hamburger

General Insurance

Life Insurance

Claims

રિસોર્સિસ

mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ભારતમાં ઇન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો?

નાણાકીય વર્ષ 2023-24 માટે સેલરી પર ઇન્કમ ટેક્સ બચાવો

ઇન્કમ ટેક્સના બોજને ઘટાડવા માટે ટેક્સ પ્લાનિંગ મહત્વનું છે જેથી લોકોના સંપત્તિ-સર્જનમાં નુકશાન ન થાય. ઇન્કમ ટેક્સની અસરકારક બચત માટે ટેક્સદાતાઓએ ટેક્સની બચત અને સંપત્તિની વૃદ્ધિ માટે ઉપલબ્ધ વિવિધ પ્રક્રિયાને જાણીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની જરૂર છે. સીબીડીટી વધુ જટિલ ટેક્સ કલેક્શન અને સંબંધિત સેવાઓની સુવિધા આપે છે, તેથી લાગુ પડતા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ભારતમાં ટેક્સ કેવી રીતે બચાવવો તે અંગે નવો અભિગમ અપનાવવો જોઈએ.

નાણાકીય વર્ષ 2023-24 શરૂ થયું હોવાથી, ભારતમાં વ્યક્તિગત ટેક્સદાતાઓ માટે આ વર્ષે ઇન્કમ ટેક્સમાં મહત્તમ બચત કરવા માટેનું આર્થિક આયોજન અત્યારથી જ શરૂ કરવું જોઈએ.

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે ભારતમાં ઇન્કમ ટેક્સ સ્લેબના દરો

નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - નવું ટેક્સ માળખું

નાણાકીય વર્ષ 2023-24 માટે, નવી ટેક્સ વ્યવસ્થા તમામ વય જૂથો માટે સમાન છે. નવા સુધારેલા ટેક્સ રેટ છે:

ઇન્કમ ટેક્સના સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3.00,001 અને રૂ. 6,00,000ની વચ્ચે તમારી કુલ આવકમાં રૂ. 3,00,000થી વધુની રકમ પર 5%
રૂ. 6,00,001 અને રૂ. 9,00,00ની વચ્ચે રૂ. 15,000 + તમારી કુલ આવકમાં રૂ. 6,00,000થી વધુની રકમ પર 10%
રૂ. 9,00,001 અને રૂ. 12,00,000ની વચ્ચે રૂ. 45,000 + તમારી કુલ આવકમાં રૂ. 9,00,000થી વધુની રકમ પર 15%
રૂ. 12,00,001 અને રૂ. 15,00,000ની વચ્ચે રૂ. 90,000 + તમારી કુલ આવકમાં રૂ. 12,00,0000થી વધુની રકમ પર 20%
રૂ. 15,00,000થી વધુ રૂ. 1,50,000 + તમારી કુલ આવકના રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા

નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા યથાવત છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે ટેક્સ સ્લેબ નીચે મુજબ છે.

ઇન્કમ ટેક્સના સ્લેબ કરવેરાનો દર
રૂ. 2,50,000 સુધી શૂન્ય
રૂ. 2,50,000અને રૂ. 5,00,000ની વચ્ચે તમારી કુલ આવકમાં રૂ. 2,50,000થી વધુ પર 5%
રૂ. 5,00,000 અને રૂ. 10,00,000ની વચ્ચે રૂ. 12,500 + તમારી કુલ આવકના રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 10,00,000થી વધુ રૂ. 1,12,500 + તમારી કુલ આવકના રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

ચૂકવવાપાત્ર કુલ ટેક્સ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર વસૂલવામાં આવે છે. વાર્ષિક રૂ. 50 લાખથી વધુ કમાણી કરતા લોકોએ કુલ આવકના નિશ્ચિત ટકાવારીનો સરચાર્જ પણ ચૂકવવો પડે છે. 1 એપ્રિલ, 2023થી અમલી નીચે આપેલા સરચાર્જ દરો પર એક નજર.

