ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડ વિઝા

ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડ વિઝા વિશે તમામ માહિતી

થાઇલેન્ડ એક અદ્દભુત માણવાલાયક જગ્યા છે. તમે થાઇલેન્ડનું નામ સાંભળો છો ત્યારે તમે કદાચ પહેલાથી જ દરિયાકિનારા, શોપિંગ, સુંદરતા, અદ્દભુત અરણ્ય અને કેટલાક મોંમાં પાણી લાવે તેવા થાઈ ફૂડ વિશે વિચારવા લાગશો! અને તમારા વિચારો સાચા છે. આ જગ્યાએ આ બધું છે જે તમારા રજાના રોકાણને સાર્થક બનાવશે. જોકે ચાલો અહીં પ્રમાણિક રહીએ- યોગ્ય રીતે આયોજન કરવામાં આવી હોય તો જ ટ્રિપ આપણે ઇચ્છીએ છીએ તે રીતે બરાબર થઈ શકે છે અને તેના માટેનું પ્રથમ પગલું ઇચ્છિત સ્થળ માટે વિઝા મેળવવાનું હશે!

શું ભારતીયોને થાઈલેન્ડ માટે વિઝાની જરૂર છે?

હા, ભારતીયોને થાઈલેન્ડમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર છે. જોકે તે તમારી મુલાકાતના હેતુ પર આધાર રાખે છે. જો તમે એકલા બે અઠવાડિયાથી ઓછા સમય માટે પ્રવાસન માટે જાવ છો- તો તમે વિઝા ઓન અરાઈવલ મેળવી શકો છો.

જોકે તમે ત્યાં બે અઠવાડિયા કરતાં વધુ સમય માટે જઈ રહ્યાં હોવ અથવા બિઝનેસ વિઝીટ અથવા કુટુંબ અને મિત્રોની મુલાકાત માટે ત્યાં જઈ રહ્યાં હોવ તો તમારે તમારા પ્રસ્થાન પહેલાં થાઈલેન્ડ વિઝા માટે અરજી કરવાની જરૂર પડી શકે છે.

શું ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડમાં વિઝા ઓન અરાઈવલ છે?

હા, ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડમાં વિઝા ઓન અરાઈવલ છે, પરંતુ જો તેઓ નીચેની આવશ્યકતાઓને પૂર્ણ કરે તો જ વિઝા ઓન અરાઈવલ આપવામાં આવે છે:

  • આ મુલાકાત પ્રવાસન હેતુઓ માટે જ હોવી જોઈએ.

  • પાસપોર્ટ અસલી હોવો જોઈએ અને ઓછામાં ઓછા 30 દિવસ માટે માન્ય હોવો જોઈએ.

  • તમારી પાસે થાઈલેન્ડમાં એક માન્ય સરનામું હોવું આવશ્યક છે, જેની ચકાસણી કરી શકાય; પછી ભલે તે હોટલ હોય કે એપાર્ટમેન્ટ.

  • થાઈલેન્ડમાંથી પ્રવેશના 15 દિવસ બાદ તમે પરત ફરશો તેની ખાતરી કરવા માટે તમારે આગમન સમયે જ તમારી પાસે કન્ફર્મ રીટર્ન ટિકિટ આવશ્યક છે. ઓપન ટિકિટો માન્ય નથી.

  • તમે થાઈલેન્ડમાં પ્રવેશો ત્યારે તમને તમારી ફ્લાઇટ ટિકિટ બતાવવા માટે કહેવામાં આવી શકે છે. 15 દિવસમાં તમે થાઈલેન્ડ છોડશો તેની ખાતરી કરવા માટે જો તમારી પાસે આગમન બતાવવા માટે રિટર્ન ફ્લાઈટ ટિકિટ નહો હોય તો તમારો પ્રવેશ નકારવામાં આવશે.

  • આ સિવાય તમારી પાસે થાઈલેન્ડમાં તમારા રોકાણ માટે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 10,000 THB અને કુટુંબ દીઠ 20,000 THB ભંડોળની સાબિતી બતાવવી પડશે.

