યારે ભારતનો વર્તમાન મૃત્યુદર હવે 2.8% છે અને ભારતમાં સાજાં થવાનો દર 48% છે (5મી જૂન 2020 ના રોજ).

સાવચેતીના પગલાં

  • ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી વારંવાર તમારા હાથ ધોવા
  • તમારી ઉધરસ અથવા છીંકને ટીશ્યુથી ઢાંકો, પછી ટીશ્યુને કચરાપેટીમાં ફેંકી દો. જો તમારી પાસે ટિશ્યુ ન હોય, તો તમારા હાથ અથવા અંદરની કોણીના ક્રૂકનો ઉપયોગ કરો.
  • જ્યારે તમે બહાર હોવ અથવા તમારા કાર્યસ્થળ પર હોવ ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને ખાતરી કરો કે તમે જ્યારે પણ લોકોની આસપાસ હોવ ત્યારે તમારા ઘરની બહાર માસ્ક પહેરો છો.
  • તમારી આંખો, નાક અને મોઢાંને સ્પર્શ કરવાનું ટાળો.
  • બહારથી આવતી કોઈપણ વસ્તુને સેનિટાઈઝ કરવી તે હંમેશા સલામત છે, સેનિટાઈઝિંગ વાઈપ્સ અથવા કાપડ અને કેટલાક સેનિટાઈઝર પણ કામ કરી શકે છે.
  • ભલે લોકડાઉનમાં હવે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ તમારાથી બને તેટલું ઘરમાં રહેવું અને માત્ર જરૂરી વસ્તુઓ માટે જ બહાર નીકળવું શ્રેષ્ઠ છે. જો તમે ઝડપી ક્વોરેન્ટાઇન માર્ગદર્શિકા અથવા ઘરે કરવા માટેની વસ્તુઓ શોધી રહ્યાં છો, તો અમારી માર્ગદર્શિકાને અહીંથી ડાઉનલોડ કરો અને કેટલીક મનોરંજક છતાં શૈક્ષણિક સામગ્રી માટે અમારા ઇન-હાઉસ આઉચ પોટેટો ને અનુસરો.

ક્વોરેન્ટાઇન, સેલ્ફ-આઇસોલેશન, અને સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે શું તફાવત છે?


તમે કદાચ આ બધાં જ શબ્દોને ઘણા વખતથી સાંભળી રહ્યાં છો અને તમે ક્યારેય પણ વિચાર કર્યો છે કે એ બધાં વચ્ચે શું તફાવત છે, અહીં એક ઝડપી વિહંગાવલોકન આપવામાં આવેલ છે જેનાથી તમને વધુ સારી સમજ મળી શકે છે.

ક્વોરેન્ટાઇન સેલ્ફ-આઇસોલેશન સોશિયલ ડિસ્ટન્સિંગ
ક્વોરેન્ટાઇન એ એવા સમયના ગાળાને સંદર્ભિત કરે છે જે દરમિયાન તમને અલગ રાખવાની અને નિરીક્ષણ હેઠળ રાખવાની જરૂર છે - આવું કાં તો ઘરે અથવા તમારી સરકાર અથવા આરોગ્યસંભાળ પ્રદાતા દ્વારા પ્રદાન કરવામાં આવેલી કોવિડ સુવિધા પર કરી શકાય છે. જે લોકોએ તાજેતરમાં મુસાફરી કરી છે, તેઓ જો કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં હોય અથવા વાયરસના લક્ષણો દર્શાવતા હોય તેઓને સામાન્ય રીતે ઓછામાં ઓછા 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવે છે. સેલ્ફ-આઇસોલેશન એ એવું સ્વૈચ્છિક રક્ષણાત્મક પગલું છે જે તમારે ત્યારે લેવું જોઈએ જ્યારે તમે તાજેતરમાં મુસાફરી કરી હોય અથવા કોઈપણ સમયે વાયરસ સંક્રમિત થયા હોવાની શંકા હોય. આનો સીધો અર્થ એ છે કે તમે તમારી જાતને ઘરે અને બહાર અન્ય લોકોથી અલગ રાખો, જેથી તમારી પાસે વાયરસના વાહક બનવાની સહેજ પણ શક્યતા ન રહે. સોશિયલ ડિસ્ટન્સિંગ એ એક એવું નિવારક પગલું છે જેને આપણે જ્યારે આપણા ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે બધાએ લેવું જ જોઈએ. આનો સીધો અર્થ એ છે કે લોકો વચ્ચે ઓછામાં ઓછું 1 મીટરનું ભૌતિક અંતર રાખવું અને તમે અન્ય લોકો સાથે નજીકના સંપર્કમાં આવી શકો તેની સંખ્યા ઘટાડવી.