કરપાત્ર આવક સરચાર્જ
રૂ. 50 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી ઓછી આવક ધરાવતા લોકો માટે 10%
રૂ. 1 કરોડથી વધુ પરંતુ રૂ. 2 કરોડથી ઓછી આવક ધરાવતા લોકો માટે 15%
રૂ. 2 કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે 25%

યાદ રાખો કે બજેટ 2023 પહેલા, રૂ. 5 કરોડથી વધુની આવક પરનો સર્વોચ્ચ સરચાર્જ 37% હતો, જે ઘટાડીને 25% કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલ, 2023થી અમલમાં છે, બાકીના તમામ સરચાર્જ દરો સમાન છે.

આવા દરો ટકાવારીમાં મોટા લાગતા હોવા છતાં તમારા વાર્ષિક નાણાકીય બોજને હળવો કરવા માટે કેન્દ્ર સરકાર 1961ના ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વિવિધ જોગવાઈઓ જાળવી રાખે છે.

તમે આ લેખમાં ભારતમાં ઇન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો તે અંગેની વિસ્તૃત વિગતો જાણી શકો છો, જે તમને અસંખ્ય માફી અને મુક્તિઓ દ્વારા નોંધપાત્ર રીતે બચત કરવામાં મદદ ટેક્સશે.

[સ્ત્રોત]

નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારતમાં કાયદેસર રીતે પગાર પર ટેક્સ બચાવવાની 8 રીતો

આપણે જીવનની ગુણવત્તામાં વધારો કરે તેવી વિવિધ વસ્તુઓમાં રોકાણ કરીએ છીએ પરંતુ તે ભારે નાણાકીય તાણ તરફ દોરી શકે છે. આ બોજને નોંધપાત્ર રીતે હળવો કરવા માટે સરકાર તમારા કુલ પગાર પર લાદવામાં આવતા સીધા ટેક્સ પર ઇન્કમ ટેક્સ માફીના સ્વરૂપમાં મદદ પૂરી પાડે છે.

નોંધનીય છે કે યુનિયન બજેટ 2023 મુજબ આમાંના કેટલાક ટેક્સ બચત સાધનો 1 એપ્રિલ, 2023થી અમલી નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ નથી. ટેક્સદાતાઓએ ટેક્સ બચત હેતુઓ માટે રોકાણ કરતા પહેલા તેમને કયા લાભો લાગુ પડે છે તે ચકાસવું આવશ્યક છે.

1. યોગ્ય ઇન્કમ ટેક્સ વ્યવસ્થા પસંદ કરો

કરદાતાઓએ તેમના ટેક્સની ગણતરી કરવા માટે બે ટેક્સ પ્રણાલીઓમાંથી એક પસંદ કરી શકે છે. બજેટ 2023 પછી નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. જો તમારી વાર્ષિક આવક નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 7 લાખ સુધીની હોય અને રૂ. 50,000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન હોય તો તમને સંપૂર્ણ ટેક્સ રિફંડનો ક્લેમ કરવાની મંજૂરી મળે છે; જોકે HRA અને અન્ય ડિડક્શન ફાયદા ઉપલબ્ધ નથી.

જૂની ઇન્કમ ટેક્સ પદ્ધતિની વાત કરીએ તો હાલની HRA અને હોમ લોનના વ્યાજ પર ડિડક્શન, આવક પરના વ્યાજ કપાત જેવી તમામ ટેક્સ છૂટ ઉપલબ્ધ છે. જો કે, કોઈ ટેક્સ લિમિટ માત્ર રૂ. 2.5 લાખ સુધી જ મર્યાદિત નથી.

તેથી, સમજુ અને જાણકારી ભરેલ નિર્ણય લેવા માટે કરદાતાઓ બંને પદ્ધતિ દ્વારા ઓફર કરાયેલ સંભવિત ટેક્સ બચતની તુલના કરે તે જરૂરી છે.

