હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ
9000+
Cashless Hospitals
2.5 Crore+
Lives Insured
4.5 Lacs+
Claims Settled
I agree to the Terms & Conditions
Get Exclusive Porting Benefits
Buy Health Insurance, Up to 20% Discount
Port Existing Policy
મેન્ટલ હેલ્થ સમસ્યાઓને આવરી લેતા હેલ્થ ઇન્શ્યુરન્સ વિશે તમામ માહિતી
મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ દ્વારા શું આવરી લેવામાં આવે છે?
મેન્ટલ હેલ્થ એ એક એવો વિષય છે જે હંમેશા બંધ દરવાજા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. મેન્ટલ હેલ્થ અને સુખાકારી માટે એક વિશાળ કલંક છે. જોકે ભગવાનનો આભાર. હવે સમય બદલાઈ રહ્યો છે ત્યારે લોકો મેન્ટલ હેલ્થ વિશે વાત કરવા લાગ્યા છે અને તેને શારીરિક હેલ્થની જેમ ગંભીરતાથી લેવા માટે વધુ ખુલ્લા થયા છે. આ જ ફેરફાર ઇન્શ્યુરન્સ ક્ષેત્રમાં પણ લાવવામાં આવ્યો છે.
16મી ઓગસ્ટે ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ ઇન્શ્યુરન્સ કંપનીઓને મેન્ટલ હેલ્થને આવરી લેવા માટે જોગવાઈઓ કરવા જણાવ્યું હતું. મેન્ટલ હેલ્થનો, ખાસ કરીને ભારતમાં વિશાળ અવકાશ હોવાથી આ એક આવકારદાયક પગલું હતું. તેથી મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ હવે વાસ્તવિકતા છે અને હવે તમારા હેલ્થ ઇન્શ્યુરન્સમાંથી તેને બાકાત રાખવામાં આવશે નહીં.
મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ વિશે જાણવા જેવી બાબતો
મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ શું આવરી લે છે?
કોઈપણ માનસિક બિમારીને કારણે દર્દીની સંભાળ હેઠળ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ કોઈપણ ખર્ચને આવરી લે છે. તેમાં ડાયગ્નોસ્ટિક્સ, દવાઓ, સારવારનો ખર્ચ, રૂમનું ભાડું, રોડ એમ્બ્યુલન્સ ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે.
મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ કોણે લેવો જોઈએ?
કૌટુંબિક ઇતિહાસ અથવા કોઈપણ આઘાતજનક અનુભવ ધરાવતી કોઈપણ વ્યક્તિને થતી આ પ્રકારના માનસિક બિમારીને માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ કવરેજ હેઠળ સમાવી લેવાય છે. કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવાને કારણે લાગતા આઘાત કે અકસ્માત પછીના આઘાતથી પીડિત કોઈપણ માટે પણ તે ઉપયોગી છે. તણાવપૂર્ણ લાઈફસ્ટાઈલ અને જીવન શૈલીના વર્તમાન દૃશ્ય સાથે વાસ્તવમાં દરેક વ્યક્તિ મેન્ટલ હેલ્થ માટે સંવેદનશીલ હોય છે.
માનસિક બિમારીના દર્દીને ઓછામાં ઓછો કેટલો સમય હોસ્પિટલાઈમાં દાખલ કરવો જોઈએ?
હેલ્થ ઇન્શ્યુરન્સમાં ખર્ચનો દાવો કરવા માનસિક બિમારીના દર્દી માટે હોસ્પિટલમાં દાખલ થવાનો લઘુત્તમ સમય 24 કલાક હોવો જોઈએ.
શું પરામર્શ અને સલાહ-સૂચન માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ કવરેજ હેઠળ આવરી લેવામાં આવે છે?
બહુ ઓછા ઇન્શ્યુરર OPD લાભ હેઠળ મેન્ટલ હેલ્થ માટે આ સેવા આવરી લે છે. તેથી જ તમારી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીમાં OPD બેનિફિટ અને મેન્ટલ હેલ્થ બંને લાભ માટેનો વિકલ્પ છે કે નહીં તે પહેલા ચકાસવું જોઈએ.
શું માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ માટે રાહ સમય/વેઈટિંગ પીરિયડ છે?
અન્ય તમામ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓની જેમ મેન્ટલ હેલ્થના લાભમાં પણ રાહ સમય એટલેકે વેઈટિંગ પીરિયડ હોય છે જે ઇન્શ્યુરર ભોગવવાનો હોય છે. મોટાભાગના ઇન્શ્યુરર સાથે મેન્ટલ હેલ્થના લાભ માટે રાહ જોવાનો સમયગાળો 2 વર્ષનો છે. તેથી જો તમે આજે હેલ્થ ઇન્શ્યુરન્સ ખરીદ્યો છે તો તમારે માનસિક બિમારીના કારણે થયેલા ખર્ચ માટે દાવો કરવા 2 વર્ષ રાહ જોવી પડશે. તેથી સલાહ આપવામાં આવે છે કે વહેલા શરૂઆત કરો અને તમારી પ્રથમ પોલિસી સાથે આ લાભ લો. આમ તમને જ્યારે જરૂર હોય ત્યારે તમારો રાહ સમય પૂરો થઈ ગયો હોય.
તો, મેન્ટલ હેલ્થની યાદીમાં કયા રોગો આવે છે?
મેન્ટલ હેલ્થની યાદીમાં નીચે જણાવેલ કેટલીક જાણીતી હેલ્થ આવે છે:
માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ હેઠળ શું આવરી લેવામાં આવતું નથી?
દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે ત્યારે જ માનસિક હેલ્થ ઇન્શ્યુરન્સ ખર્ચને આવરી લે છે. બહુ ઓછા ઇન્શ્યુરર સલાહ-સૂચન કાઉન્સેલિંગ/પરામર્શ જેવા આઉટ પેશન્ટ કેરના ખર્ચને આવરી લે છે. ડ્રગ અથવા દારૂના દુરૂપયોગને કારણે પ્રેરિત કોઈપણ મેન્ટલ હેલ્થને આવરી લેવામાં આવશે નહીં.
ઉપરાંત જો રિકરિંગ માનસિક સ્થિતિનો ઇતિહાસ હોય તો દાવો સ્વીકારવામાં આવશે નહીં.
મેન્ટલ હેલ્થ ઇન્શ્યુરન્સ એ અનાદી કાળથી મેન્ટલ હેલ્થને કેવી રીતે જોવામાં આવે છે તેના પર એક નવી દ્રષ્ટિ આપી છે. જો તમને લાગતું હોય કે તમારા પ્રિયજનો કોઈ માનસિક બિમારીથી પીડિત છે, તો ઊંડા ઉતરવાનો આ સમય છે. તેમને યોગ્ય સમયે મદદ મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે તેના વિશે વાત કરવાનો આ સમય છે!
વાંચો: કોવિડ 19 માટે હેલ્થ ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવે છે? ચકાસો