કોરોનાવાયરસ (કોવિડ-19) વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું બહાર ફેસ માસ્ક પહેરવો ફરજિયાત છે?

હા, તે ફરજીયાત છે અને હકીકતમાં મોટાભાગના દેશોમાં આ નવા ધોરણ લાગુ છે. ફેસ માસ્ક પહેરનાર દરેક વ્યક્તિ વાયરસના ફેલાવાનું જોખમ ઘટાડશે. આવું એટલા માટે છે કારણ કે માસ્ક ટીપાંના પ્રસારણને રોકવામાં મદદ કરે છે (જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિને ખાંસી, છીંક, વગેરે આવે છે).

કોરોનાવાયરસ રસીકરણ માટે કેટલો સમય લાગશે?

સાચું કહું તો, આ માટે કોઈ ચોક્કસ સમયરેખા નથી. રસીકરણ સામાન્ય રીતે સંપૂર્ણ રીતે વિકસિત થવામાં લાંબો સમય લે છે. જ્યારે ઘણા સંશોધકો પ્રારંભિક પરીક્ષણોના સમયગાળા પર કામ કરી રહ્યા છે, ત્યારે નિષ્ણાતો કહે છે કે રસીકરણમાં ઓછામાં ઓછા 12 થી 18 મહિનાનો સમય લાગશે.

આવશ્યક વ્યવસાયો શું છે?

તમે કદાચ લોકડાઉનમાં આવશ્યક વ્યવસાયો અને સેવાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. સાર્વત્રિક રીતે કહીએ તો, આવશ્યક વ્યવસાયોમાં તે તમામનો સમાવેશ થાય છે જે મૂળભૂત રોજિંદા કામકાજ માટે જરૂરી હોય છે, જેમ કે દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, પેટ્રોલ બંક, બેંકો અને અન્ય નાણાકીય સેવાઓ, ટપાલ અને ડિલિવરીની સેવાઓ, સુવિધા સ્ટોર્સ, પોલ્ટ્રી સ્ટોર્સ વગેરે.

જે આવશ્યક વ્યવસાયો હેઠળ આવતું નથી તે મોટે ભાગે મનોરંજન અને આનંદપ્રમોદની સેવાઓ છે જેમ કે મોલ્સ, જીમ, સિનેમા હોલ અને રિટેલ સ્ટોર્સ જેમને વસ્તુઓ વધુ સ્થિર ન થાય ત્યાં સુધી બંધ રાખવાનું કહેવામાં આવે છે. (દરેક રાજ્યના નિયમો અને પ્રતિબંધોમાં ફેરફારના આધારે).

ભારતમાં કોરોનાવાયરસ માટે પરીક્ષણ કેવી રીતે કરવું?

સામાન્ય રીતે, એવી ભલામણ કરવામાં આવે છે કે જે લોકોએ તાજેતરમાં મુસાફરી કરી છે/કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા છે/ તેઓ  આવશ્યક કામદારો અથવા આરોગ્યસંભાળ પ્રદાતાઓ પણ છે/ અને કોરોનાવાયરસ માટે પરીક્ષણ માટે લક્ષણો બતાવી રહ્યાં છે.

આ જ હવે સરકારી હોસ્પિટલો અને ખાનગી હેલ્થકેર પ્રોવાઇડર્સ દ્વારા પણ કરી શકાય છે. અહીં ભારતમાં કેટલીક પરીક્ષણ પ્રયોગશાળાઓની સૂચિ આપવામાં આવી છે.