[સ્ત્રોત]

2. હોમ લોન મેળવો અને ટેક્સ ફાયદાનો આનંદ માણો

હોમ લોન મેળવવી એ બેવડા લાભો સાથે સંકળાયેલ છે કારણ કે તે તમારા પોતાના ઘરની માલિકીના સંતોષની સાથે ઘટતી ટેક્સ લાયાબિલિટી સાથે આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDR) હાઉસિંગ સ્કીમ જેવી ઘણી યોજનાઓ ભારતમાં પોતાના ઘરના સપનાને સસ્તું બનાવવા માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ યોજનાઓ કલમ 80C, 80EEA, અને 24(b) હેઠળ ટેક્સના ભારણમાં ઘટાડો કરીને નાણાકીય જવાબદારી ઘટાડે છે.

સેક્શન (કલમ) લાભ
કલમ 80C ઉધાર લીધેલી પ્રિન્સિપલ રકમની ચુકવણી માટે કુલ વાર્ષિક આવક પર ખર્ચવામાં આવેલ રૂ. 1.5 લાખ સુધીનું ડિડક્શન.
કલમ 24(b) ઘર ખરીદવા, નવું મકાન બાંધવા અથવા હાલના ઘરનું રિનોવેશન અથવા સમારકામ કરવા માટે હોમ લોનના ઇન્ટરેસ્ટ પર ડિડક્શન. ભાડા અને સ્વ-કબજાવાળી મિલકત બંને માટે હોમ લોનના વ્યાજ પર વાર્ષિક રૂ. 2 લાખ સુધીના મૂલ્યની ટેક્સ છૂટ.
કલમ 80EEA પ્રથમ વખત હોમ લોન લેનારને વ્યાજ પર વાર્ષિક રૂ. 50,000 સુધીની ટેક્સ લાયાબિલિટી.

વધુમાં, જો તમે નવી હસ્તગત કરેલી પ્રોપર્ટી ભાડે આપો છો, તો વ્યાજનો તમામ ભાગ વાર્ષિક ઇન્કમ ટેક્સની ગણતરીમાંથી મુક્તિ મેળવે છે.

ભારતમાં ઇન્કમ ટેક્સ સ્લેબ વિશે વધુ જાણો

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

[સ્ત્રોત 3]

3. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો

ભારતમાં વધી રહેલા તબીબી ખર્ચ સાથે અનેક પરિબળોને કારણે કથળતી આરોગ્યની ગુણવત્તા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવવો એ એક આવશ્યકતા બની રહી છે. આવી ઇન્સ્યોરન્સ પોલિસી કટોકટીની હેલ્થ પરિસ્થિતિઓના સમયે વ્યક્તિઓ અને તેમના સંબંધિત પરિવારોના નાણાકીય તાણને ઘટાડે છે.

વ્યક્તિઓને આવી ઇન્સ્યોરન્સ પોલિસીનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા ટેક્સ લાભોનો વિસ્તાર કરવામાં આવે છે, જે તેમને શૂન્ય અથવા ઓછા વધારાના શુલ્કમાં પ્રીમિયર મેડિકલ સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત હેલ્થેકેર મેળવવાની મંજૂરી આપે છે.

વ્યક્તિઓ કલમ 80D હેઠળ પ્રીમિયમ ચૂકવણીઓ માટે ખર્ચવામાં આવેલી તેમની વાર્ષિક ટેક્સપાત્ર આવકના ભાગ પર ટેક્સ કપાતનો દાવો કરી શકે છે. ઇન્સ્યોર્ડની ઉંમરના આધારે અનુક્રમે આવી ઇન્કમ ટેક્સના કેલક્યુલેશનમાંથી વિવિધ રકમોને છૂટ આપવામાં આવે છે.

