Try agian later
I agree to the Terms & Conditions
Try agian later
I agree to the Terms & Conditions
મોતિયાનો હેલ્થ ઈન્સ્યોરન્સ ફક્ત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો સંદર્ભ આપે છે જે મોતિયાની સારવારને આવરી લે છે. વૃદ્ધાવસ્થામાં આંખની આ સામાન્ય સમસ્યા છે. આ સિવાય આંખમાં ઈજાઓ થવાને કારણે મોતિયો પાકી શકે છે.
ડિજિટમાં અમારી ડેકેર પ્રક્રિયાઓ હેઠળ કોઈ પણ વધારાના ખર્ચ વિના મોતિયાની સારવારનો સમાવેશ કરવામાં આવે છે.
આંખના લેન્સમાં ગાઢ, વાદળછાયા વિસ્તારની રચનાને કારણે સર્જાતી સ્થિતિને મોતિયો કહેવાય છે. તે મોટાભાગે વૃદ્ધ લોકોમાં સામાન્ય છે અને જો સારવાર ન કરવામાં આવે તો આંશિક અથવા સંપૂર્ણ અંધત્વ તરફ પણ દોરી શકે છે.
મોતિયા માટે કોઈ એક માત્ર કારણ જવાબદાર નથી. જોકે તે વરિષ્ઠો લોકોમાં સામાન્ય છે. ભારતમાં એક એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જ્યાં 50 વર્ષની ઉંમરના લોકોને પણ મોતિયાની અસર થઈ રહી છે!
તેનું એક કારણ ભારતમાં ડાયાબિટીસનો વધારો અને વ્યાપ પણ હોઈ શકે છે. ડાયાબિટીસ અને વધતી ઉંમર ઉપરાંત મોતિયાના કેટલાક કારણો નીચે મુજબ છે.
• ઓક્સિડન્ટ્સનું વધુ ઉત્પાદન એટલે કે ઓક્સિજનના પરમાણુઓ કે જે સામાન્ય દૈનિક જીવનને કારણે રાસાયણિક રીતે બદલાઈ ગયા છે
• ધૂમ્રપાન
• અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન
• સ્ટીરોઈડ અને અન્ય દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ
• અમુક રોગો જેમ કે ડાયાબિટીસ
• આંખમાં ભૂતકાળમાં થયેલી ઇજાઓ
• રેસિયેશન થેરાપી
• દ્રષ્ટિ ઝાંખી થવી
• રાત્રે જોવામાં તકલીફ
• રંગો ઝાંખા દેખાવા
• ઝગઝગાટ સાથે સંવેદનશીલતા વધવી
• આજુબાજુની લાઇટો
• અસરગ્રસ્ત આંખમાં બેવડી દ્રષ્ટિ
• પ્રિસ્ક્રિપ્શન ચશ્મામાં વારંવાર ફેરફારની જરૂરિયાત
સામાન્ય રીતે લોકો એવી ગેરસમજમાં હોય છે કે મોતિયા એક જ પ્રકારનું હોય છે અને તે ફક્ત વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત હોય છે.
જોકે હકીકત કઈંક અલગ છે. મોતિયા તેના કારણ અને આંખના કયા ભાગને અસર કરે છે તેના આધારે વિવિધ પ્રકારના હોઈ શકે છે. નીચે મોતિયાના વિવિધ પ્રકારો છે :
• ન્યૂક્લિયર મોતિયો : લેન્સની મધ્યમાં બને છે અને ન્યુક્લિયસ (આંખનું કેન્દ્ર) પીળા/ભુરો થવાનું કારણ બને છે
• કોર્ટિકલ મોતિયો : ફાચર આકારનું, ન્યુક્લિયસની ધારની આસપાસ રચાય છે.
• પૉસ્ટિરિઅર કેપ્સુલર કૅટરૅક્ટ્સ: અન્ય મોતિયાની સરખામણીમાં ખૂબ જ ઝડપથી બને છે અને આંખના લેન્સના પાછળના ભાગને અસર કરે છે.