જો તમને ખાતરી ન હોય કે તમે જોખમના માપદંડ પર ક્યાં ઊભા છો, તો તમે અમારા કોરોનાવાયરસના લક્ષણ તપાસનારને તપાસી શકો છો.

કોરોનાવાયરસના સંદર્ભમાં હર્ડ ઇમ્યુનિટી શું છે?

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, હર્ડ ઇમ્યુનિટી એટલે જ્યારે વસ્તી ચેપી રોગ સામે પ્રતિરક્ષા ધરાવે છે, ત્યારે તે રોગપ્રતિકારક ન હોય તેવા લોકોને પરોક્ષ સુરક્ષા પ્રદાન કરે છે.

આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે એવી કોઈ રસી હોય છે જે મોટાભાગની વસ્તીને રોગપ્રતિકારક બનવામાં મદદ કરે છે અને તેથી તેનો ફેલાવો અટકાવે છે.

હું ગર્ભવતી છું, શું મારા માટે બહાર જવું સલામત છે, જેમ કે હોસ્પિટલ/ક્લીનિકમાં મારા નિયમિત ચેક-અપ માટે?

અમે સમજીએ છીએ કે અત્યારે પરિસ્થિતિ અને તમારા અંગત સ્વાસ્થ્યને જોતા તમારા માટે આ તણાવપૂર્ણ સમય હોઈ શકે છે. જો તમારું OBGYN તે જ ઓફર કરતું હોય તો વર્ચ્યુઅલ મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.

જો કે, કેટલાક ચેક-અપ માટે રક્ત પરીક્ષણો અને અલ્ટ્રાસાઉન્ડ જેવી વ્યક્તિગત સંભાળની જરૂર પડે છે અને તમે તમામ જરૂરી સાવચેતી રાખીને તે માટેની મુલાકાત લેવા જઈ શકો છો.

મારા શહેરમાં હવે ઘણી બધી વસ્તુઓ ખુલી ગઈ છે. શું હવે બહાર જવાનું ઠીક છે?

આર્થિક મંદીને કારણે હવે ઘણાં શહેરો ખુલી ગયા છે, પરંતુ હજુ પણ બહાર જવાની ભલામણ કરવામાં આવતી નથી. કોરોના વાયરસના કેસ દરરોજ વધી રહ્યાં છે. ઘરમાં રહેવું અને જરૂરી વસ્તુઓ માટે જ બહાર નીકળવું શ્રેષ્ઠ છે.

જો મારે ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર હોય તો મારે શું કરવું જોઈએ?

હવે ભારતમાં ટેલિમેડિસિન કાયદેસર છે અને મોટાભાગના ડોકટરો તેમની સેવાઓને ઑનલાઈન ઓફર કરી રહ્યાં છે. પ્રથમ વર્ચ્યુઅલ કન્સલટન્સી માટે પસંદ કરવું શ્રેષ્ઠ છે અને જો જરૂરી હોય અને તમારા ડૉક્ટર દ્વારા ઉલ્લેખિત હોય, તો તમે શારીરિક મુલાકાત પણ લઈ શકો છો.

શું કાપડથી બનેલાં ચહેરાના માસ્ક વાપરવા માટે સલામત છે?

ઘણી બ્રાન્ડ્સ હવે તેમના પોતાના કપડા આધારિત ચહેરાના માસ્ક સાથે આવી રહી છે. હા, આને વાપરવા એ સંપૂર્ણપણે સલામત છે. જો કે, કૃપા કરીને ઉપયોગ કરતાં પહેલાં અને પછી તમારા હાથ ધોવાની ખાતરી કરો અને, જ્યારે તમે બહારથી પાછા ફરો ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો.

કોરોનાવાયરસમાં એસિમ્પટમેટિક એટલે શું છે?

તમે કદાચ એસિમ્પટમેટિક શબ્દ એક કરતાં વધુ વાર સાંભળ્યો હશે. એસિમ્પ્ટોમેટિક એ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે કદાચ સ્વસ્થ લાગે અને કોઈ લક્ષણોનો અનુભવ ન કરી રહ્યો હોય પરંતુ હજુ પણ તે વાયરસનો વાહક છે.