પાત્રતા કલમ 80D હેઠળ કપાત
વ્યક્તિગત, જીવનસાથી, બાળકો (60 વર્ષથી નીચેના) માટે હેલ્થ ઇન્સ્યોરન્સ રૂ. 25,000 સુધી
વ્યક્તિગત અને માતાપિતા માટે (60 વર્ષથી નીચે) રૂ. 50,000 સુધી (રૂ. 25,000+ રૂ. 25,000)
વ્યક્તિગત (60 વર્ષથી નીચેના) અને વરિષ્ઠ નાગરિક માતાપિતા માટે રૂ. 75,000 સુધી (રૂ. 25,000+ રૂ. 50,000)
વ્યક્તિગત અને માતાપિતા માટે (બંને 60 વર્ષથી ઉપર) રૂ. 1,00,000 સુધી (રૂ. 50,000+ રૂ. 50,000)

ઉપરોક્ત દરો ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 મુજબ સમયાંતરે સુધારેલા છે.

હેલ્થ ચેક-અપ પર ખર્ચવામાં આવેલી કુલ રકમ પર ટેક્સ લાભો માટેની જોગવાઈ પણ કલમ 80D હેઠળ કરવામાં આવેલ છે, જેની મહત્તમ મર્યાદા રૂ. 5,000 છે. આવી છૂટ રૂ. 25,000 સુધીની રકમના પ્રીમિયમ માફીમાં સામેલ છે.

[સ્ત્રોત]

વધુ જાણો:

4. ટેક્સ બચત રોકાણો અને સરકારી સ્કીમ

કેપિટલ માર્કેટમાં અને સરકારી સ્કીમોમાં રોકાણ વધુ વળતર, તેમજ ટેક્સ બચત લાભો દ્વારા સંપત્તિ સંચય તરફ દોરી શકે છે.

અસંખ્ય સરકારી યોજનાઓ ટેક્સ માફીની સાથે રોકાણો પર ઉંચું વળતર પણ આપે છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ વ્યક્તિ કુલ વાર્ષિક આવક પર ટેક્સ માફી જેવા રોકાણો પર ખર્ચવામાં આવેલ રૂ. 1.5 લાખ સુધીનો ક્લેમ કરી શકે છે.

વ્યક્તિગત કરદાતાઓ નીચેના સાધનોમાં રોકાણ કરીને કલમ 80C હેઠળ ટેક્સ મુક્તિનો લાભ મેળવી શકે છે:

સ્કીમ લાભ લોક-ઇન પીરિયડ
ELSS (ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ) રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ. 3 વર્ષ
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) PPF ખાતામાં આપેલું યોગદાન, વ્યાજ અને મેચ્યુરિટી રકમ, તમામને મહત્તમ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ આપવામાં આવે છે. 15 વર્ષ (વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે)
રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) IT એક્ટની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધી. કલમ 80CCD (1b) હેઠળ રૂ. 50,000 સુધીની વધારાની કપાત. જો બેઝિક પગારના 10% એમ્પ્લોયર દ્વારા યોગદાન આપવામાં આવે છે, તો રકમ પર ટેક્સ લાગતો નથી. નિવૃત્તિ સુધી
બેંક ફિક્સ્ડ ડિપોઝીટ પ્રતિ વર્ષ રૂ. 1.5 લાખ સુધીનું ડિડક્શન 5 વર્ષ
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) - માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ટીડીએસ માટે રૂ. 1.5 લાખ સુધીનું ડિડક્શન લાગુ પડે છે. 5 વર્ષ (વધુ 3 વર્ષ સુધી વધારી શકાય છે)
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ છે. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ટેક્સ મુક્ત છે. પાકતી મુદતની અને ઉપાડની રકમ પર પણ ટેક્સ માફી છે. 21 વર્ષ
યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP) પોલિસી પ્રીમિયમ પર રૂ. 1, 50,000 સુધીની ટેક્સ કપાત. ટોપ-અપ્સ પણ કલમ 80C અને 10D હેઠળ ટેક્સ ડિડક્શન માટે પાત્ર છે. 5 વર્ષ

ઉપરાંત, જો કુલ કેપિટલ ગેઈન રૂ. 1 લાખથી ઓછો હોય, તો કમાયેલા નફા પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની રકમના તમામ રોકાણો પર પણ ટેક્સ માફી માટે દાવો કરી શકાય છે.