  • પ્રવેશ સમયે 2000 THB ( INR 4,460) ની ફી ચૂકવવાપાત્ર છે અને સૂચના વિના ફેરફારને પાત્ર છે. તેની ચૂકવણી રોકડ અને થાઈ ચલણમાં જ કરવાની રહેશે.

ભારતમાંથી થાઈલેન્ડના ટૂરિસ્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

ઓનલાઈન અરજી - તમે થાઈલેન્ડ વિઝા માટે VFS ગ્લોબલની અધિકૃત વેબસાઈટ દ્વારા અરજી કરી શકો છો. ઓનલાઈન વિઝા અરજી ફોર્મમાં અરજદારની મૂળભૂત વિગતો અને પાસપોર્ટની વિગતો જરૂરી છે. ઓનલાઈન વિઝા અરજી શરૂ કરવા માટે અરજદારોએ સત્તાવાર VFS ગ્લોબલ વેબસાઈટ - http://www.vfs-thailand.co.in/ ની મુલાકાત લેવી જરૂરી છે. અરજદારના સ્થાનના આધારે વિઝા અરજી હાથ ધરવા માટે નીચેનામાંથી એક થાઈલેન્ડ વિઝા અરજી કેન્દ્રની પસંદગી કરવી જોઈએ:

  • રોયલ થાઈ એમ્બેસી - નવી દિલ્હી
  • રોયલ થાઈ કોન્સ્યુલેટ જનરલ - ચેન્નાઈ
  • રોયલ થાઈ કોન્સ્યુલેટ જનરલ - કોલકાતા
  • રોયલ થાઈ કોન્સ્યુલેટ જનરલ - મુંબઈ

 

ઓફલાઇન એપ્લિકેશન - રોયલ થાઈ એમ્બેસી અરજદારોને VFS ગ્લોબલ થાઈલેન્ડ વિઝા એપ્લિકેશન કેન્દ્રોમાંથી એકનો સંપર્ક કરીને ઓફલાઇન (કાગળ પર) એપ્લિકેશન પસંદ કરવાની મંજૂરી આપે છે. અરજી ફોર્મ VFS ગ્લોબલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તેને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા આવશ્યક છે. ભારતમાં VFS ગ્લોબલ થાઈલેન્ડ વિઝા એપ્લિકેશન સેન્ટરનું સરનામું અને સંપર્ક વિગતો નીચે દર્શાવેલ છે:

પાસપોર્ટ પુનઃપ્રાપ્તિ સમય: 08:00 થી 12:00 - 13:00 થી 15:00 (સોમવાર-શુક્રવાર).

ભારતમાંથી થાઈલેન્ડ ટૂરિસ્ટ વિઝા માટેના જરૂરી દસ્તાવેજો

જો તમે થાઈલેન્ડના ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરી રહ્યા હોવ તો નીચેના તમામ દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં:

  • પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજ જેની માન્યતા 6 મહિનાથી ઓછી ન હોય
  • યોગ્ય રીતે ભરેલું થાઈલેન્ડનું વિઝા અરજી ફોર્મ
  • અરજદારનો એક 45mm X 35mmની સાઈઝનો તાજેતરનો ફોટોગ્રાફ
  • રાઉન્ડ-ટ્રીપ એર ટિકિટ અથવા ઈ-ટિકિટ (સંપૂર્ણ ચૂકવણી કરેલ)
  • હોટેલ બુકિંગ અથવા આવાસના પુરાવા તરીકે સ્થાનિક સરનામું.
  • આમંત્રણ પત્ર (જો કુટુંબ અથવા મિત્રોની મુલાકાત લેતા હોય તો સંબંધના પુરાવા તરીકે).
  • નાણાકીય માધ્યમનો પુરાવો (વ્યક્તિ દીઠ 10,000 ભાટ/ કુટુંબ દીઠ 20,000 ભાટ)

થાઇલેન્ડ વિઝા પ્રક્રિયાનો સમય

થાઈલેન્ડના વિઝા માટે પ્રક્રિયાનો સમય આશરે 7 કાર્યકારી દિવસનો છે.

