હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં કૂલિંગ-ઓફ પીરિયડ શું છે?

COVID-19 જેવી અમુક બિમારીઓમાંથી સાજા થયા છે તેવા દર્દીઓની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવાના સંદર્ભમાં "કૂલિંગ-ઓફ પીરિયડ" શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

આ કૂલિંગ-ઓફ સમયગાળો મૂળભૂત રીતે રિકવરી પછીનો સમયગાળો છે જે દરમિયાન વ્યક્તિ હજુ પણ હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકતો નથી, જે તેને રાહ સમય/વેઇટિંગ પીરિયડ કરતા અલગ બનાવે છે. આ સમયગાળો થોડા દિવસોથી લઈને થોડા મહિના સુધીનો હોઈ શકે છે અને વ્યક્તિ તેની બીમારીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે અને પછી ઈન્શ્યુરન્સ લેવા માટે યોગ્ય બની જાય છે ત્યાં સુધીનો વિલંબિત સમયગાળા જેવો હોય છે.

આ પ્રકારનો કૂલ-ઓફ સમયગાળો ભારતમાં મોટાભાગની મોટા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનને લાગુ પડે છે.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં કૂલિંગ-ઓફ પીરિયડ શા માટે મહત્વપૂર્ણ છે?

કોઈપણ વ્યક્તિ જો હાલમાં કોઈ મેડિકલ સ્થિતીથી પીડિત હોય અથવા હમણાં જ રિકવર થઈને સાજા થયો હોય ત્યારે હેલ્થ ઈન્શ્યુરન્સ કવર માટે અરજી કરો તો તેમાં રહેલા જોખમો અનુસાર ઈન્શ્યુરન્સ અન્ડરરાઈટ કરવામાં આવે છે. આમ, તબીબી સ્થિતિ સુધરે પછી પોલિસી મંજૂર થાય છે અને વ્યક્તિ ઇન્શ્યુરર માટે ઉચ્ચ જોખમ ઊભું કરતી નથી.

જો કોવિડ-19 માંથી સાજા થયા હોવાના કેસોમાં લક્ષણો સંપૂર્ણપણે દૂર થવા માટે સમય લાગે છે અને ફરીથી થવાની શક્યતાઓ ઓછી થવાના સંકેત મળે છે. વધુમાં જેમને સામાન્ય COVID-19 છે તેઓ કદાચ જાણતા હશે કે તેમને વાયરસ છે પરંતુ ભવિષ્યમાં તેઓને કોરોનાવાયરસ હોવાનું નિદાન થઈ શકે છે.

કોવિડ-19ની લાંબા ગાળાની અસરોથી હજુ અજ્ઞાત હોવાથી અને પલ્મોનરી અને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓના કિસ્સાઓ જોવા મળ્યા છે તેથી સાજા થયેલા દર્દીઓ માટે નવી પોલિસીઓ અન્ડરરાઈટ કરવી વધુ જટિલ પ્રક્રિયા બની ગઈ છે.

કૂલિંગ-ઓફ પીરિયડ આવી કોઈપણ ગૂંચવણો ઊભી થવા માટેનો યોગ્ય વચગાળાનો સમય આપે છે કારણ કે તેના દ્વારા પોલિસી પર અસર પડી શકે છે.

બદલામાં આનો અર્થ એ થાય છે કે પોલિસી ધારકોને ભવિષ્યમાં તેમના દાવાઓની પતાવટ કરવામાં ઓછી સમસ્યાઓ આવશે.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં આ કૂલિંગ-ઓફ પીરિયડ કેવી રીતે કામ કરે છે?

કૂલિંગ-ઓફ સમયગાળો ઇન્શ્યુરરને હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદે તે પહેલા ગ્રાહકના હેલ્થનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરવા માટે સમય આપે છે.

આ રાહ જોવાના સમયગાળા દરમિયાન તમને નેગેટીવ રિપોર્ટ આપવા અને શારીરિક તપાસ કરાવવા માટે પણ કહેવામાં આવી શકે છે. કેટલાક ઇન્શ્યુરર તમને છેલ્લા છ મહિનાથી એક વર્ષ દરમિયાનની કોઈપણ હેલ્થ સ્થિતી જાહેર કરવાની અને તેના તબીબી રેકોર્ડ આપવા માટે પણ કહી શકે છે.