[સ્ત્રોત]

વધુ જાણો:

5. લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો

લાઈફ ઇન્સ્યોરન્સ એ એક મહત્વનું ટેક્સ બચત સાધન છે, જે વ્યક્તિના પરિવારની નાણાકીય સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. જોકે, યુનિયન બજેટ 2023 માં ટેક્સ નિયમોમાં ફેરફાર અને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છૂટની દરખાસ્તમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.

1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી જારી કરાયેલી પોલિસીઓ માટે વ્યક્તિ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીની મેચ્યુરિટી રકમ પર ટેક્સ છૂટનો દાવો માત્ર ત્યારે જ કરી શકે છે જો કુલ વાર્ષિક પ્રીમિયમ રૂ. 5 લાખ સુધી હોય અથવા જો બહુવિધ પોલિસીમાંથી પ્રીમિયમની કુલ રકમ રૂ. 5 લાખ સુધી હોય.

જોકે ટેક્સદાતાઓ કલમ 10 (10D) હેઠળ ઇન્સ્યોર્ડના અકાળ અવસાન પર પ્રાપ્ત સમ એશ્યોર્ડ માટે ટેક્સ છૂટ ક્લેમ ચાલુ રાખી શકે છે.

1 એપ્રિલ, 2012 પછી લેવામાં આવી હોય અને 31મી માર્ચ, 2023 સુધી જારી કરાયેલી ઇન્સ્યોરન્સ પોલિસી માટે વાર્ષિક પ્રીમિયમ પર ખર્ચવામાં આવેલ રૂ. 1.5 લાખ સુધીના ટેક્સ લાભો જો વીમાની કુલ રકમના 10% ટેક્સતા ઓછી હોય તો કલમ 80C હેઠળ ક્લેમ કરી શકાય છે. જો પોલિસીનો લાભ 1 એપ્રિલ, 2012 પહેલા લેવામાં આવી હોય અને જો કુલ પ્રીમિયમ ચૂકવણી વીમાની રકમના 20% કરતા વધુ ન હોય તો કલમ 80C હેઠળ ક્લેમ કરી શકાય છે.

લાઈફ ઇન્સ્યોરન્સ કવરની ખરીદી અથવા રિન્યુવલ, વાર્ષિક પગાર દ્વારા આવી પોલિસીઓ પર વાર્ષિક ચુકવણીઓ સાથે કલમ 80CCC હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ માફી માટે પણ પાત્ર છે.

કલમ 80CCD (1) હેઠળ, કલમ 23AAB હેઠળ માત્ર અમુક પેન્શન ફંડ રૂ. 1.5 લાખ સુધીની માફી માટે પાત્ર છે.

જો વ્યક્તિઓ યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIP) માં રોકાણ કરવાનું નક્કી કરે છે, તો ઇન્સ્યોરન્સ સેક્શન નાણાકીય વર્ષમાં રૂ. 2.5 લાખ સુધીની ટેક્સ માફીનો આનંદ માણે છે. જોકે યુલિપ ઓછામાં ઓછા પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે, તે પહેલાં, સ્કીમમાંથી કોઈ પૈસા ઉપાડી શકાતા નથી. 

સ્કીમ થકી શેરબજારમાં થયેલ રોકાણના હિસ્સા પર પણ કોઈ લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ લાગતો નથી.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

[સ્ત્રોત 3]

6. ભાડાની જગ્યાઓ પર છૂટ

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) હેઠળ ટેક્સ છૂટ કલમ 10 (13A) હેઠળ આપવામાં આવે છે. તેની સામે વળતર મેળવવા માટે તમારા પગાર પદ્ધતિમાં HRAનો સમાવેશ થતો હોવો જોઈએ.