• જન્મજાત મોતિયો : આ મોતિયાનો એક એવો પ્રકાર છે જે વધતી ઉંમરને કારણે નથી થતો પરંતુ જન્મથી જ બાળકમાં હોય છે અથવા બાળકના પ્રથમ વર્ષમાં આંખમાં બને છે.
• ગૌણ મોતિયો : અન્ય રોગ અથવા ડાયાબિટીસ અને ગ્લુકોમાને કારણે આ મોતિયો થાય છે. વધુમાં સ્ટેરોઇડ્સ અને અન્ય દવાઓનો ઉપયોગ પણ મોતિયાનું કારણ બની શકે છે.
• આઘાતજનક મોતિયો : કેટલીકવાર આંખમાં ઈજા થયા પછી આ મોતિયો વિકસી શકે છે. જોકે આ મોતિયાના સર્જનમાં વર્ષો પણ લાગી શકે છે.
• રેડિયેશન મોતિયો : કેન્સર માટે રેડિયેશન ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પછી વ્યક્તિમાં આ મોતિયો બને છે.
હા, તમારી આંખના સ્વાસ્થ્ય અને એકંદર શરીરના આરોગ્ય અને સુખાકારીને જાળવી રાખીને મોતિયાને અટકાવી શકાય છે. મોતિયાને રોકવાની કેટલીક રીતોમાં નીચે જણાવી છે :
• તમારી આંખોને UVB કિરણોથી બચાવવા માટે બહાર તડકામાં નીકળો ત્યારે સનગ્લાસ પહેરો.
• નિયમિત આંખની તપાસ કરાવો. ખાસ કરીને જો તમે સામાન્ય રીતે આંખની સમસ્યાઓનો સામનો કરો છો અથવા 65 વર્ષથી વધુ ઉંમરના છો તો સમયાંતરે આંખોની તપાસ કરાવો.
• ધૂમ્રપાન બંધ કરો !
• એન્ટીઓક્સીડેન્ટ ધરાવતા ફળો અને શાકભાજીનું નિયમિત સેવન કરો.
• શરીરને સ્થૂળ ન બનાવો. યોગ્ય-તંદુરસ્ત વજન જાળવી રાખો. તે અન્ય રોગોને પણ અટકાવે છે.
• જો તમને ડાયાબિટીસ હોય તો તમારા ડાયાબિટીસના લેવલને કાબૂમાં રાખો.
હા, એવા કેટલાક લોકો છે જેઓ કમનસીબે અન્ય લોકો કરતા મોતિયાની વધુ સંભાવના ધરાવે છે. તેમાંના કેટલાક જોખમી પરિબળોનો નીચે મુજબ છે :
• વધતી જતી ઉંમર
• ભારે આલ્કોહોલનું સેવન
• નિયમિત ધૂમ્રપાન
• સ્થૂળતા-ઓબેસિટી
• હાઈ બ્લડ પ્રેશર
• અગાઉની આંખની ઇજાઓ
• મોતિયાનો પારિવારિક ઇતિહાસ
• સતત સૂર્યપ્રકાશનો સંપર્ક
• ડાયાબિટીસ
• એક્સ-રે અને કેન્સરની સારવારમાં રેડિયેશનનો સંપર્ક
જ્યારે ફેકોઈમલસિફિકેશન મોતિયાની સર્જરીએ મોતિયાની સર્જરીનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આ સિવાય મોતિયાની સર્જરી માટે કેટલી અન્ય સર્જરીઓ પણ છે.