જોખમ મૂલ્યાંકનના દૃષ્ટિકોણથી વ્યક્તિની હેલ્થની સ્થિતતી સારી છે તેની ખાતરી કરવા માટે આ અતિ મહત્વપૂર્ણ છે.

અને પછી કેસના આધારે ઈન્શ્યુરન્સ અન્ડરરાઇટર્સ તરત જ પોલિસી જારી કરવી કે તેને કૂલિંગ-ઓફ સમયગાળા માટે મુલતવી રાખવાનો નિર્ણય લેશે. જોકે અત્રે નોંધનીય છે કે આ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રિમીયમને અસર કરતું નથી.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં ન્યૂનતમ કૂલીંગ-ઓફ પીરિયડ કેટલો છે?

કોરોના વાયરસ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ માટે કૂલિંગ-ઓફ સમયગાળો વિવિધ કંપનીઓ માટે અલગ-અલગ હશે. જોકે સામાન્ય રીતે જેમનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેઓએ મેડિકલ ઈન્શ્યુરન્સ કવચ માટે અરજી કરવા માટે નિદાનની તારીખથી 15-90 દિવસ સુધી રાહ જોવી પડશે.

કોરોના વાયરસથી બીમાર પડ્યા હોય તેમણે હેલ્થ ઈન્શ્યુરન્સ કવર ખરીદતા પહેલા સંપૂર્ણ સ્વસ્થ થવાની રાહ જોવી પડે છે અને કેટલીકવાર નેગેટીવ રિપોર્ટ પણ આપવા પડશે.

આ હેલ્થ ઈન્શ્યુરન્સ કૂલીંગ-ઓફ પીરિયડ વિશે તમે શું કરી શકો?

આદર્શ રીતે તમે કોવિડ-19થી સંક્રમિત થાઓ તે પહેલાં તમારે હેલ્થ ઈન્શ્યુરન્સ કવચ મેળવવું આવશ્યક છે જેથી કરીને તમને કોઈપણ વધુ વિલંબ વગર તમારી જાતને પોલિસીના લાભ અપાવી શકો. હંમેશા તપાસો કે તમારી પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવ્યું છે (ઉદાહરણ તરીકે કોવિડ-19 સારવાર અથવા હોસ્પિટલાઈઝેશન અને દાવાની રકમ), જેથી કરીને તમે તમામ સંજોગો માટે તૈયાર રહો.

ઉપરાંત તમારા કવરેજમાં કોઈપણ પેનલ્ટી અને ગેપ/અંતરને ટાળવા માટે હંમેશા તમારા હેલ્થ ઈન્શ્યુરન્સને સમયસર રિન્યૂ કરો.

જો તમે કોઈ બીમારીમાંથી સાજા થઈ ગયા હો તો તમને પૂછવામાં આવેલી કોઈપણ માહિતી, જેમ કે અગાઉની હેલ્થ સ્થિતી અથવા તબીબી રેકોર્ડ્સ, જાહેર કરવાનું યાદ રાખો જેથી કરીને તમે કોઈપણ વિસંગતતાઓને ટાળી શકો અને દાવાને નકારવાની સંભાવનાઓ દૂર કરી શકો.


આ દિવસોમાં ખાસ કરીને વૈશ્વિક COVID-19 રોગચાળાને કારણે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી એક આવશ્યકતા બની ગઈ છે. હેલ્થ કટોકટીની સ્થિતીમાં તે તમને મોટા નાણાકીય નુકસાનથી બચાવી શકે છે. COVID-19 જેવી ગંભીર બિમારીમાંથી સાજા થયા છે તેઓને ભવિષ્યમાં ગૂંચવણો થવાની સંભાવના હોઈ શકે છે, તેથી તેઓને કૂલિંગ-ઓફ પીરિયડમાંથી પસાર થવાની જરૂર પડી શકે છે જેથી નવી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલા તેમના હેલ્થનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરવામાં આવે.