જોકે ચૂકવેલ ભાડા પરની કુલ ટેક્સ છૂટની ગણતરી ત્રણ કોમ્પોનેન્ટના લઘુત્તમ મૂલ્ય તરીકે કરવામાં આવે છે, જે નીચે મુજબ છે:

  • પ્રાપ્ત થયેલ વાર્ષિક HRA.
  • જો વ્યક્તિ મેટ્રો શહેરમાં રહેતો હોય તો વાર્ષિક પગારના 50% (નોન-મેટ્રો શહેરોના કિસ્સામાં 40%).
  • કુલ વાર્ષિક ભાડું – બેઝિક પગારના 10%.

જો તમારી માસિક આવકમાં HRAનો સમાવેશ થતો નથી, તો તમે કલમ 80GG હેઠળ વાર્ષિક ભાડા ખર્ચ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો. ઇન્કમ ટેક્સ પરની કુલ ડિડક્શનનું કેલક્યુલેશન નીચેની શરતોના લઘુત્તમ મૂલ્ય સામે કરવામાં આવે છે -

  • દર મહિને રૂ. 5,000 સુધીના ભાડાની ચૂકવણી.
  • કુલ આવકના 25%.
  • કુલ ભાડામાંથી બેઝિક પગારના 10%ની બાદબાકી.

આમ, તમે ઉપર જણાવેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મકાન ભાડા ભથ્થા દ્વારા ભારતમાં વેતન પર કેવી રીતે બચત કરી શકાય તે વિશે શીખી શકો છો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

7. ચેરિટી માટે દાન

રોકડ સિવાયના કોઈપણ માધ્યમ થકી વિશિષ્ટ સંસ્થાઓને આપવામાં આવેલ દાન ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80G હેઠળ ટેક્સ માફી માટે પાત્ર છે. બીજી બાજુ, વાયર અને બેંક ટ્રાન્સફર, અનુક્રમે સંપૂર્ણ અથવા આંશિક ટેક્સ છૂટ મેળવી શકે છે.

જો તમે વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસની સુવિધા આપતી સંસ્થાને દાન આપી રહ્યાં છો, તો તમે કલમ 80GGA હેઠળ ડિડક્શનનો આનંદ માણવા માટે પાત્ર છો.

રોકડ દાનના કિસ્સામાં આંશિક માફી આપવામાં આવે છે, જ્યારે ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે તો સંપૂર્ણ ટેક્સ માફી મળે છે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

8. રાજકીય પક્ષને ટેકો

1961ના અધિનિયમની કલમ 80GGC હેઠળ રાજકીય પક્ષોને આપવામાં આવેલા તમામ દાન અથવા ચૂંટણી ટ્રસ્ટમાં યોગદાન ટેક્સ માફી માટે પાત્ર છે.

જો સંસ્થા 1951ના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 29A હેઠળ નોંધાયેલ હોય તો તમારા મનપસંદ રાજકીય પક્ષને દાનમાં આપવામાં આવેલી સંપૂર્ણ રકમ કોઈપણ ઇન્કમ ટેક્સ કેલક્યુલેશનમાંથી છૂટને પાત્ર છે.

આવા દાન વાયર્ડ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા જ કરવાના હોય છે; રોકડ જમા રકમને મંજૂરી નથી.

[સ્ત્રોત]

વધુ જાણો:

ભારતમાં અન્ય ટેક્સ સેવિંગ વિકલ્પો

ઉપરોક્ત તમામ પદ્ધતિઓ ભારતમાં ટેક્સ કેવી રીતે બચાવી શકાય તે અંગેનો સમાવેશી વિચાર આપે છે. આ ઉપરાંત, અન્ય ઘણા ટેક્સ બચત સાધનોને ધ્યાનમાં લઈ શકાય છે જેમ કે:

સેક્શન (કલમ) લાભો
કલમ 80DDB વ્યક્તિઓ દ્વારા નિર્દિષ્ટ રોગોની તબીબી સારવાર માટે ટેક્સાયેલા ખર્ચને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. ટેક્સ માફી મેળવવા માટે ચોક્કસ રોગોની સારવાર માટે રૂ. 40,000 સુધીના મેડિકલ બિલ સબમિટ કરી શકાય છે. સિનિયર અને સુપર સિનિયર સિટીઝનોને રૂ. 1 લાખ સુધીનો વિસ્તૃત લાભ મળે છે.
કલમ 80DD જો તમે કાયમી વિકલાંગતા ધરાવતા કુટુંબના કોઈ આશ્રિત સભ્યને હોસ્ટ કરો છો, તો તમે તે વ્યક્તિની આજીવિકા માટે ફંડ પૂરું પાડવા માટે થતા તમામ ખર્ચ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો. 40%થી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે રૂ. 75,000 સુધી. 80% અથવા તેનાથી વધુ વિકલાંગતાથી પીડાત લોકો માટે રૂ. 1,25,000 સુધી.
કલમ 80E તમે એજ્યુકેશન લોનના વ્યાજ પર ચૂકવવામાં આવેલ કોઈપણ ટેક્સની માફી મેળવી શકો છો. જોકે આવા લાભો માત્ર લોનની ચુકવણીના પ્રથમ આઠ વર્ષ માટે જ લાગુ પડે છે.
કલમ 80TTA બેંક સેવિંગ એકાઉન્ટમાંથી મેળવેલા ઇન્ટરેસ્ટ પર મહત્તમ રૂ. 10,000 સુધીનું ડિડક્શન.

આ તમામ મુદ્દાઓ નિર્ધારિત નાણાકીય વર્ષ માટે તમારી કુલ ટેક્સપાત્ર આવકમાં નોંધપાત્ર ઘટાડો કર, તેમજ સરકાર દ્વારા નિર્ધારિત વિવિધ જોગવાઈઓ વિશે વધુ જાણવામાં તમને મદદ કરશે. ખાતરી કરો કે તમે અનુગામી આવક મેળવવા માટે તમારા એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરેલ ઇન્કમટેક્સ રિટર્ન રિટર્ન ફોર્મ અને ફોર્મ 16 સબમિટ કરો છો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

[સ્ત્રોત 3]

[સ્ત્રોત 4]

ભારતમાં ઇન્કમ ટેક્સ બચત વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકું?

હા, તમે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગના અધિકૃત પોર્ટલની મુલાકાત લઈને તમારું આઇટીઆર ફોર્મ ઓનલાઈન ભરી અને સબમિટ કરી શકો છો.

શું મારે મારા સેવિંગ એકાઉન્ટ પર ઉપાર્જિત વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે?

તમે સેવિંગ એકાઉન્ટ પર મેળવેલા વ્યાજ પર ટેક્સ માફીનો દાવો કરી શકો છો, જો વ્યાજની કુલ આવક રૂ. 10,000 કરતા ઓછી હોય. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80TTA હેઠળ આવી ટેક્સ રિબેટ આપવામાં આવે છે.

[સ્ત્રોત]

રૂ. 7 લાખના પગાર પર ઇન્કમ ટેક્સ કેટલો છે?

જો તમે રૂ. 7 લાખ સુધીની કમાણી કરો છો, તો તમારે કેન્દ્રીય બજેટ 2023 મુજબ નવી ઇન્કમ ટેક્સ પ્રણાલી હેઠળ કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવાની જરૂર નથી, કારણ કે તમે કલમ 87A હેઠળ રૂ. 25,000ની છૂટનો દાવો કરી શકો છો.

[સ્ત્રોત]

બજેટ 2023 મુજબ લાઈફ ઇન્સ્યોરન્સ માટે ઇન્કમ ટેક્સનો નવો નિયમ શું છે?

1 એપ્રિલ, 2023 પછી ખરીદેલી પોલિસીઓ માટે, જો કુલ વાર્ષિક પ્રીમિયમ અથવા બહુવિધ પોલિસીમાંથી પ્રીમિયમની કુલ રકમ રૂ. 5 લાખથી વધુ હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી મેચ્યુરિટી આવક પર ટેક્સ લાગશે. જોકે, નવા નિયમની યુલિપ પ્લાન પર કોઈ અસર થશે નહીં.

[સ્ત્રોત]