થાઈલેન્ડ પ્રવાસ કરતા ભારતીયો માટે ઈ-વિઝા ઓન અરાઈવલ

તમે હવે ઈ-વિઝા ઓન અરાઈવલનો પણ લાભ લઈ શકો છો. 14મી ફેબ્રુઆરી 2019થી ઉપલબ્ધ આ નવી સર્વિસ ઈ-વિઝા ઓન અરાઈવલ નામથી છે. આ થાઈ સરકાર દ્વારા દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે રજૂ કરવામાં આવી છે. થોડી વધારાની ફી સાથે તમે આ સેવાનો લાભ લઈ શકો છો. આ સેવાનો લાભ લેવા માટે, તમારે VFS દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જરૂર છે. VOA તમને 72 કલાકની અંદર ઈમેલ કરવામાં આવશે.

ભારતીય નાગરિકો માટે થાઈલેન્ડ વિઝા ફી

ફી વિઝા કેટેગરી વિઝા અને રોકાણની માન્યતા
INR 4,600 વિઝા ઓન અરાઈવલ 15 દિવસથી ઓછા સમયગાળા માટે રહેવાની મંજૂરી
INR 1,900 ટ્રાન્ઝિટ વિઝા વિઝા 3 મહિના માટે માન્ય | 30 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી
INR 2,500 ટૂરિસ્ટ વિઝા (સિંગલ એન્ટ્રી) વિઝા 3 મહિના માટે માન્ય | 60 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી.
INR 12,000 ટૂરિસ્ટ વિઝા (મલ્ટિપલ એન્ટ્રી) વિઝા 6 મહિના માટે માન્ય | 60 દિવસ (દરેક પ્રવેશ) કરતાં વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી.
INR 5,000 નોન-ઇમિગ્રન્ટ વિઝા (સિંગલ એન્ટ્રી) વિઝા 3 મહિના માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી
INR 12,000 નોન-ઇમિગ્રન્ટ વિઝા (મલ્ટીપલ એન્ટ્રી) વિઝા 6 મહિના અથવા 1 વર્ષ માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી (દરેક પ્રવેશ)
INR 24,000 ત્રણ વર્ષના નોન-ઇમિગ્રન્ટ વિઝા 'B' (મલ્ટીપલ એન્ટ્રી) વિઝા 3 વર્ષ માટે માન્ય | 90 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે રહેવાની મંજૂરી (દરેક પ્રવેશ)

મારે થાઈલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

હવે તમારી પાસે થાઇલેન્ડ માટે વિઝા કેવી રીતે મેળવવો તે વિશેની બધી માહિતી છે. તો હવે અમે સૌથી મહત્વપૂર્ણ ભાગ 'ટ્રાવેલ ઇન્શ્યુરન્સ' પર આવીએ છીએ. અમે જાણીએ છીએ કે તમારામાંથી મોટાભાગના લોકો તેને તમારી ટ્રાવેલિંગ ચેકલિસ્ટનો મહત્વપૂર્ણ ભાગ પણ માનતા નથી પરંતુ અમારો વિશ્વાસ કરો, તમારે થાઈલેન્ડમાં ઇન્શ્યુરન્સ અતિજરૂરી છે કારણકે બેંગકોક વિશ્વના ટોચના દસ કૌભાંડી શહેરોમાંનું એક છે. તેથી, વિચારો કે ત્યાંં કંઈપણ થઈ શકે છે!