જોકે જો તમારી તબિયત સારી છે અને હજુ સુધી વાયરસથી ચેપ લાગ્યો નથી તો શક્ય તેટલી વહેલી તકે હેલ્થ ઈન્શ્યુરન્સ કવરેજ મેળવવાનો પ્રયાસ કરો, જેથી તમે વધુ ઝડપથી કવર મેળવી શકો. અને જો કદાચ ચેપ લાગે તો તમારી સારવાર અને રિકવરી સમયગાળા દરમિયાન થતા કોઈપણ ખર્ચ માટે પણ તમને આવરી લેવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કૂલિંગ-ઓફ પીરિયડ એટલે શું?

કૂલિંગ-ઓફ પીરિયડ અમુક બિમારીઓમાંથી રિકવરી પછીનો સમયગાળો છે, જેમ કે COVID-19. કોરોના વાયરસના ચેપ દરમિયાન વ્યક્તિ હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકતી નથી. તે વિલંબિત સમયગાળાની જેમ છે, જ્યાં વ્યક્તિને તેમની બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાનો સમય આપવામાં આવશે અને પછી ઈન્શ્યુરન્સ લેવા માટે યોગ્ય ગણવામાં આવશે. આ સમયગાળો થોડા દિવસોથી લઈને થોડા મહિના સુધીનો હોઈ શકે છે.

ઈન્શ્યુરન્સ રિન્યુ કરતી વખતે કૂલિંગ-ઓફ પીરિયડ હોય છે?

ના, તમે જ્યારે તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી સમયસર રિન્યૂ કરો છો (એટલે કે તમારી પોલિસીની સમાપ્તિ અથવા અન્ય કારણોસર તમારા ઈન્શ્યુરન્સ કવરેજમાં કોઈ બ્રેક નથી) ત્યારે કૂલિંગ-ઓફ સમયગાળો લાગુ થશે નહીં.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં કૂલિંગ-ઓફ પીરિયડ અને વેઇટિંગ પિરિયડ વચ્ચે શું તફાવત છે?

કૂલિંગ-ઓફ પીરિયડ:

  • COVID-19 જેવી બીમારીમાંથી સ્વસ્થ થયા પછીનો આ થોડો સમય છે જ્યાં તમે કોરોનાવાયરસ હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવા માટે સક્ષમ નહિ હોવો.
  • તે બે અઠવાડિયાથી ત્રણ મહિના સુધીનો હોઈ શકે છે.

રાહ સમય/વેઈટિંગ પીરિયડ:

  • તમે ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદ્યા પછી આ થાય છે. હેલ્થ ઈન્શ્યુરન્સના અમુક અથવા તમામ લાભ માટે દાવો કરી શકો તે પહેલાં તમારે રાહ જોવાની જરૂર પડશે
  • સામાન્ય રીતે શરૂઆતી રાહ સમય/વેઈટિંગ પીરિયડ હોય છે, તેમજ પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો, પ્રસૂતિ લાભો અને અમુક અન્ય બિમારીઓ માટે ચોક્કસ રાહ જોવાનો સમયગાળો હોય છે.
  • રાહ સમય/વેઈટિંગ પીરિયડ અને તેની શરત દરેક ઈન્શ્યુરન્સ કંપનીના આધારે બદલાશે.

મેં બીજા એક પ્રકારના કૂલિંગ-ઓફ પીરિયડ વિશે સાંભળ્યું છે, તે શું છે?

ઈન્શ્યુરન્સ કંપનીઓ નવા ખરીદદારોને 15-30 દિવસનો કૂલિંગ-ઓફ પીરિયડ (ક્યારેક ફ્રી લુક પીરિયડ તરીકે પણ ઓળખાય છે) ઓફર કરે છે. આવા કૂલિંગ-ઓફ સમયગાળા હેઠળ જે સભ્યોએ તેમની પોલિસીની શરૂઆતની તારીખના 15-30 દિવસની અંદર દાવો કર્યો નથી, તેઓ તેમની પોલિસી રદ કરવા અને સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છે.