જોકે ડોક્ટરે તમને શું ભલામણ કરી છે તેના આધારે, તમે જે શહેરમાં રહો છો, તમે જે હોસ્પિટલ પસંદ કરો છો અને તમારી ઉંમર કેટલી છે તેને આધારે ભારતમાં મોતિયાની સર્જરીનો ખર્ચ અલગ-અલગ હશે. ભારતમાં ત્રણ અલગ-અલગ પ્રકારના મોતિયાની સર્જરી માટે અંદાજે કેટલો ખર્ચ થશે તે નીચે છે :
ફેકોઇમલ્સિફિકેશન મોતિયાની સર્જરી |
વધારાની કેપ્સ્યુલર મોતિયાની સર્જરી |
બ્લેડલેસ મોતિયાની સર્જરી |
તે શું છે : એનેસ્થેસિયા આપીને મોતિયાને તોડી નાખવા અને દૂર કરવા માટે અસરગ્રસ્ત કોર્નિયામાં નાના ચીરો કરવાની આ સૌથી સામાન્ય સર્જરી છે. |
તે શું છે : ફેકોઈમલ્સિફિકેશન મોતિયાની સર્જરી જેવી જ છે, પરંતુ અહીં સર્જરીમાં જરૂરી ચીરા સામાન્ય કરતાં મોટા છે. |
તે શું છે : આ સર્જરી કોઈપણ ચીરા પદ્ધતિઓનો ઉપયોગ કરતી નથી પરંતુ તેના બદલે કોમ્પયુટર આધારિત ફેમટોસેકન્ડ લેસર દ્વારા મોતિયાની સારવાર કરવામાં આવે છે, જે મોતિયાને ઓગાળી દે છે. |
ખર્ચ : અસરગ્રસ્ત આંખ માટે લગભગ રૂ. 40,000નો ખર્ચ થાય છે. |
ખર્ચ : અસરગ્રસ્ત આંખ માટે રૂ. 40,000 થી રૂ. 60,000 વચ્ચે. |
ખર્ચ : આ સર્જરી એકદમ તાજેતરની અને ખૂબ જ ટેકનિકલ છે તેથી અન્ય સર્જરીઓ કરતાં વધુ ખર્ચાળ છે એટલે કે અસરગ્રસ્ત આંખ માટે લગભગ રૂ. 85,000 થી 120,000નો ખર્ચ આવે છે. |
ડિસ્કલેમર : ઉપરોક્ત માત્ર અંદાજિત ખર્ચ છે અને દરેક હોસ્પિટલ અને શહેરમાં ખર્ચ અલગ-અલગ હોઈ શકે છે.
કો-પેમેન્ટ |
ના |
રૂમ ભાડાની મર્યાદા |
ના |
કેશલેસ હોસ્પિટલ્સ |
સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો |
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર |
હા |
વેલનેસ બેનિફિટ |
10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ |
શહેર આધારિત વળતર |
10% સુધી વળતર |
વિશ્વવ્યાપી કવરેજ |
હા* |
સારું હેલ્થ વળતર |
5% સુધી વળતર |
ઉપભોક્તા કવર |
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે |
ડિજિટનો હેલ્થ ઈન્સ્યોરન્સ મોતિયાની સર્જરીને ‘ડેકેર પ્રોસિજર’ હેઠળ આવરી લે છે. તે મેડિકલ ટ્રીટમેન્ટ તરીકે સ્વીકાર્ય છે જેમાં સારવાર માટે 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
જો તમે મોતિયાની સર્જરી કરાવવા ઈચ્છો છો અને અમારી પાસે ઈન્સ્યોરન્સ લીધો છે - તો તમે કેવી રીતે ક્લેઈમ કરી શકો છો તે નીચે જણાવેલ છે :
જો તમે કેશલેસ ક્લેઈમ માટે જવા માંગતા હો તો તમે પહેલા નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો જ્યાં તમે મોતિયાની સર્જરી કરાવવા માંગો છો.
• અમને ઉપરોક્ત નંબર અથવા ઈમેલ પર ઓછામાં ઓછા 72-કલાક પહેલા જાણ કરો.
• નેટવર્ક હોસ્પિટલ ડેસ્ક પર તમારું ઈ-હેલ્થ કાર્ડ રજૂ કરો અને કેશલેસ રિક્વેસ્ટ ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે તો તમારા ક્લેઈમની પ્રક્રિયા ત્યાં જ કરવામાં આવશે!