તમારી પાસે થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી હોવી જોઈએ, તમારી જાતને અણધાર્યા સંજોગોથી બચાવવા માટે જેમ કે:

  • વિદેશી દેશનું મોટું મેડિકલ બિલ
  • તમારા સામાનનું રક્ષણ
  • કટોકટીની તબીબી પરિસ્થિતિઓના કિસ્સામાં સુરક્ષા અને સલામતી

 

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે અમે આપતા લાભો નીચે દર્શાવેલ છે:

  • શૂન્ય કપાતપાત્ર - તમારે તમારા ખિસ્સામાંથી કોઈ ચૂકવણી કરાવની થશે નહીં, અમે દરેક વસ્તુનું ધ્યાન રાખીશું
  • તમે કેવી રીતે મુસાફરી કરો છો તેનું કવર- અમારા કવરેજમાં સ્કુબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ અને સ્કાયડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે (જો સમયગાળો એક દિવસનો હોય તો)
  • સ્માર્ટફોન-સક્ષમ દાવા પ્રક્રિયા - સ્માર્ટફોન-સક્ષમ દાવાની પ્રક્રિયા સાથે બધું સ્માર્ટ છે. કોઈ પેપરવર્કની ઝંઝટ નથી, કોઈ દોડધામ નથી. તમારે દાવો કરવો હોય ત્યારે ફક્ત તમારા દસ્તાવેજો અપલોડ કરો.
  • મિસ્ડ કોલ સુવિધા - અમને +91-124-6174721 પર મિસ્ડ કોલ આપો અને અમે તમને 10 મિનિટમાં પાછા કોલબેક કરીશું. કોઈ વધુ આંતરરાષ્ટ્રીય કોલિંગ ચાર્જિસ નહિ!

આ વિશે વધુ જાણો:

 

વિદેશી જમીન પર રક્ષણ મેળવવું સારું છે, ખરું ને? સૌથી વધુ સાવધ રહેતો અને સારી રીતે તૈયારી કરતો ટૂરિસ્ટ પણ દરેક ઘટનાની આગાહી કરી શકતો નથી. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિના મુસાફરી કરવાનું જોખમ ન લો - તે કોઈપણ ભોગે વ્યાજબી/યોગ્ય નથી. હેપી ટ્રાવેલિંગ!

ભારતીય નાગરિકો માટેના થાઈલેન્ડ ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું થાઈલેન્ડ ભારતીય મુલાકાતીઓ માટે વિઝા ઓન અરાઈવલ ઓફર કરે છે?

તમારી મુલાકાતનો એકમાત્ર હેતુ પર્યટન છે અને તમે 2 અઠવાડિયાથી વધુ સમય માટે રોકાતા નથી તેવી જ શરતે થાઈલેન્ડ વિઝા ઓન અરાઈવલ ઓફર કરે છે. ઉપરાંત, પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોવો આવશ્યક છે. અન્ય તમામ કેસોમાં સ્ટાન્ડર્ડ વિઝા અરજી નિયમો લાગુ થાય છે.

જો મને વિઝા ઓન અરાઈવલ આપવામાં આવે, તો શું મારે સુરક્ષા તરીકે કોઈ રકમ રાખવાની જરૂર છે?

તમારે કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી. જોકે તમારે તમારા નાણાકીય સ્ટેટમેન્ટો બતાવીને દર્શાવવું પડશે કે તમારી પાસે પર્યાપ્ત બેંક બેલેન્સ છે. થાઈ સત્તાધીશો જામીન તરીકે ચોક્કસ રકમ પણ રાખશે. આ રકમ નોન-રિફંડપાત્ર છે.

શું હું થાઈલેન્ડના વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકું?

હા તમે કરી શકો છો. તે એક સરળ પ્રક્રિયા છે. અથવા તમે નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકત્તા અને મુંબઈમાં સ્થિત થાઈ દૂતાવાસોમાંથી કોઈની પણ મુલાકાત લઈ શકો છો.

થાઈલેન્ડ માટે સામાન્ય વિઝા પ્રક્રિયા સમય શું છે?

વિઝાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7 દિવસ લાગે છે. નિર્ધારિત કાયદા મુજબ આ મર્યાદાનો ભંગ કરી શકાતો નથી.

મેં ઈ-વિઝા માટે અરજી કરી છે. શું મારે કંઈપણ વધારાની ચૂકવણી કરવાની જરૂર છે?

હા, જ્યારે તમે ઈ-વિઝા માટે અરજી કરો છો ત્યારે વધારાનો ચાર્જ લાગે છે. દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે આ યોજના 2019ની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી.